Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/pushkar-Visit.jpg)
રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે જેમાં પુષ્કર પ્રસિદ્ધ તીર્થ ધામ હોવાની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસ પણ છે. દિવાળી પુષ્કળમાં સાત દિવસ વિશ્વ પ્રસિદ્ધ મેળાનું આયોજન થાય છે. આ વખતે 9 થી 15 નવેમ્બર સુધી પુષ્કળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને રાજસ્થાનની સંસ્કૃતિ માણે છે. બ્રહ્માજીનું એક માત્ર મંદિર પર પુષ્કરમા આવેલું છે. જો તમે પુષ્કળ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો અહીં જોવા લાયક સ્થળ કેવી રીતે જવું અને ક્યા રોકાવું વગેરે વિગત જણાવી રહ્યા છીએ. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/PUSHKAR-LAKE.jpg)
પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. અમદાવાદથી જયપુર જતી વખતે વચ્ચે અજમેર આવે છે. પુષ્કર અજમેરથી માત્ર 10 કિમી અને જયપુરથી 150 કિમી દૂર છે. પુષ્કરનું નજીકનું રેલવે સ્ટેશન અજમેર અને એરપોર્ટ જયપુર એરપોર્ટ છે. અમદાવાદથી જયપુર અને દિલ્હી જતી ટ્રેનો અજમેર થઇને જાય છે. અજમેર દેશભરના મુખ્ય શહેરો સાથે રોડ, ટ્રેન અને હવાઇ માર્ગે જોડાયેલું છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Pushkar-Lake-1.jpg)
પુષ્કર એક તીર્થધામ પણ છે. આથી અહીં સસ્તી ધર્મશાળાથી લઇ મોંઘી હોટેલ ઉપલબ્ધ છે. તમે રોકાવા માટે તમારા બજેટ અનુસાર ધર્મશાળા અને હોટેલની પસંદગી કરી શકો છો. અહીં 500 રૂપિયામાં એક દિવસ માટે રૂમ મળી શકે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/brahma-temple-VARAHA-TEMPLE.jpg)
પુષ્કર તીર્થધામ હોવાથી અહીં ઘણા પ્રાચીન મંદિરો અને ફરવા લાયક સ્થળો છે. પુષ્કળમાં એક વિશાળ તળાવ છે, જે બહુ પવિત્ર માનવામાં આવે છે. આ તળાળની ચારે બાજુ 50થી વધુ ઘાટ બનેલા છે. તળાવની નજીક ભગવાન બ્રહ્માજીનું મંદિર છે. દુનિયાનું એક માત્ર બ્રહ્માજીના મંદિરનું નિર્માણ 14મી સદીમાં થયું હોવાની માન્યતા છે. અહીં વરાહ મંદિર છે, જે ભગવાન વિષ્ણના વરાહ અવતારને સમર્પિત છે. પુષ્કળ શહેરમાં રંગજી મંદિર છે, જે દક્ષિણ ભારતીય સ્થાપિત્ય શૈલીમાં બનેલું છે. તળાવ નજીક આપ્તેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં પંચમુખી ભગવાન શિવની પ્રતિમા છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Pushkar-Mela.jpg)
પુષ્કળમાં વિશ્વ પ્રસિદ્ધ ઉંટનો મેળો ભરાય છે. અહીં ઉંટનું ખરીદ વેચાણ થાય છે. ઉંટ ઉપરાંત અહીં ઘોડાનું પણ બજાર ભરાય છે. આકર્ષક રીતે શણગારીને આવેલા ઉંટો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓ અહીં ઉંટ સવારીની પણ મજા માણે છે. (Photo: Rajasthan Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Pushkar-SAVITRI-TEMPLE.jpg)
પુષ્કળ મેળામાં રાજસ્થાની લોક સંસ્કૃતિનો નજારો માણવા મળે છે. પુષ્કર મેળામાં ઉંટ દોડ, અશ્વ દોડ સહિત વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રાજસ્થાની લોક નૃત્યુ, પરંપરાગત ભોજન, હસ્ત શિલ્પ જોઇ વિદેશી પ્રવાસીઓ આશ્ચર્યચકિત થાય છે. (Photo: Rajasthan Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us