Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/gujarat-tourism-places.jpg)
ગુજરાતમાં ઘણા પ્રખ્યાત જોવાલાયક સ્થળો છે, જે જોવા માત્ર રાજ્ય માંથી જ નહીં દેશ અને દુનિયામાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. ગુજરાતમાં ઘણા કુદરતી સૌંદર્યથી ભરપૂર હિલ સ્ટેશન, દરિયા કિનારાના બીચ, રણ પ્રદેશ અને ઐતિહાસિક સ્થળો છે. ગુજરાત સમૃદ્ધ સાંસ્કૃતિ વારસો ધરાવે છે, જ્યાં દુનિયાની સૌથી જુની માનવ સભ્યતાના અવશેષો જોવા મળે છે. જો તમે ઇતિહાસ પ્રેમી છો તો તમારે ગુજરાતના પ્રખ્યાત 7 ઐતિહાસિક સ્થળની મુલાકાત અચૂક લેવી જ જોઇએ. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/adalaj-stepwell-photo.jpg)
અડાલજ વાવ અમદાવાદ નજીક આવેલું યુનેસ્કો દ્વારા સંરક્ષિત ઐતિહાસિક સ્મારક છે. 500 વર્ષ પહેલા અંદાજે 5 લાખ રૂપિયાના ખર્ચે અડાલજના વીરસંઘ વાધેલાના પત્ની રૂડીબાઇએ પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. 5 માળની આ વાવ જમીનમાં ધસી ન પડે તેની માટે પથ્થરની દિવાલ ચણવામાં આવી છે. આ વાવ સુંદર કોતરણીવાળા સ્તંભો પર ટકેલી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ અડાલજની વાવ જોઇ મુલાકાતીઓ આશ્ચર્ય ચકિત થઇ જાય છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Modhera-Sun-Temple-History.jpg)
મોઢેરા સૂર્યમંદિર ગુજરાતના મહેસાણામાં આવેલું 1000 વર્ષ જૂનું પ્રાચીન સૂર્યમંદિર છે. પુષ્પાવતી નદીના કિનારે વર્ષ 1026 થી 1027 દરમિયાન રાજા ભીમદેવ સોલંકીએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ગૂર્જર સ્થાપત્ય શૈલીમાં નિર્મિત ઉંચા ઓટલા પર નિર્મિત સૂર્યમંદિરની સામે વિશાળ જળ કુંડ છે જેને રામ કુંડ કે સૂર્ય કુંડ કહેવાય છે. આ જળ કુંડમાં નીચે ઉતરવા માટે પથ્થરના શ્રૈણીબદ્ધ પગથિયા બનેલા છે. કુંડની ચારે બાજુ નાની નાની દેરીઓ બનેલી છે. કર્ણાંકના સૂર્યમંદિર બાદ મોઢેરાનું સૂર્યમંદિર સૌથી વધુ પ્રસિદ્ધ છે. સૂર્યસંપાત એટલે કે દિવસ અને રાત સરખા હોય તે દિવસે આ સૂર્યમંદિરમાં સ્થાપિત સૂર્યની પ્રતિમા પર સૂર્યના કિરણ પડે તે રીતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૂર્યમંદિરના પથ્થરો અપ્સરા ગાંધર્વ, ફુલ વેલની સુંદર પ્રતિમા કોતરેલી છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/lothal.jpg)
લોથલ અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિમી દૂર હતો. પુરાતત્ત્વ વિભાગ દ્વારા વર્ષ 1954માં લોથલમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમા એક પ્રાચીન નગરના કિલ્લાની દિવાલ, મકાન, બજાર, જળ વ્યવસ્થાની સુવિધા, માટીના વાસણ, અલંકાર, હાડપિંજર સહિત ઘણા પ્રાચીન અવશેષો મળ્યા હતા. લોથલ ખોદકામમાં મળેલી પ્રાચીન ચીજો અહીં મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે. સૌથી જુની માનવ સંસ્કૃતિના સ્થળોમાં લોથલ સ્થાન ધરાવે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/lakshmi-vilas-palace-2.jpg)
વડોદરાનું લક્ષ્મી વિલાસ મહેલ દુનિયાનું સૌથી મોટું ઘર કહેવાય છે. લક્ષ્મી વિલાસ મહેલ વડોદરાના રાજ પરિવારનું નિવાસ સ્થાન છે. તત્કાલિકન વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1880માં 1.80 લાખ પાઉન્ડમાં લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. 700 એકરમાં ફેલાયેલા લક્ષ્મી વિલાસ મહેલમાં 170 રૂમ છે અને બંકિંગહામ પેલેસથી 4 ગણું મોટું છે. આ મહેલમાં કિંમતી રાચરચીલું, ઝુમ્મર, કલાત્મક ચીજો જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/champaner-1.jpg)
ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે. ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ કરી હતી, ત્યારબાદ વર્ષ 1482માં સુલતાન મહમદ બેગડાએ હુમલો કરી ચાંપાનેર જીતી લીધું હતું. અહીં રાજ કર્યું હતું. ચાંપાનેરમાં મજબૂત કિલ્લો, સુંદર મહેજ અને મસ્જિદો ઇતિહાસની ઝાંખી કરાવે છે. પથ્થર પર ઝીણી નાજીક કોતરણી જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/vadnagar-kirti-toran.jpg)
વડનગર નું કીર્તિ તોરણ મહેસાણા જીલ્લામાં આવેલું છે. વડનગરમાં શર્મિષ્ઠા તળવાના કિનારે 12મી સદીમાં નિર્મિત આ બે તોરણો મારુ-ગુર્જર સ્થાપત્યશૈલીના ઉદાહરણો છે. બે તોરણમાંથી હાલ એક તોરણ ભગ્ન અવસ્થામાં છે. પૂર્વાભિમૂખ 40 ફુટ ઉંચા આ તોરણ લાલ અને પીળા રેતીયા પથ્થરમાંથી બાંધવામાં આવ્યા છે. આ તોરણોના સ્તંભોમાં પદ્મ, કણી, કીર્તિમુખ, ગજ, ગંધર્વની આકૃતિઓ કોતરેલી છે. તોરણના સ્તંભના શિખર પર સિંહનું શરીર અને ગરૂડનું માથું ધરાવતું પાંખોવાળા એક કલ્પિત પૌરાણિક પ્રાણીની આકૃતિ અંકિત થયેલી છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/dholavira.jpg)
ધોળાવીરા કચ્છના ભચાઉમાં લુપ્તપ્રાય સાંસ્કૃતિ નગર છે. વર્ષ 1967માં ધોળાવીરામાં ખોદકામ કરતા ઔતિહાસિક નગર હોવાનું માલૂમ પડ્યું હતું. 2021માં યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ચારે બાદુ દિવાલથી સંરક્ષિત ધોળાવીરામાં રાજ મહેલ, પ્રજાઓના ઘર, મોતી બનાવવાનું કારખાનું, તાંબુ ગાળવાની ભઠ્ઠ મળી આવી હતી. લોથલ જેમ ધોળાવીરા પણ માનવ સંસ્કૃતિના ઇતિહાસને સમજવા માટે મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us