/indian-express-gujarati/media/media_files/2026/01/07/ahmedabad-kite-festival-2026-01-07-16-22-54.jpg)
Makar Sankranti And Uttarayan 2026 : મકર સંક્રાતિ એટલે ઉત્તરાયણ પર ગુજરાતમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. Photograph: (Social Media)
/indian-express-gujarati/media/media_files/2026/01/07/ahmedabad-international-kite-festival-2026-01-07-16-23-48.jpg)
અમદાવાદ, ગુજરાત : આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવ 2026
મકર સંક્રાતી એટલે કે ઉત્તરાયણની મજા માણવી હોય તો ગુજરાતના અમદાવાદથી શ્રેષ્ઠ શહેર બીજું શું હોઇ શકે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 11 થી 15 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાય છે, જેમા દેશ વિદેશના પતંગબાજો ભાગે છે. અમદાવાદનું આકાશ રંગબેરંગી અને વિવિધ પ્રકારના પતંગોથી ભરાઇ જાય છે. ઉપરાંત અમદાવાદની પોળમાં ઉજવાતી ઉત્તરાયણ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ઉત્તરાયણ પર ઉંધયુ જલેબી અને ફાફડાની જયાફ માણવા જેવી હોય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/prayagraj-magh-mela-2026-2026-01-07-16-24-09.jpg)
પ્રયાગરાજ, માઘ મેળો
મકર સંક્રાતિનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. મકર સંક્રાતિના દિવસે દ્વાપરયુગરમાં મહાભારતના પિતામહ ભષ્મે દેહ ત્યાગ કર્યો હતો. મકર સંક્રાતિ પર પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે. આ દિવસે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહાત્મય છે. અહીં ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાનો અદભુત સંગમ થાય છે. ધાર્મિક માન્યતા મુજબ મકર સંક્રાતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી અખૂટ પૃણ્ય મળે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/jaipur-makar-sankranti-2026-01-07-16-24-40.jpg)
જયપુર : પતંગ, મહેલ અને રાજાશાહી
રાજસ્થાનનું જયપુર શહેર તેના મહેલ, કિલ્લા, રાજાશાહી જાહોજલાલી અને લોક સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. દુનિયામાં પિંક સિટીના નામે પ્રખ્યાત જયપુરમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે. જયપુરમાં મકર સંક્રાતિના તહેવાર પર શાહી રંગ ઉમેરાય છે. ઉત્તરાયણ પર અહીંનું આકાશ ગુલાબી પતંગોથી ભરાઇ જાય છે, જેમા અહીંના કિલ્લા અને મહેલ કોઇ નાટક ચાલી રહી હોય તેવા દ્રશ્યો સર્જો છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/assam-bihu-festival-2026-2026-01-07-16-25-02.jpg)
આસામ : માઘ બિહુ અને તહેવાર
મકર સંક્રાતિ પર આસામમાં માધ બિહુ તહેવાર ઉજવાય છે. જેને ભોગાલી બિહુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કૃષિ પાકોની લણણીના અંતે ઉજવવામાં આવે છે. આ દિવસે વાનગી સ્પર્ધા અને રમત સ્પર્ધા છે. આસામના લોકજીવન અને સંસ્કૃતિને નજીકથી માણવા માટે મકર સંક્રાતિ સૌથી શ્રેષ્ઠ સમય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/lohari-2026-2026-01-07-16-25-30.jpg)
અમૃતસર - પંજાબ : લોહરી તહેવાર
મકર સંક્રાતિનો તહેવાર પંજાબમાં લોહરી તરીકે ઉજવાય છે. લોહરી તહેવાર 13 જાન્યુઆરીએ ઉજવાય છે. કૃષિ પાકોની લણણીની ખુશીમાં પંજાબના ખેડૂતો લોહરી ઉજવે છે. જેમા રાતે હોળી જેમ લાકડી સગાવી અગ્નિ દેવને ખુશ કરે છે, તેની પૂજા અને પરિક્રમા કરે છે. સગળત લોહરીમાં તલ સિંગની ચિકી અને રેવડી અર્પણ કરવામાં આવે છે. આ સાથે લોકો ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિનો વાસ થાય તેવી પ્રાર્થના કરે છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/pongal-festival-2026-2026-01-07-16-25-51.jpg)
ચેન્નાઈ, તમિલનાડુ : પોંગલ તહેવાની ઉજવણી
તમિલનાડુમાં મકર સંક્રાંતિનો તહેવાર પોંગલ તરીકે ઉજવાય છે, જે સૂર્ય, પશુઓ અને પ્રકૃતિના માનમાં લણણીનો તહેવાર છે. ચેન્નાઈ અને આસપાસના ગામડાઓ પોંગલ તહેવાર દરમિયાન સુશોભિત ઘરો અને જીવંત કોલમ ડિઝાઇન અને માટીના વાસણોમાં પોંગલ ભાતની પરંરાગત રસોઈ સાથે જીવંત બને છે. આ દિવસે બળદ પકડવાની હરિફાઇ, પશુઓની પૂજા અને સમુદાયિક કાર્યક્રમો યોજાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us