ભારત વિ ઇંગ્લેન્ડ શ્રેણી કાર્યક્રમ, અમદાવાદ અને રાજકોટમાં આ તારીખે રમાશે મેચ

india vs England Series 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી 20 મેચ અને 3 વન-ડે મેચ રમાશે. 22 જાન્યુઆરીથી ટી 20 સાથે શ્રેણીની શરૂઆત થશે

india vs England Series 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી 20 મેચ અને 3 વન-ડે મેચ રમાશે. 22 જાન્યુઆરીથી ટી 20 સાથે શ્રેણીની શરૂઆત થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
team india, indian cricket team

ભારતીય ક્રિકેટ ટીમ (તસવીર - રોહિત શર્મા ટ્વિટર)

india vs England Series 2025 : ભારતીય ક્રિકેટ ટીમ હાલ આરામના મૂડમાં છે. ભારત હવે ઇંગ્લેન્ડ સામે મેચ રમશે. ઇંગ્લેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. 22 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે અને 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન બે મુકાલમાં ગુજરાતમાં થશે. જેમાં એક મેચ રાજકોટમાં રમાશે અને એક મેચ અમદાવાદમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી 20 મેચ અને 3 વન-ડે મેચ રમાશે.

Advertisment

રાજકોટમાં 28 જાન્યુઆરીએ ટી 20 મેચ

રાજકોટમાં 28 જાન્યુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ રમાશે. આ શ્રેણીની ત્રીજી ટી 20 મેચ રહેશે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.00 કલાકેથી શરુ થશે. રાજકોટમાં ભારત છેલ્લે ટેસ્ટ મેચ રમ્યું હતું. ફેબ્રુઆરી 2024માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમાઇ હતી.

અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ વન-ડે મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. આ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે રહેશે. આ મેચ બપોરે 1.30 કલાકેથી શરુ થશે. ભારત છેલ્લે અહીં 2023માં વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું. જેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો.

આ પણ વાંચો - રોહિત શર્મા પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ? આ 4 ખેલાડીઓ છે રેસમાં, જાણો પ્લસ અને માઇનસ પોઇન્ટ

Advertisment

ભારત વિ ઇંગ્લેન્ડ કાર્યક્રમ

  • પ્રથમ T20: 22 જાન્યુઆરી, કોલકાતા
  • બીજી T20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
  • ત્રીજી T20: 28 જાન્યુઆરી, રાજકોટ
  • ચોથી T20: 31 જાન્યુઆરી, પૂણે
  • પાંચમી T20: 2 ફેબ્રુઆરી, મુંબઈ

વન-ડે શ્રેણી

  • પ્રથમ વન-ડે : 6 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી વન-ડે : 9 ફેબ્રુઆરી, કટક
  • ત્રીજી વન-ડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ
ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ સ્પોર્ટ્સ