Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kutch-Rann-Utsav-2024-.jpg)
કચ્છ રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ છે. કચ્છ રણોત્સવનો નજારો માણવા માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ આવે છે. કચ્છના મીઠાના રણનું અદભૂત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ માણે છે. શરૂઆતમાં માત્ર 3 દિવસ માટે શરૂ કરાયેલો કચ્છ રણોત્સવ હવે એટલું લોકપ્રિય થઇ ગયું છે તે હવે 3 મહિના સુધી ચાલે છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ચાલો કચ્છ રણોત્સવ વિશે વિગતવાર જાણીયે (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kutch-Rann-Utsav-2024.jpg)
કચ્છ રણોત્સવ મીઠાના રણમાં ઉજવાતો ઉત્સવ છે. દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમવાર પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 1992માં કચ્છોત્સવનું આયોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રણ ઉત્સવનું આયોજન કર્યું હતું. હાલ કચ્છ રણોત્સવનું આયોજન 3 મહિના સુધી ચાલે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kutch-Best-Tourist-places-in-Gujarat-.jpg)
આ વખતે કચ્છ રણોત્સવ 11 નવેમ્બર 2024 થી શરૂ થઇ રહ્યું છે અને 15 માર્ચ 2025 સુધી ચાલશે. આમ આ વખતે 124 દિવસ કચ્છ રણોત્સવ ચાલુ રહેશે. કચ્છ રણોત્સવ ટેન્ટ સિટી માટે પણ ઓનલાઈન બુકિંગ શરૂ થઇ ગયું છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kutch-Rann-Utsav-Visit.jpg)
રણ ઉત્સવ કચ્છના ઘોરડો ગામમાં યોજવામાં આવે છે, જે ભૂજ શહેરથી 80 કિમી દૂર આવેલું છે. કચ્છ જવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મુખ્ય શહેરોથી બસ, ટ્રેન સુવિધા ઉપલબ્ધ છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Kutch-White-Desert.jpg)
કચ્છ મીઠાના રણમાં ઉજવાતો રણોત્સવ જીવનભરનો યાદગાર પ્રવાસ બની રહે છે. રાત્રે ચંદ્રના અજવાળામાં કચ્છનું સફેદ રણ ચંદ્ર જેવો દેખાય છે. સફેદ રણમાં પ્રવાસીઓ ચંદ્ર પર હોવાનો અનુભવ કરે છે. કચ્છ રણોત્સવ માટે ધોરડો ખાતે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવે છે. ટેન્ટ સિટીમાં પ્રવાસીઓ માટે રહેવા જમવાનું આરામદાયક સુવિધા હોય છે. રણ ઉત્સવ દરમિયાન પ્રવાસીઓને ટેન્ટ સિટી, માટીના ભૂંગામાં રહેવાનો લાહવો મળે છે. ઉપરાંત કચ્છની લોકસંસ્કૃતિ, સંગીત નૃત્યુ, પરંપરાગત પોશાક, ભરતકામ, હસ્તશિલ્પ જોઇ પ્રવાસીઓ અચરજ પામે છે. કચ્છ રણોત્સવની યાદગીરી માટે પ્રવાસીઓ કચ્છી ભરતના વસ્ત્રો અને હસ્તશિલ્પ સાથે લઇ જાય છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/best-Tourist-places-in-kutch.jpg)
રણ ઉત્સવ ઉપરાંત કચ્છમાં ઘણા ફરવા લાયક સ્થળ આવેલા છે. કાળો ડુંગર, ભુજીયો ડુંગર, આઈના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, માંડવીનો રમણીય દરિયા કિનારો, માતાનો મઢ, લખપતનો કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિર ફરવા લાયક સ્થળો છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us