રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતમ! ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી કોહલી અને જાડેજાનું શું થશે? જાણો

Rohit Sharma Gujarati Latest News : ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ રેડ-બોલ ક્રિકેટ માટે પસંદગીકારોની યોજનાનો હિસ્સો નથી. સિડની ટેસ્ટ પહેલા તેને આ વિશે જણાવી દેવામાં આવ્યું હતું

Written by Ashish Goyal
Updated : January 03, 2025 15:41 IST
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતમ! ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી કોહલી અને જાડેજાનું શું થશે? જાણો
રોહિત શર્માને સિડની ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી (તસવીર - સોશિયલ મીડિયા)

Rohit Sharma Latest News : સિડનીમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ખેલાડી રાષ્ટ્રગીત માટે લાઈનમાં ઉભા રહ્યા હતા ત્યારે રોહિત શર્મા ગેરહાજર જોવા મળ્યો હતો. આ પછી તે ડ્રેસિંગરુમની બહાર એક જગ્યાએ બેઠેલો જોવા મળ્યો હતો. તે કદાચ ગયા અઠવાડિયે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પરની છેલ્લી ક્ષણને યાદ કરી રહ્યો હશે. સફેદ જર્સીમાં ભારત માટે આ તેની છેલ્લી મેચ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ રેડ-બોલ ક્રિકેટ માટે પસંદગીકારોની યોજનાનો હિસ્સો નથી. સિડની ટેસ્ટ પહેલા તેને આ વિશે જણાવી દેવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પસંદગીકારો વિરાટ કોહલી સાથે ભવિષ્યની ચર્ચા કરશે તેવી માહિતી પણ મળી છે. ભારતીય ટીમ તેના મોટા પરિવર્તન તબક્કામાં પ્રવેશવાની તૈયારીમાં છે. ટીમમાં અન્ય એક સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજા આ યોજનામાં રહેશે અને પરિવર્તનના સમયમાં ઓલરાઉન્ડરની હાજરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

રોહિતને આરામ આપ્યો કે બહાર કરવાનો નિર્ણય એ ચર્ચાનો વિષય નથી

રોહિત શર્માના સિડનીમાં ન રમવાના કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથેની મિટિંગ બાદ ખેલાડી અને હેડ કોચ ગૌતમ ગંભીરે આ નિર્ણય લીધો છે. રોહિત શર્મા આ સિરીઝમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 3, 6, 10, 3 અને 9ના સ્કોર બનાવ્યા છે. મેદાન પર કેપ્ટનશિપમાં તેનો આત્મવિશ્વાસ ઓછો જણાતો હતો. આવી સ્થિતિમાં રોહિતને આરામ આપવાનો કે બહાર કરવાનો નિર્ણય ચર્ચાનો વિષય નથી.

આ પણ વાંચો – રોહિત શર્મા ટેસ્ટ રિટાયરમેન્ટ મામલે સુનિલ ગાવસ્કરનું મોટું નિવેદન

રોહિત શર્માના બહાર બેસવા પર જસપ્રીત બુમરાહે શું કહ્યું?

સિડનીમાં ટોસ વખતે બુમરાહે ગુરુવારે ઇન્ડિયન એક્સપ્રેસના રોહિત શર્માના બહાર બેસવા અંગેના અહેવાલની પુષ્ટિ કરી હતી. બુમરાહે કહ્યું તે દેખીતી રીતે જ, અમારા કેપ્ટન (રોહિત)એ પણ તેમની નેતૃત્વ ક્ષમતા દર્શાવી છે. તેમણે આ રમતમાં આરામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તો તે બતાવે છે કે અમારી ટીમમાં ઘણી એકતા છે. સ્વાર્થ નથી. જે પણ ટીમના હિતમાં છે, તે અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ભારત ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચશે તો પણ રોહિત નહીં રમે

મોટો સવાલ એ છે કે જો ભારત ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચે છે તો શું ટેસ્ટમાંથી ડ્રોપ કરવામાં આવેલો કેપ્ટન ટીમમાં પાછો ફરી શકે છે. જેમ જેમ પરિસ્થિતિ આગળ વધે છે તેમ તેમ તે અશક્ય છે, કારણ કે રોહિત પાસેથી આગળ વધવાના નિર્ણયમાં પસંદગીકારો એકમત છે. 50 ઓવરના ફોર્મેટમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીના સંદર્ભમાં ભારત પરત ફરવા અંગે ચર્ચા થશે.

(અહેવાલ – વેંકટ કૃષ્ણા બી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ