Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lions-2.png)
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે અને તેનો હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. (Photo: https://www.girnationalpark.in/)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lions-4.jpg)
વિશ્વ સિંહ દિવસ જંગલના રાજા સમાન સિંહોની ઘટતી જતી વસ્તી વિશે જાગૃતિ લાવવા અને તેના જતન-રક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. (Photo: https://www.girnationalpark.in/)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lions-5.jpg)
વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2013માં ડેરેક અને બેવર્લી જોબર્ટ દ્વારા કરવામાં આવી હતી. દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે. (Photo: https://www.girnationalpark.in/)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lions-1.jpg)
સમગ્ર એશિયા અને ભારતમાં ગુજરાતનું ગીર જંગલ એશિયાટીક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે. વર્ષ 2020ની ગણતરી મુજબ ગુજરાતમાં 674 સિંહ છે, જે 2015ની ગણતરીની સરખામણીમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો દર્શાવે છે, ત્યારે રાજ્યમાં 523થી વધુ સિંહ હતા. (Photo: https://www.girnationalpark.in/)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/lions.jpg)
IUCNના એક અંદાજ અનુસાર સમગ્ર દુનિયાભરના જંગલમાં હાલ 23,000 થી 39,000 જેટલા સિંહ રહે છે. સિંહો જંગલીમાં 10-14 વર્ષ જીવે છે, જ્યારે તેઓ કેદમાં 20 વર્ષથી વધુ જીવી શકે છે. (Photo: /www.gujarattourism.com)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-96.jpg)
હવે તમે વિચારતા હશો કે સિંહ કયા પ્રાણીથી ડરે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સિંહ હાથીથી ડરે છે. (Photo: Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-97.jpg)
વાઘ સિંહ કરતાં લાંબા, વજનદાર અને મજબૂત હોય છે. વાઘ સિંહો કરતાં વધારે ચપળ, સ્ફૂર્તિલા અને ગુસ્સાવાળા હોય છે, જ્યારે સિંહોને આળસુ માનવામાં આવે છે અને જ્યારે તેમને કંઈક કરવાની જરૂર હોય ત્યારે જ કંઈક કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-99.jpg)
વાઘના શરીર પર કાળી પટ્ટીઓ હોય છે જ્યારે સિંહોના શરીર પર આવા કોઇ નિશાન હોતા નથી. વાઘનું વજન સિંહ કરતા વધુ હોય છે. નર સિંહના ગળા ની આસપાસ લાંબા વાળ હોય છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જયારે માદા સિંહને આ વાળ હોતા નથી. જ્યારે વાઘના શરીર પર આવું કંઈ થતું નથી. વાઘની લંબાઈ 12.5 ફૂટ સુધી હોય છે જ્યારે તેમનું વજન 300 કિલોથી વધુ હોય છે. જ્યારે સિંહની લંબાઈ 6.5 ફૂટથી 11 ફૂટ સુધીની હોઈ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-10T214214.454.jpg)
સિંહને જંગલનો રાજા કહેવાય છે અને તેની પાછળ કેટલાંક કારણો છે. સિંહો મોટાભાગે સમૂહે કે ટોળામાં રહે છે અને તેમના સામાજિકભર્યા વર્તનને કારણે ઘણા સિંહો એક સાથે રહેવાનું પસંદ કરે છે. સિંહોના ટોળાને 'પ્રાઉડ' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ટાઈગરની વાત કરીએ તો તેને એકલા રહેવું ગમે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-10T213922.202.jpg)
દરેક સિંહના સમૂહમાં, એક નર સિંહ ટોળાની કમાન્ડ લે છે અને સિંહણ જૂથનો શિકાર કરે છે. વાઘ, નર હોય કે માદા, પોતાનો શિકાર જાતે જ કરે છે અને પોતાના ખોરાક માટે કોઈના પર નિર્ભર નથી. ટાઇગરને પણ પોતાનો ખોરાક કોઈની સાથે શેર કરવાનું પસંદ નથી. વાઘ હંમેશા રાત્રે શિકાર કરે છે જ્યારે સિંહ દિવસ હોય કે રાત દરેક સમયે શિકાર માટે તૈયાર હોય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-100.jpg)
જો સૌથી ભાગવાની ઝડપ વિશે વાત કરીયે તો સિંહ કરતા વાઘ આ મામલે પણ આગળ છે. સિંહ એક સમયે 50 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જ્યારે ટાઈગર 55 માઈલ પ્રતિ કલાકની ઝડપે ભાગી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-10T214227.353.jpg)
તાંઝાનિયા આફ્રિકાનું શ્રેષ્ઠ સફારી સ્થળ છે. અંદાજિત 14,000 થી 15,000 સિંહો હજુ પણ આ દેશમાં કરે છે, જે નજીકના દાવેદાર કરતાં ચાર ગણા કરતાં વધુ છે - લગભગ 3,500 સાથે દક્ષિણ આફ્રિકા - અને સેરેનગેટી નિઃશંકપણે સિંહોના રહેવા માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us