હરભજન સિંહની અપીલ, કહ્યું - એશિયા કપમાં પાકિસ્તાન સામે ન રમે ભારત, લોહી અને પાણી એકસાથે વહીં શકે નહીં

એશિયા કપ 2025 : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે કહ્યું - જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની બાબત છે. દેશ હંમેશા પહેલા આવે છે

એશિયા કપ 2025 : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે કહ્યું - જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની બાબત છે. દેશ હંમેશા પહેલા આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Harbhajan Singh, હરભજન સિંહ

ભારતન ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહ (તસવીર - એએનઆઈ ફાઇલ ફોટો)

Asia Cup 2025, India Pakistan Match : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે ભારતીય ક્રિકેટ ટીમને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી આગામી એશિયા કપ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે. હરભજન એ ભારતીય ચેમ્પિયન ટીમનો ભાગ હતો જેણે તાજેતરમાં રમાયેલી લેજન્ડ્સની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે રમવાનો ઈન્કાર કરી દીધો હતો, જેમાં સેમિ ફાઈનલ પણ સામેલ હતી.

Advertisment

પાકિસ્તાન સામે રમવાનો ઇન્કાર કર્યો હતો

પ્રથમ ડબલ્યુસીએલ ટૂર્નામેન્ટ જીત્યા બાદ ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન બન્યું હતું, પરંતુ કેપ્ટન યુવરાજ સિંહ, શિખર ધવન અને હરભજન સિંહ જેવા ખેલાડીઓ પાકિસ્તાન સાથે રમવાના વિરોધમાં હોવાથી ભારતીય ચેમ્પિયન્સ ટીમે સેમિ ફાઇનલ મેચ છોડી દીધી હતી અને પાકિસ્તાનને ફાઇનલમાં જવા દીધું હતું. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં પણ તેના કટ્ટર હરિફ સામેની મેચમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. ફાઇનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

દેશની ગરિમા સામે ક્રિકેટ ફિક્કું - હરભજન સિંહ

હરભજન સિંહે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓએ (ભારતીય ટીમે) એ સમજવાની જરૂર છે કે શું જરૂરી છે અને શું નથી. આ બિલકુલ સીધી વાત છે. મારા માટે સરહદ પર ઉભા રહેલા સૈનિકોના બલિદાન, જેમના પરિવારો ઘણીવાર તેમને મળી શકતા નથી, જેઓ ક્યારેક પોતાનો જીવ આપી દે છે અને ક્યારેય ઘરે પાછા ફરતા નથી. તેમનું બલિદાન આપણા બધા માટે ઘણું મોટું છે. તેની સરખામણીએ એ સાવ નાની બાબત છે કે આપણે એક ક્રિકેટ મેચ રમવાનું છોડી શકીએ નહીં. આ ઘણી નાની વાત છે.

આ પણ વાંચો - માઇકલ ક્લાર્કે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો આગામી વીરેન્દ્ર સેહવાગ, કહ્યું – તેને મેદાન પર રોકવો અસંભવ

Advertisment

જ્યાં સુધી સરહદ પર તણાવ છે ત્યાં સુધી ક્રિકેટ નહીં: હરભજન સિંહ

હરભજન સિંહે કહ્યું કે આપણી સરકારનું પણ એવું જ વલણ છે એટલે કે લોહી અને પાણી એક સાથે વહી શકે નથી. એવું ન બની શકે કે સરહદ પર લડાઈ થાય, બંને દેશો વચ્ચે તણાવ હોય અને આપણે ક્રિકેટ રમવા જઈએ. જ્યાં સુધી આ મોટા મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ક્રિકેટ ખૂબ જ નાની બાબત છે. દેશ હંમેશા પહેલા આવે છે.

તેમણે એમ પણ કહ્યું કે ભાઈઓ આપણી સરહદ પર ઉભા છે, જે આપણી રક્ષા કરી રહ્યા છે, આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, તેમની હિંમત જોઈ લો, તેઓ ત્યાં કેટલા મોટા દિલ લઇને ત્યાં ઉભા છે અને વિચારો કે તેમના પરિવાર પર ત્યારે શું વિતતી હશે જ્યારે તેઓ ઘરે પાછા ફરતા નથી અને આપણે ક્રિકેટ રમવા માટે જઈએ છીએ.

ભારત ક્રિકેટ ટીમ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ