/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Team-India-Champion.jpg)
ટી 20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી (તસવીર - બીસીસીઆઈ)
Team India, ટીમ ઈન્ડિયા : ન્યુ જર્સી (યુએસએ) થી આવતી ચાર્ટર ફ્લાઇટ બાર્બાડોસ પહોંચવામાં વિલંબમાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમની સ્વદેશ પરત ફરવામાં વધુ વિલંબ થયો હતો. એર ઈન્ડિયાના વિશેષ ચાર્ટર એરક્રાફ્ટનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) છે. ભારતીય ક્રિકેટ ટીમ, તેમનો સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારજનો, BCCIના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના સભ્યોને ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવશે.
આ તમામ લોકો છેલ્લા ત્રણ દિવસથી હરિકેન બેરીલના કારણે બાર્બાડોસમાં ફસાયેલા છે. રોહિત શર્માની ટીમે શનિવારે, 29 જૂન 2024 ના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ રવિવાર, 30 જૂન, 2024 ના રોજ ભારત જવા રવાના થવાની હતી, પરંતુ વાવાઝોડાને કારણે તેમને ટાપુ રાષ્ટ્રમાં જ રહેવાની ફરજ પડી હતી. બાર્બાડોસમાં હરિકેન બેરીલને કારણે સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું અને તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી.
ટીમ ઈન્ડિયા બપોરે 2 વાગ્યે દિલ્હી જઈ શકે છે
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 2 જુલાઈના રોજ યુએસના ન્યુ જર્સીથી ઉડાન ભરેલું ચાર્ટર પ્લેન સ્થાનિક સમય અનુસાર બપોરે 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર 11:30 વાગ્યે) બાર્બાડોસ પહોંચે તેવી શક્યતા છે. શેડ્યૂલ અનુસાર, પ્લેન હવે બાર્બાડોસથી સવારે 4:30 વાગ્યે (સ્થાનિક સમય) ટેકઓફ થવાની ધારણા છે. દિલ્હી પહોંચવામાં 16 કલાક લાગશે જ્યાં ટીમ ગુરુવારે સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઉતરશે, જો કે ટીમના પ્રસ્થાનમાં વધુ વિલંબ ન થાય.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-cricket-team.jpg)
હરિકેન બેરીલ જમૈકા તરફ આગળ વધી રહ્યું છે
બાર્બાડોસનું ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે ફરી શરૂ થયું. અગાઉ, ભારતીય ટીમ 2 જુલાઈએ સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે રવાના થવાની હતી અને બુધવારે સાંજે 7:45 વાગ્યે (ભારતીય સમય મુજબ) પહોંચવાની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે પરંતુ હજુ સુધી આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો નથી. હરિકેન બેરીલ હવે કેટેગરી 5 થી ઘટીને કેટેગરી 4 નું હરિકેન થઈ ગયું છે અને તે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચોઃ- બાર્બાડોસમાં વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ભારતીય ટીમ ક્યારે સ્વદેશ પરત ફરશે?
રાજીવ શુક્લાએ એક્સ પર આ માહિતી આપી હતી
મંગળવાર, 2 જુલાઈ 2024 ના રોજ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મંગળવારે રાત્રે 8:51 વાગ્યે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું, 'ભગવાનનો આભાર ટીમ ઈન્ડિયા આજે સાંજે બાર્બાડોસથી દિલ્હી માટે ઉડાન ભરી રહી છે. કાલે સાંજ સુધીમાં પહોંચી જશે. ભારે વાવાઝોડાને કારણે તેઓ ત્રણ દિવસ સુધી ત્યાં ફસાયેલા હતા. BCCIએ ખેલાડીઓની સુરક્ષિત ઘરે પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. બીસીસીઆઈના સચિવ જય શાહ પોતે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us