Modi Cabinet Minister List 2024: મોદી સરકાર 3.0 : કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ, જુઓ કોને કોને મળ્યું સ્થાન, સંપૂર્ણ લીસ્ટ
Modi Cabinet Minister List 2024 : પીએમ મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા તો, સાથે મોદી સરકારના નવા કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા, જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, એસ જયશંકર સહિત અનેક નેતાઓને ફરી મંત્રી પદ મળ્યું.
પીએમ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. લોકસભા ચૂંટણી 2024 માં ભાજપે એનડીએ ગઠબંધન સાથે સરકાર બનાવી છે. મોદી સરકાર માં ભાજપના સાંસદો સહિત સહયોગી પાર્ટીઓના સાંસદોને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. તો જોઈએ કયા કયા સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે ગુજરાતની ગાંધીનગર બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 744716 મતથી હરાવી શાનદાર જીત મેળવી હતી.
જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી. તમને જણાવની દઈએ કે, જેપી નડ્ડા અગાઉની એનડીએ સરકારમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા.જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. જેપી નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 1993માં જેપી નડ્ડાનો રાજકારણમાં પ્રવેશ થયો હતો. 1998થી 2003 સુધી તેઓ હિમાચલના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 2012માં તેમને રાજયસભા મોકલવામાં આવ્યા હતા. જેપી નડ્ડાએ પટનામા 1960માં જન્મેલા જગત પ્રકાશ નડ્ડાએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. શરૂઆતથી જ તેઓ એબીવીપી સાથે જોડાયેલા હતા. તેઓ પ્રથમ વખત 1993માં હિમાચલમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ રાજ્ય અને કેંદ્રમાં મંત્રી પણ રહ્યા. તેઓ 1994થી 1998 સુધી વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહ્યા હતા.
નીતિન ગડકરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે મહારાષ્ટ્રની નાગપુર બેઠક પરથી ભાજપના ઉમેદવર તરીકે ચૂંટણી લડી હતી. અને કોંગ્રેસના વિકાસ ઠાકરેને 137603 મતથી હરાવી શાનદાર જીત મેળવી હતી.
રાજનાથ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, તેમણે ઉત્તર પ્રદેશની લખનૌ બેઠકથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને સમજવાદી પાર્ટીના રવિદાસ મેહરોત્રાને 135159 મતથી હરાવ્યા છે. રજનાથ સિંહે સતત ત્રીજી વખત આ બેઠક પરથી જીત નોંધાવી છે.
નિર્મલા સિતારમણે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી છે. નિર્મલા સિતારમણ મોદી સરકાર 2.0 માં નાણામંત્રી હતા. તેમણે ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. નિર્મલા સિતારમણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને PM મોદીના વિશ્વાસુ સહયોગી સીતારમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. શરૂઆતમાં, તેમને 2014 માં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને સ્વતંત્ર હવાલો સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું હતું. રાજ્યસભાના સભ્ય સીતારમણે 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી, અને 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી લડી ન હતી.
અશ્વિનિ વૈષ્ણવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અશ્વિની વૈષ્ણવ રાજ્યસભા સાંસદ છે. તેઓ એક ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી છે, જેઓ હાલમાં રેલ્વેના 39મા મંત્રી, 55મા સંચાર મંત્રી અને ભારત સરકારમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના 2જા મંત્રી અને 2021 થી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રાનીના જીવનનંદ કલાન ગામના છે, પરંતુ બાદમાં તેમનો પરિવાર જોધપુરમાં સ્થાયી થયો હતો.
ડો. મનસુખ માંડવિયા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ગુજરાતની પોરબંદર બેઠક પરથી ચૂંટણીમાં ઝપલાવ્યું હતુ અને કોંગ્રેસના લલિત વસોયા સામે 3,83,360 મતોથી જીત મેળવી છે. આ પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યસભાના સાંસદ હતા અને મોદી કેબિનેટમાં આરોગ્ય મંત્રી હતા.
સીઆર પાટિલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ગુજરાતની નવસારી બેઠક પરથી સતત ત્રીજી વખત રેકોર્ડ મતથી જીત મેળવી છે. તેમણે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉ્મેદવાર નૈષધ દેસાઈને 773551 મતથી હરાવ્યા અને સાંસદ બન્યા છે. તમને જણાવી દઈએ કે, તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
પિયુષ ગોયલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પિયુષ ગોયલ જે મોદીના ખાસ વિશ્વાસુ નેતા છે. તેમણે મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને કોંગ્રેસ ઉમેદવાર ભૂષણ પાટિલને 357608 મતથી હરાવી ફરી એકવાર મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.
કિરેન રિજીજુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપ ઉમેદવાર તરીકે અરૂણાચલ પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના નબામ તુકીને 100738 મતથી હરાવી સાંસદ બન્યા હતા.
ગિરીરાજ સિંહ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. બિહારની લોકસભા બેઠકોમાંથી એક બેગુસરાય, જે 2024માં ગિરિરાજ સિંહે ફરી એકવાર જીતી લીધી છે. અને આ વખતે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના અબ્ધેશ કુમાર રોયને 81480 મતે હરાવ્યા છે. તો વર્ષ 2019માં પણ તેમણે આ બેઠક જીતી હતી. આ પહેલા હિન્દુત્વનો ઝંડો ઊંચકનાર ગિરિરાજ સિંહને વડાપ્રધાન મોદી અને અમિત શાહના નજીકના માનવામાં આવે છે. વિપક્ષ પર પોતાના તીક્ષ્ણ નિવેદનો માટે અવારનવાર હેડલાઈન્સમાં રહેતા બીજેપી નેતા ગિરિરાજ સિંહ (71) આ વખતે કોઈ વિવાદાસ્પદ નિવેદનને કારણે નહીં પરંતુ તેમની ચૂંટણી રણનીતિના કારણે ચર્ચામાં હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. જ્યોતિરાદિત્ય સિધિયા 2020માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તે ભાજપ તરફથી રાજ્યસભા સાંસદ હતા. જ્યોતિરાદિત્ય રાજ પરિવારમાંથી આવે છે. અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશની ગુના બેઠક પરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના યાદવેન્દ્ર રાવ દેશરાજ સિંહને 540929 મતથી હરાવી, ફરી એકવાર મોદીના મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે.
ચિરાગ પાસવાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. બિહારના એલજેપીના સ્થાપક રામવિલાસ પાસવાનના પુત્ર છે ચિરાગ પાસવાન. તેમણે લોક જનશક્તિ પાર્ટી તરફથી બિહારની હાજીપુર બેઠક પરથી ચૂંટણી લડી અને રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શિવચંદ્ર રામને 170105 મતથી હરાવ્યા છે. ભારતીય રાજકારણમાં સૌથી ચાલાક રાજકીય સંચાલકોમાંના એક ગણવામાં આવતા હતા. લગભગ અનુમાન મુજબ તેમણે ચૂંટણી પહેલા જોડાણો બદલ્યા અને આખરે જીતી ગયા, જેના કારણે તેમને હવામાનશાસ્ત્રી કહેવામાં આવ્યા. રામવિલાસ ફેબ્રુઆરી 2014 માં ચૂંટણીના થોડા મહિના પહેલા એનડીએમાં ફરી જોડાયા, અને બે “મોદી લહેર” પર સવાર થઈને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મેળવ્યું.
જીતનરામ માંઝીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બિહારની હિન્દુસ્તાની અવમ મોરચા પાર્ટીના વડા છે અને બિહારના કદાવર નેતા માનવામાં આવે છે, તેમણે બિહારની ગયા બેઠક પરથી એનડીએ સહયોગી તરીકે હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) પાર્ટી તરફથી જ ચૂંટણી લડી અને રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર કુમાર સર્વજીતનને 101812 મતથી હરાવ્યા છે. તેમણે મોદી સરકારને ટેકો આપી કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે.
હરદિપ સિંહ પૂરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ફરી એકવાર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે. આ પહેલા મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી તથા આવાસ અને શહેરી મામલાના મંત્રી તરીકે પણ કામ કર્યું હતુ. તેઓ 1974 ની બેચના ભારતીય વિદેશી સેવા અધિકારી તરીકે પણ કામ કર્યું છે. તેઓ 2014માં ભાજપમાં જોડાયા અને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ બન્યા હતા.
ભૂપેન્દ્ર યાદવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના લલિત યાદવને 48282 મતથી હરાવ્યા હતા. જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
અન્નપૂર્ણા દેવીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઝારખંડની કોડરમા બેટકથી ચૂંટણી લડી હતી અને ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી-લેનિનવાદી) (લિબરેશન)ના ઉમેદવાર વિનોદ કુમાર સિંહને 377014 મતથી હરાવી દીધા હતા.
જી કિશન રેડ્ડી (તેલંગાણા)એ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે તેલંગાણાની સંકંદરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂીંટણી લડી કોંગ્રેસના દાનમ નાલિંગને 49944 મતથી હરાવી જીત મેળવી હતી. આ પહેલા પણ તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પર્યટન, સંસ્કૃતિ મંત્રી હતા.
શિવરાજસિંહ ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના પ્રતાપભાનુ શર્માને 821408 મતથી હરાવી શાનદાર જીત મેળવી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.
મનોહરલાલ ખટ્ટરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે લોકસભા ચૂંટણી 2024 માં ભાજપના ઉમેદવાર તરીકે હરિયાણાની કરનાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના દિવ્યાંશુ બુધિરાજને 232577 મતથી હરાવ્યા અને કેબિનેટ મંત્રી બન્યા.
પ્રહલાદ જોશીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. કર્ણાટકના આ નેતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ધારવાડ લોકસભા બેઠકથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વિનોદ આસુતીને 97324 મતથી પછાડી શાનદાર જીત મેળવી હતી.
એચડી કુમારસ્વામિએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠક પરથી જનતા દળ (સેક્યુલર)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના વેંકેટરામને ગૌડા (સ્ટાર ચંદ્રુને) 284620 મતથી હરાવ્યા અને મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) એનડીએ સહયોગી પાર્ટી છે.
ધર્મેન્દ્ર પ્રધાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ઓડિશાની સંબલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડ્યા અને બીજુ જનતા દળના પ્રણવ પ્રકાશ દાસને 119836 મતથી હરાવ્યા હતા.
લલનસિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બિહારમાં નીતિશ કુમારની જેડીયુના કદાવર નેતા છે. તેમણે બિહારની મુંગેર લોકસભા બેઠક પરથી જનતા દળ (યુનાઈટેડ) ઉેમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અને રાષ્ટ્રીય જનતા દળના કુમારી અનિતાને 80870 મતથી હરાવ્યા હતા. એનડીએ સહયોગી સાંસદને કેબિનેટ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.
સર્વાનંદ સોનોવાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે આસામની દિબ્રુગઢ બેઠકથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. અને તેમણે આસામ રાષ્ટ્ર પરષદના ઉમેદવાર લુરીનજ્યોતિ ગોગોઈને 279321 મતથી હરાવી મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું.
ડો. વિરેન્દ્ર કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે મધ્ય પ્રદેશની ટીકમગઢ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ખુમાન યુઆરએફ પંકજ અહીરવારને 403312 મતથી હરાવી મોદી કેબિનેટમાં પહોંચ્યા છે.