ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે, ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટરે વડોદરાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તો જોઈએ દત્તાજીરાવ ગાયકવાડ કોણ છે.

Written by Kiran Mehta
February 13, 2024 15:14 IST
ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દત્તાજીરાવ ગાયકવાડ નિધન (ફોટો - જનસત્તા)

ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવાર 13 ફેબ્રુઆરી 2024 ના રોજ વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા, તેઓ 95 વર્ષના હતા.

દત્તાજીરાવ ગાયકવાડનું નિધન

પરિવારના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુ (સઘન સંભાળ એકમ) માં દાખલ હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

દત્તાજીરાવ ગાયકવાડે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેમણે 1959 માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. આ જમણા હાથના બેટ્સમેને 1952માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1961 માં ચેન્નાઈમાં પાકિસ્તાન સામે હતી.

દત્તાજીરાવ ગાયકવાડે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા. જેમાં 14 સદીનો પણ સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો. તે 2016માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. પૂર્વ બેટ્સમેન દીપક શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે.

દત્તાજીરાવ ગાયકવાડે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું

દત્તાજીરાવ ગાયકવાડ 1948માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સીકે ​​નાયડુના ભાઈ ટેસ્ટ ક્રિકેટર સીએસ નાયડુના વિદ્યાર્થી હતા. તેમને બરોડાના મહારાજાએ યુવા ખેલાડીઓને તાલીમ આપવા માટે નિયુક્ત કર્યા હતા. દત્તાજીરાવ ગાયકવાડ તે સમયે 12 વર્ષના હતા અને બરોડામાં સીકે ​​નાયડુ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રથમ અંડર-14 અને અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ હતા. સીએસ નાયડુ પાસેથી લેગ સ્પિન અને ગુગલી બોલિંગની રણનીતિ શીખનાર દત્તાજીરાવ ગાયકવાડે 1948 માં બોમ્બે યુનિવર્સિટી (સંકલિત પ્રાંતના ભાગ તરીકે) માટે રણજીમાં પદાર્પણ કર્યું હતું.

આ પણ વાંચો – ભારત VS ઈંગ્લેન્ડ ટેસ્ટ : રાજકોટથી આ ખેલાડી ડેબ્યૂ કરશે? રણજી ટ્રોફી ન રમનારાઓથી બોર્ડ નાખુશ

ઈરફાન પઠાણે પણ શોક વ્યક્ત કર્યો હતો

દત્તાજીરાવ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કરતા ઈરફાન પઠાણે એક પોસ્ટ શેર કરી. તેણે લખ્યું ગાયકવાડ સરએ અથાકપણે બરોડા ક્રિકેટ માટે યુવા પ્રતિભા શોધી કાઢી અને અમારી ટીમના ભાવિને આકાર આપ્યો. તેમને ખૂબ જ મિસ કરવામાં આવશે. ક્રિકેટ સમુદાય માટે મોટી ખોટ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ