અભિનત્રી ઇડન રોઝ શ્રેયસ ઐયરના પ્રેમમાં દિવાની બની, માની ચુકી છે પોતાનો પતિ

Edin Rose : અભિનત્રી ઇડન રોઝે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે તે મનમાં શ્રેયસ ઐયર સાથે લગ્ન પણ કરી ચુકી છે અને તે પોતાને આ ક્રિકેટરના બે બાળકોની માતા પણ માની ચૂકી છે.

Edin Rose : અભિનત્રી ઇડન રોઝે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે તે મનમાં શ્રેયસ ઐયર સાથે લગ્ન પણ કરી ચુકી છે અને તે પોતાને આ ક્રિકેટરના બે બાળકોની માતા પણ માની ચૂકી છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Edin Rose, shreyas iyer

અભિનેત્રી અને મોડલ ઈડન રોઝ બિગ બોસ 18 દ્વારા ફેમસ થઈ છે (તસવીર - સોશિયલ મીડિયા)

Edin Rose : ભારતીય ક્રિકેટ ટીમના બેચલર શ્રેયસ ઐયર પર ઘણી યુવતીઓને ક્રશ હશે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈએ જાહેરમાં તેના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ અભિનેત્રી એ બધું જ કહી દીધું જે એકદમ આશ્ચર્યજનક છે. બિગ બોસ 18 દ્વારા ફેમસ થયેલી ઇડન રોઝે શ્રેયસ ઐયર પ્રત્યેનો પ્રેમ બધાની સામે વ્યક્ત કર્યો હતો અને પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ સ્પષ્ટતા કરી હતી.

Advertisment

ઈડન રોઝ શ્રેયસ ઐયરને પતિ માની ચુકી છે

ઈડન રોઝ બિગ બોસ 18 દ્વારા ફેમસ થઈ છે અને તે હજુ સુધી તે સ્ક્રીન પર જોવા મળી નથી. જોકે તે ઘણી ઇવેન્ટ્સમાં ચોક્કસ જોવા મળે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા હતા. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રેયસ ઐયરના પ્રેમમાં પાગલ છે. ઇડન ફિલ્મ જ્ઞાનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે શ્રેયસ ઐયરને ખૂબ પસંદ કરે છે. તે શ્રેયસને એટલો પસંદ કરે છે કે તેણે મનમાં જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો છે.

ઇડને વધુમાં જણાવ્યું હતું કે તેના મનમાં તે શ્રેયસ ઐયર સાથે લગ્ન પણ કરી ચુકી છે અને તે પોતાને આ ક્રિકેટરના બે બાળકોની માતા પણ માની ચૂકી છે. જોકે શ્રેયસ ઈડનને કેટલો પ્રેમ કરે છે તે અંગે તેણે કંઈ કહ્યું નથી, પરંતુ તેની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તેને પંજાબ કિંગ્સના કેપ્ટનને ઘણી પસંદ કરે છે. ઈડનને ક્રિકેટ ખૂબ જ પસંદ છે અને થોડા દિવસ પહેલા તેણે આઈપીએલની એક મેચ દરમિયાન શ્રેયસની ઈનિંગ જોઈ હતી અને તેનાથી તે ખૂબ જ પ્રભાવિત થઇ હતી.

આ પણ વાંચો - ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ : ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક

Advertisment

પંજાબ કિંગ્સનો ફાઇનલમાં પરાજય થયો

તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે આઈપીએલ 2025 માટે ખરીદ્યો હતો. શ્રેયસે 11 વર્ષ બાદ ટીમને આઇપીએલની ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સનો આરસીબી સામે 6 રનથી પરાજય થયો હતો અને ટીમ પ્રથમ વખત આઇપીએલ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઇ હતી. શ્રેયસ ઐયર આ સિઝનમાં કેપ્ટન તરીકે ખૂબ જ સફળ રહ્યો હતો અને તે પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યો હતો.

ક્રિકેટ celebrities સ્પોર્ટ્સ મનોરંજન ન્યૂઝ