ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ જાહેર: ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે, જાણો ફુલ શેડ્યૂલ

India vs England Five Test match Series Schedule and date: ભારત ઇંગ્લેન્ડ પ્રવાસની જાહેરાત થઇ છે. ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. જે આગામી જૂન 2025 માં શરુ થશે. વર્ષ 2027 બાદ ભારત ઇંગ્લેન્ડમાં કોઇ ટેસ્ટ શ્રેણી જીત્યું નથી.

India vs England Five Test match Series Schedule and date: ભારત ઇંગ્લેન્ડ પ્રવાસની જાહેરાત થઇ છે. ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. જે આગામી જૂન 2025 માં શરુ થશે. વર્ષ 2027 બાદ ભારત ઇંગ્લેન્ડમાં કોઇ ટેસ્ટ શ્રેણી જીત્યું નથી.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
ભારત ઇંગ્લેન્ડ પ્રવાસ 2025 જાહેર કરાયો છે. આ ટેસ્ટ સિરીઝમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે | India England tour, Five test match series 2025

India England Tour for Test Series 2025: ભારત ઇંગ્લેન્ડ પ્રવાસ 2025 જાહેર કરાયો છે. (ફોટો ક્રેડિટ BCCI/X)

India vs England Test Series: ભારતે વર્ષ 2007 બાદ ઇંગ્લેન્ડમાં કોઇ ટેસ્ટ મેચ શ્રેણી જીતી નથી. આ સંજોગોમાં ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 2025 કેવો રહેશે? એ પર સૌની નજર છે. આ પ્રવાસમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે.

Advertisment

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ગુરુવારના રોજ ભારત વિ ઇંગ્લેન્ડનો જૂન 2025થી શરુ થનાર પાંચ-ટેસ્ટ મેચની શ્રેણીનો શેડ્યૂલ જાહેર કર્યો છે. બે વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલિસ્ટ્સ ઇંગ્લેન્ડ સામે 2025/27 ચક્રની શરૂઆત હેડિંગલી, એજબેસ્ટન, લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ અને ધ ઓવલ ખાતેની પાંચ ટેસ્ટ સાથે કરશે, જેમાં પ્રથમ મેચ 20 જૂનથી શરૂ થવાની છે.

શ્રેણીની શરૂઆત 2023/25 ચક્ર WTC ફાઇનલ પછી થશે, જે જૂનની શરૂઆતમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાવાની સંભાવના છે. 31 જુલાઈથી શરૂ થતી છેલ્લી મેચ સાથે આ પ્રવાસ ઓગસ્ટની શરૂઆત સુધી લંબાશે.

Advertisment

ઈંગ્લેન્ડમાં આ બંને ટીમો વચ્ચેની આ સતત ચોથી શ્રેણી હશે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચ રમશે. છેલ્લી વખત ભારતે 2021માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે અંતિમ ટેસ્ટ મેચ 2022 સુધી મુલતવી રાખ્યા બાદ આ શ્રેણી (2-2) ડ્રો થઇ હતી.

2007થી ભારતે હજુ સુધી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાઓ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. ઘરઆંગણે 2024ની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં 4-1ના માર્જિનથી વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો- આઈપીએલ 2025 મેગા હરાજી કેવી હશે?

રોહિત શર્મા એન્ડ કંપની પાસે આ વર્ષના અંત સુધીમાં રેડ બોલનું અન્ય કેલેન્ડર છે. જેમાં બાંગ્લાદેશ સામેની બે મેચ અને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચ ઘરઆંગણે છે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ડાઉન અંડર પાંચ ટેસ્ટની શ્રેણી છે.

ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ રોહિત શર્મા