IND vs BAN: કાનપુર ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માંથી બહાર થઇ શકે છે આ ક્રિકેટર, જાણો કારણ

India vs Bangladesh Test Match: બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટની જેમ કાનપુરમાં પણ ભારતીય ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુબમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલ ટોપ 6માં હોવાનું નક્કી લાગે છે.

Written by Ajay Saroya
September 24, 2024 10:49 IST
IND vs BAN: કાનપુર ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માંથી બહાર થઇ શકે છે આ ક્રિકેટર, જાણો કારણ
India vs Bangladesh Test Match: ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. (Representative Image: Freepik)

India vs Bangladesh Test Match: ભારત બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમના બેટીંગ યુનિટમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે. ચેન્નાઈ ટેસ્ટની જેમ રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલ ટોપ-6માં સ્થાન નક્કી છે.

આ દરમિયાનમાં લખનઉમાં 1 ઓક્ટોબરથી મુંબઇ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની ટ્રોફી રમાશે. આવી સ્થિતિમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, કાનપુર ટેસ્ટની વચ્ચે સરફરાઝ ખાન પડતો મૂકવામાં આવી શકે છે. ઈરાની કપમાં મુંબઈ ટીમની જાહેરાત આજે થઈ શકે છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર રમતા જોવા મળી શકે છે.

કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે સરફરાઝ ખાન રિલીઝ કરવામાં આવી શકે છે

ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે, મુંબઇ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને બાંગ્લાદેશ સામેની ભારતીય ટીમમાં સામેલ સરફરાઝ ખાનને રિલીઝ કરવા વિનંતી કરશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. એવું જાણવા મળ્યું છે કે જો સરફરાઝ ખાન ટેસ્ટ નહીં રમે તો સિલેક્શન કમિટિ મુંબઈના મિડલ ઓર્ડર બેટ્સમેનને રમતના ત્રીજા દિવસે જ રિલીઝ કરી દેશે.

સરફરાઝ ખાન દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં પણ રમ્યો હતો

પ્રથમ રાઉન્ડ બાદ દુલીપ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પસંદગી પામેલા શુભમન ગિલ, કેએલ રાહુલ, રિષભ પંત અને ધુ્રવ જુરેલ સહિતના અન્ય ખેલાડીઓ રમ્યા નહતા. જોકે સરફરાઝ બીજા રાઉન્ડમાં દુલીપ ટ્રોફીમાં રમ્યો. બીજો રાઉન્ડ પૂરો થયા બાદ તેને ચેન્નઈમાં ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો | સચિન તેંડુલકરે 200 ટેસ્ટમા જે રેકોર્ડ બનાવ્યો તેને અશ્વિને 101 મેચમાં જ તોડી નાખ્યો

ડેબ્યૂ સિરીઝમાં સરફરાઝ ખાને પ્રભાવિત કર્યો

સરફરાઝ ખાને આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે ખૂબ જ પ્રભાવિત થયો હતો. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં રિષભ પંત અને વિરાટ કોહલીની વાપસીને કારણે હવે કેએલ રાહુલ બેન્ચ પર બેઠો છે. સરફરાઝ ખાને 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 50ની એવરેજથી 200 રન બનાવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ