Kuwait fire tragedy : કુવૈતમાં ભીષણ આગમાં હોમાયેલા ભારતીય મજૂરોના મૃતદેહોને વતન લાવવા માટે એરફોર્સનું હર્ક્યુલસ વિમાન કુવૈત જવા માટે રવાના થયું છે. તો બીજી તરફ કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મૃતદેહોને રિસિવ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસનો મોટો કાફલો પણ એરપોર્ટ ઉપર હાજર છે. કુવૈતમાં આગની ઘટનામાં 45 ભારતીય મજૂરોના મોત થયા છે. (Express photo - Nitin RK)
ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દિલ્હીના હિંડન એરબેઝથી કુવૈત જવા રવાના થયું છે જેથી જીવ ગુમાવનારા મજૂરોના મૃતદેહ પરત લાવવામાં આવે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું હર્ક્યુલસ એરક્રાફ્ટ કુવૈત માટે રવાના થઈ ગયું છે અને આજે સવારે પરત આવવાની અપેક્ષા છે. (Express photo - Nitin RK)
કુવૈતના વિદેશ પ્રધાન અબ્દુલ્લા અલી અલ-યાહ્યાએ પણ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહને માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહોને તેમના વતન ઝડપથી પરત કરવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રી અબ્દુલ્લાએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તબીબી સંભાળ અને ઘટનાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. (Express photo - Nitin RK)
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કુવૈતની મુબારક અલ કબીર હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં આગની ઘટનામાં ઘાયલ સાત ભારતીયોની સારવાર ચાલી રહી છે. તેમણે તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી અને તેમને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી. (Express photo - Nitin RK)
સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે 19 ટન વજન ઉપાડી શકે છે. ઉપરાંત, હર્ક્યુલસ એરક્રાફ્ટ મોટા રનવે વિના ટૂંકા અંતરે ટેકઓફ કરવા અને ઉતરાણ કરવામાં સક્ષમ છે. તે ખૂબ જ ટૂંકા રનવે પર પણ ટેક ઓફ કરી શકે છે. (Express photo - Nitin RK)
આ સિવાય આ એરક્રાફ્ટ ખરબચડી જમીન પર પણ લેન્ડિંગ કરવામાં સક્ષમ છે. હર્ક્યુલસ એરક્રાફ્ટ 643 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે અને એક સમયે 7000 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. કુવૈતથી ભારતનું અંતર લગભગ 5100 કિલોમીટર છે. આવી સ્થિતિમાં પ્લેન એક જ વારમાં કુવૈત જઈ શકે છે. (Express photo - Nitin RK)