જસપ્રીત બુમરાહે આખરે મૌન તોડ્યું, આ કારણે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાથી કર્યો ઇન્કાર

Jasprit Bumrah : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે કે તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી હતી

Jasprit Bumrah : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે કે તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Jasprit Bumrah, જસપ્રીત બુમરાહ

ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Express Photo by Sankhadeep Banerjee)

Jasprit Bumrah : ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે પોતાનું મૌન તોડ્યું છે કે તેણે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બનવાની તક કેમ નકારી કાઢી હતી. સ્કાય સ્પોર્ટ્સ માટે દિનેશ કાર્તિક સાથેની વાતચીતમાં બુમરાહે ખુલાસો કર્યો હતો કે અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટિએ તેને રોહિત શર્માના સ્થાને રેડ બોલના કેપ્ટન તરીકેની પહેલી પસંદ તરીકે ઓળખાવી હતી. જોકે ફાસ્ટ બોલરે વર્કલોડ મેનેજમેન્ટ અને લાંબા ગાળાની ફિટનેસની ચિંતાનું કારણ આગળ ધરીને કેપ્ટન પદે રહેવાનો ઈનકાર કરી દીધો હતો.

Advertisment

મેં બીસીસીઆઇ સાથે પાંચ ટેસ્ટની શ્રેણીમાં મારા વર્કલોડ વિશે વાત કરી હતી

ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીની અણધારી નિવૃત્તિનો ઉલ્લેખ કરતાં બુમરાહે કહ્યું હતું કે રોહિત અને વિરાટ આઇપીએલ દરમિયાન નિવૃત્ત થયા તે પહેલાં મેં બીસીસીઆઇ સાથે પાંચ ટેસ્ટની શ્રેણીમાં મારા વર્કલોડ વિશે વાત કરી હતી. મેં એવા લોકો સાથે વાત કરી છે જેમણે મારી પીઠની સારવાર કરી છે. મેં સર્જનો સાથે પણ વાત કરી છે, જેમણે હંમેશાં મને કહ્યું છે કે કામના ભારણ વિશે તમારે કેટલું હોશિયાર હોવું જોઈએ. તેથી મેં તેમની સાથે વાત કરી, અને પછી અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે મારે થોડું હોંશિયાર બનવું જોઈએ.

તાજેતરના વર્ષોમાં બુમરાહની પીઠની ઇજા એક મોટી ચિંતાનો વિષય રહ્યો છે, જેમાં તણાવને લગતી બે ઈજાઓએ તેને લાંબા સમય સુધી રમતથી દૂર રાખ્યો છે. તાજેતરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સીડની ટેસ્ટ દરમિયાન તેને ઈજા થઈ હતી. જે પછી તે ચેમ્પિયન્સ ટ્રોફી અને આઇપીએલના શરુઆતના તબક્કાને ચૂકી ગયો હતો.

બુમરાહે ટીમના સારા ભવિષ્ય માટે નિસ્વાર્થ નિર્ણય લીધો

ટેસ્ટમાં ભારતનો વાઇસ કેપ્ટન હોવા છતાં અને પ્રથમ ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કરવા છતાં (એક ઇંગ્લેન્ડમાં અને બે ઓસ્ટ્રેલિયામાં) બુમરાહે ટીમના સારા ભવિષ્ય માટે કેપ્ટનશિપના વિચારથી દૂર રહેવાનો નિસ્વાર્થ નિર્ણય લીધો હતો.

Advertisment

બુમરાહે કહ્યું કે તેથી મેં બીસીસીઆઈને ફોન કર્યો અને કહ્યું કે હું નેતૃત્વની ભૂમિકામાં જોવા માંગતો નથી કારણ કે હું પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં તમામ ટેસ્ટ મેચ આપી શકીશ નહીં. હા, બીસીસીઆઈ નેતૃત્વ માટે મારી તરફ જોઈ રહ્યું હતું. પરંતુ પછી મારે કહેવું પડ્યું, ના, તે ટીમ માટે પણ યોગ્ય નથી. તમે જાણો છો પાંચ ટેસ્ટની શ્રેણી, ત્રણ મેચ કોઇ બીજુ નેતૃત્વ કરે અને બે મેચ બીજું કોઈ નેતૃત્વ કરે તે ટીમ માટે યોગ્ય નથી. અને હું હંમેશાં ટીમને પ્રથમ રાખવા માંગતો હતો. આ પછી બીસીસીઆઇએ શુભમન ગિલની આગામી ઈંગ્લેન્ડની શ્રેણી માટે નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરી હતી.

આ પણ વાંચો -  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો કાર્યક્રમ, જાણો ભારત આ ચક્રમાં કુલ કેટલી ટેસ્ટ મેચો રમશે

બુમરાહે ભારપૂર્વક જણાવ્યું હતુ કે લીડરશીપની જવાબદારી લેવા કરતાં ખેલાડી તરીકે સતત ઉપલબ્ધ રહેવું વધુ કિંમતી છે, જેના કારણે તેની શારીરિક તંદુરસ્તી જોખમમાં મુકાઈ શકે છે. જો હું એક ખેલાડી તરીકે ત્યાં હોઉં તો પણ હું કેપ્ટન તરીકે ત્યાં નથી. કેપ્ટન્સી એક પોઝિશન છે, પરંતુ ટીમમાં હંમેશા લીડર્સ હોય છે અને હું તે કરવા માંગતો હતો.

મને કેપ્ટન્સી કરતાં ક્રિકેટ વધુ ગમે છે

તેમણે પોતાના નિર્ણયના ભાવનાત્મક ભારનો પણ સ્વીકાર કર્યો હતો. બુમરાહે કહ્યું કે હા, કેપ્ટન્સીનો ઘણો અર્થ હતો. મેં તેના માટે ખૂબ જ મહેનત કરી. પરંતુ કમનસીબે, કેટલીકવાર તમારે મોટી તસવીર જોવી પડે છે. મને કેપ્ટન્સી કરતાં ક્રિકેટ વધુ ગમે છે. એટલે હું માત્ર એક ક્રિકેટર તરીકે અને એક ખેલાડી તરીકે ભારતીય ટીમમાં વધુ યોગદાન આપવા માગું છું. પછી, તમે જાણો છો મહત્વાકાંક્ષાઓ હોય છે, પરંતુ આવું જ થાય છે.

ભવિષ્યને જોતા બુમરાહે પોતાના શરીરને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેથી તે તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટની સેવા કરવાનું ચાલુ રાખી શકે. જો હું સાવચેત ન હોઉં, તો હું ભવિષ્ય વિશે જાણતો નથી અને હું એવી પરિસ્થિતિમાં રહેવા માંગતો નથી કે જ્યાં, તમે જાણો છો, મારે અચાનક આ ફોર્મેટથી દૂર જવું પડશે. તેથી મેં વિચાર્યું કે નિરંતરતા માટે, અને ટીમ માટે તે માત્ર વાજબી છે.

ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill bcci જસપ્રીત બુમરાહ Team India