Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Best-Time-For-Walk.jpg)
શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે લોકો જીમ વર્કઆઉટ, યોગાસન કરે છે અને ચાલવા જાય છે. આ ત્રણેય ફિઝિકલ એક્ટિવિટમાં વોક એટલે ચાલવાની કસરત સૌથી સરળ છે. નાના થી લઇ યુવા અને મોટી ઉંમરના લોકો સવાર કે સાંજે ચાલવા જાય છે. જો કે મોટાભાગના લોકોને ઉંમર મુજબ કેટલો સમય વોક કરવું તેના વિશે જાણકારી હોતી નથી. મનફાવે તેમ અને તેટલું વોક કરવાથી પગના હાડકાંમાં સમસ્યા થઇ શકે છે. ચાલો જાણીયે ઉંમર પ્રમાણ વ્યક્તિએ કેટલો સમય વોક કરવું જોઇએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Health-Benefits-Of-Walk.jpg)
નિયમિત ચાલવાથી શરીર સક્રિય રહે છે, વજન નિયંત્રણમાં રહે છે, ડાયાબિટીસ અને બીપી જેવી ગંભીર બીમારી કન્ટ્રોલમાં રહે છે. ચાલવાથી હૃદયની બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/walking-benefits.jpg)
ન્યૂટ્રિશન એન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ નેહા સહાયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમા તેમણે કહ્યું છે કે, ચાલવું એ એક સરળ પરંતુ અસરકારક શારીરિક પ્રવૃત્તિ છે જે શરીરને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં માનસિક સ્થિતિમાં પણ સુધારો કરે છે. વોકિંગ એક લો સ્પીડ એક્સરસાઇઝ છે, જેમાં ઇજા થવાનું કોઇ જોખમ રહેતું નથી અને તમારી સુવિધા અને સગવડતા અનુસાર ગમે ત્યારે કરી શકાય છે. રોજ ચાલવાથી માત્ર વજનને જ કંટ્રોલ નથી કરી શકાતું પરંતુ મસલ્સને પણ હેલ્ધી રાખી શકાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે તમારે દરરોજ કેટલો સમય ચાલવું જોઈએ જેથી શરીર લાભ મળે. ચાલો જાણીએ કે ઉંમર પ્રમાણે રોજ કેટલું ચાલવું જરૂરી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/walk-According-To-Age.jpg)
18 થી 30 વર્ષના લોકોમાં એનર્જી લેવલ સૌથી વધુ હોય છે. આ ઉંમરના લોકોએ 30 થી 60 મિનિટ સુધી વોક કરવું જોઇએ. આ ઉંમરે વ્યક્તિના સ્નાયુઓ મજબૂત અને શક્તિશાળી હોય છે. આ ઉંમરના યુવાનો રોજ અડધો કલાકથી એક કલાક ચાલી શકે છે. આટલી વાર ચાલવાથી વજન કંટ્રોલ થશે, સ્ટ્રેસ દૂર થશે અને હાર્ટ હેલ્થ પણ યોગ્ય રહેશે. જે લોકો લાંબા સુધી ખુરશીમાં બેસી રહે છે અને ડેસ્ક વર્ક કરે છે તેમના માટે આ વોક કરવું ખૂબ જ જરૂરી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/walk-exercise-benefits.jpg)
31 થી 50 વર્ષની ઉંમરે ચાલવું ખૂબ જ જરૂરી છે. આ ઉંમરના લોકોએ દરરોજ 30 થી 45 મિનિટ ચાલવું જોઇએ. આ ઉંમરે શરીરમાં બીમારીઓનો ખતરો વધવા લાગે છે. જો તમે આ ઉંમરે ઓછામાં ઓછું અડધો કલાક ચાલો છો, તો વજન નિયંત્રિત થશે, સ્નાયુઓ સુડોળ રહેશે અને ક્રોનિક રોગો સુરક્ષિત રહેશે. ચાલવાથી માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમે કામ પર જતી વખતે, બપોરના ભોજન પછી, સીડી ચઢીને પણ શરીરને સક્રિય રાખી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/How-Much-Walk-In-A-Day-According-To-Age.jpg)
51 થી 65 વર્ષની વયના લોકોએ રોજ 30 થી 40 મિનિટ સુધી ધીમી ગતિએ ચાલવું જોઈએ. મધ્યમ વયમાં શરીરમાં કુદરતી ફેરફારોને કારણે લોકોમાં મસલ્સ ગ્રોથ અને મેટાબોલિઝમ રેટમાં ઘટાડો થાય છે, તેથી શરીરને સક્રિય રાખવું જરૂરી છે. વોક કરવાથી આ ઉંમરે હાડકાંની નબળાઈ ઓછી થાય છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/walk-benefits-1.jpg)
વૃદ્ધો માટે દિવસમાં લગભગ 20-30 મિનિટ સુધી મધ્યમ ગતિએ ચાલવું ખૂબ જ ફાયદાકારક અને સરળ છે. આ ઉંમરે ચાલવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે ચાલવાથી જ્ઞાનાત્મક કાર્યોમાં સુધારો થાય છે. સાંધાની સમસ્યાવાળા લોકોએ તણાવ ઓછો કરવા માટે દરરોજ બે વાર 15-15 મિનિટ ચાલવું જોઈએ. આ ઉંમરે ચાલવું માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Walk-In-A-Day-According-To-Age.jpg)
વયો વૃદ્ધ લોકોએ શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ 15-20 મિનિટ ચાલવું જોઈએ. સાંધાની લવચિકતા, સ્નાયુઓની મજબૂતાઈ અને સંતુલન જાળવવામાં નિયમિત ટૂંકા ગાળા માટે મદદરૂપ થાય છે. વૃદ્ધ લોકોએ ચાલવા માટે ફ્લેટની જગ્યા પસંદ કરવી જોઈએ, આરામદાયક પગરખાં પહેરવા જોઈએ. ચાલવામાં તકલીફ પડતી હોય તો વોકરનો પણ ઉપયોગ કરી શકો છો. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us