/indian-express-gujarati/media/media_files/2025/12/23/national-farmers-day-23-december-2025-2025-12-23-11-51-10.jpg)
National Farmers Day 23 December 2025 : રાષ્ટ્રીય કિસાન દિવસ ભારતમાં 23 ડિસેમ્બરે ઉજવાય છે. (Photo: Freepik) Photograph: (Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/23/national-farmers-day-2025-2025-12-23-11-51-10.jpg)
National Farmers Day 2025 History and Significance : રાષ્ટ્રિય કિસાન દિવસ 2025 ઇતિહાસ અને મહત્વ
કિસાન દિવસ ભારતમાં દર વર્ષે 23 ડિસેમ્બરે ઉજવાય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી, ખેડૂતનું ખાસ મહત્વ છે. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ, ખેડૂતોના અમૂલ્ય યોગદાનને સમ્માનિત કરવા માટે ઉજવાય છે. ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે. તેમનું અથાક કાર્ય રાષ્ટ્રને પોષણ આપે છે, ગ્રામીણ અર્થતંત્રને ટકાવી રાખે છે અને દરેક ઘરને મજબૂત બનાવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે કેમ ઉજવાય છે, ઇતિહાસ, મહત્વ વિશે જાણો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/23/kisan-diwas-2025-chaudhary-charan-singh-2025-12-23-11-51-10.jpg)
Kisan Day 2025 Date : રાષ્ટ્રીય કિસાન દિવસ 23 ડિસેમ્બરે કેમ ઉજવાય છે?
રાષ્ટ્રીય કિસાન દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. તેમણે ગ્રામીણ મુદ્દાઓની ઊંડી સમજણ અને ખેડૂતોના કલ્યાણ માટે હિમાયત કરી હતી. તેનો જન્મ 23 ડિસેમ્બર, 1902ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના નૂરપુર ગામમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો. (Photo : Freepik)
/indian-express-gujarati/media/media_files/2025/12/23/kisan-diwas-2025-2025-12-23-11-51-10.jpg)
Kisan Diwas 2025 History : રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવણીની શરૂઆત કેવી રીતે થઇ?
ચૌધરી ચરણ સિંહ ભારતના 5માં વડાપ્રધાન હતા. તેઓ વર્ષ 1979 થી 1980 દરમિયાન ભારતના વડાપ્રધાન બન્યા હતા અને આ દરમિયાન ખેડૂતોના હિત માટે કામગીરી કરી હતી. તેના યોગદાનને સમ્માનિત કરવા માટે વર્ષ 2001માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી એ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવાય છે. ચૌધરી ચરણ સિંહને ભારતના રાજકારણમાં ખેડૂતોના સશક્તિ પ્રતિનિધિ અને ગ્રામીણ ભારતની અવાજ માનવામાં આવે છે. તેનું સંપૂર્ણ રાજકીય જીવન ખેડૂત, ખેત મજૂરો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસને સમર્પિત હતું.
/indian-express-gujarati/media/media_files/2025/12/23/kisan-day-2025-2025-12-23-11-51-10.jpg)
National Farmers Day 2025 Significance : રાષ્ટ્રીય ખેડૂત દિવસ મહત્વ અને ઉદ્દેશ્ય
રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવવાનો હેતુ ભારતના ખેડૂતોના યોગદાનને માન્યતા આપવા અને તેના જીવન ધોરણમાં સુધારણા લાવવાનો છે. આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમા ખેડૂતોને ખેતીની નવી ટેકનોલોજી અને યોજનાઓ વિશે જાણકારી આપવાનો છે. આ દિવસ ખેડૂતોને તેમની સમસ્યા અને મુશ્કેલી અને લક્ષ્યો વિશે ચર્ચા કરવાની તક આપે છે, સાથે જ ખેડૂતોના સંઘર્ષને સમજવા અને તેમનું સમાધાન શોધવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને તેમની કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ થવાનો પણ હેતું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us