એશિયા કપ ટ્રોફી ભારતને ક્યારે મળશે? મોહસિન નકવી અને બીસીસીઆઈ સચિવ વચ્ચેની બેઠકમાં થઇ ચર્ચા

Asia Cup Trophy Controversy : સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાને હરાવી એશિયા કપ જીત્યો હતો. જોકે ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પીસીબી ના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો હતો. ભારતીય ટીમને હજુ ટ્રોફી મળી નથી

Written by Ashish Goyal
November 08, 2025 19:26 IST
એશિયા કપ ટ્રોફી ભારતને ક્યારે મળશે? મોહસિન નકવી અને બીસીસીઆઈ સચિવ વચ્ચેની બેઠકમાં થઇ ચર્ચા
એશિયા કપ જીત્યા બાદ કેપ્ટન સુર્યકુમાર યાદવે ટીમ સાથે AI જનરેટેડ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો - photo- X @surya_14kumar

Asia Cup Trophy Controversy : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ દેવજીત સૈકિયાએ દુબઈમાં આઈસીસીની બેઠકની અલગ પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવી સાથે મુલાકાત કર્યા બાદ પીટીઆઈને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ એશિયા કપ ટ્રોફી વિવાદ પર મડાગાંઠને ઉકેલવામાં સફળ રહ્યા છે. આગામી દિવસોમાં આનો યોગ્ય ઉકેલ શોધવા માટે કામ કરવામાં આવશે.

મોહસિન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ પણ છે. તેમણે એશિયા કપ ટ્રોફી ભારતને સોંપી ન હતી કારણ કે વિજેતા ભારતીય ટીમે તેમના ભારત વિરોધી વલણને કારણે તેમની પાસેથી ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો હતો. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 28 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાયેલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

બીસીસીઆઈના સચિવ અને પીસીબી પ્રમુખ વચ્ચે અલગ બેઠક

સૈકિયાએ શનિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે હું આઈસીસીની અનૌપચારિક અને ઔપચારિક બન્ને બેઠકોનો ભાગ હતો. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી પણ હાજર હતા. ઔપચારિક બેઠક દરમિયાન તે એજન્ડામાં ન હતું, પરંતુ આઈસીસીએ તેના એક વરિષ્ઠ અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીની હાજરીમાં મારી અને પીસીબી પ્રમુખ વચ્ચે એક અલગ બેઠક ગોઠવી હતી.

જલ્દી સમાધાન શોધી કાઢવામાં આવશે

સૈકિયાએ કહ્યું કે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવી ખરેખર સારું રહ્યું. આઇસીસી બોર્ડની બેઠક દરમિયાન યોજાયેલી બેઠકમાં બંને પક્ષોએ સૌહાર્દપૂર્ણ રીતે ભાગ લીધો હતો. સૈકિયાએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં તેનો ઉકેલ શોધી કાઢવામાં આવશે. ટ્રોફી દુબઈમાં એસીસી હેડક્વાર્ટરમાં રાખવામાં આવી છે અને નકવીએ ત્યાંના કર્મચારીઓને સૂચના આપી છે કે તેમની પરવાનગી વિના તેને બીજે ક્યાંય લઇ જવામાં આવે નહીં.

આ પણ વાંચો – અભિષેક શર્માએ રચ્યો ઇતિહાસ, સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ તોડ્યો

નકવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતીયોએ તેમની પાસેથી આ ટ્રોફી સ્વીકારવી પડશે. બીસીસીઆઈના સચિવે કહ્યું કે બંને પક્ષો આ મુદ્દાને વહેલી તકે ઉકેલવા માટે કંઈક કરશે. હવે જ્યારે મડાગાંઠ દૂર થઈ ગઈ છે, ત્યારે વિવિધ વિકલ્પો પર કામ કરવામાં આવશે. સૈકિયાએ કહ્યું કે બીજા પક્ષ પાસે પણ વિકલ્પો હશે અને અમે આ મુદ્દાને ઉકેલવા અને સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવા માટે વિકલ્પો પણ આપીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ