/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-celebration-destination-in-gujarat-2026-02-27-18-08-01.jpg)
Holi Celebration Destination In Gujarat : ગુજરાતમાં હોળી ધુળેટીની ઉજવણી માટે શ્રેષ્ઠ સ્થળો. Photograph: (@avianexperiences)
/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-2026-02-27-18-08-15.jpg)
હોળી ધુળેટી 2026
હોળી હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. પંચાંગ મુજબ ફાગણ સુદ પૂનમ તિથિ પર હોળી અને ત્યાર પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. હોળી પર રાત્રે હોલિકા દહન થાય છે. તો ધુળેટી પર પ્રિયજનોને રંગ લગાવવાની પરંપરા છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/holi-dhuleti-2026-2026-02-27-18-08-51.jpg)
હોળી ધુળેટીનું મહત્વ
હોળી ધુળેટીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. હોળીની તહેવાર ભક્ત પ્રહલાદ તેમજ રાધા કૃષ્ણ સાથે જોડાયેલો છે. મથુરા વૃંદાવનની હોળી દેશભરમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ઘણા સ્થળો પર ધામધૂમથી હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/dwarka-holi-2026-02-27-18-09-44.jpg)
દ્વારકાધીશ મંદિર
ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં હોળી ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરમાં ફુલો અને ગુલાલથી હોળી ધુળેટી રમવામાં આવે છે. અહીં ભક્તિ અને સંસ્કૃતિનો અદભુત સંગમ જોવા મળે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/dakor-temple-2026-02-27-18-10-21.jpg)
રણછોડરાય મંદિર, ડાકોર
ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ હોળી ધુળેટીની રંગચંગે ઉજવાણી થાય છે. ડાકોરમાં હોળી પર 5 દિવસનો ફાગણ મેળો યોજાય છે, જેમા મોટી સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને રણછોડરાય મંદિરે દર્શન કરવા પહોંચે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/shamlaji-mandir-2026-02-27-18-10-54.jpg)
શામળાજી મંદિર
ઉત્તર ગુજરાતમાં આવેલા શામળાજી મંદિરમાં પણ હોળીની અદભૂત ઉજવણી કરવામાં આવે છે. મંદિર પ્રાંગણમાં રંગ - ગુલાલ અને ફુલો વડે ભક્તો ભક્તિના રસમાં ભીંજાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/iskcon-temple-holi-2026-02-27-18-11-20.jpg)
ઇસ્કોન મંદિર
ઇસ્કોન મંદિરોમાં પણ હોળી ધુળેટી પર ખાસ કાર્યક્રમ યોજાય છે. ઇસ્કોન મંદિરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીને રંગ લગાવી, ફુલથી હોળી રમાડવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/nathdwara-2026-2026-02-27-18-11-43.jpg)
નાથદ્વારા મંદિર
નાથદ્વારા મંદિરમાં હોળી ધુળેટીની વિધિવત્ત ઉજવણી કરવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા નાથદ્વારા મંદિરનું વિશેષ સ્થાન છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો શ્રીનાથજીના દર્શન કરવા નાથદ્વારા જાય છે. હોળી ધુળેટીના પર્વ પર અહીં હોળી રસિયાની રજૂઆત થાય છે, જે જોવા મોટી સંખ્યામાં ભક્તો નાથદ્વારા આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/27/chemical-free-organic-holi-colour-2026-02-27-18-12-24.jpg)
હોળી ધુળેટી રમવા માટે કેમિકલ ફ્રી હર્બલ કલર બનાવવાની રીત
હોળી ધુળેટી પર એકબીજાને રંગ લગાવવાની પરંપરા છે. અહીં ઘરમાં રહેલી સામગ્રી માંથી કેમિકલ મુક્ત હર્બલ કલર બનાવવાની રીત જણાવી છે. આ ઓર્ગેનિક કલરની ત્વચા પર કોઇ આડઅસર થતી નથી. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us