/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/india-vs-new-zealand-1.jpg)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. (તસવીર- ANI)
ક્રિકેટ વર્લ્ડ કપ સેમિ ફાઇનલ રેકોર્ડ્સ : વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપમાં 8મી વખત સેમિ ફાઇનલમાં પહોંચી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ નવમી વખત વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી છે.
સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ઘણો ખરાબ છે. સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ બહુ ઉત્સાહજનક નથી. જોકે ભારતનો સફળતા દર (43%) ન્યૂઝીલેન્ડ (25%) કરતા ઘણો સારો છે. ચાલો જાણીએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપમાં ક્યારે સેમિ ફાઈનલમાં પહોંચ્યા અને શું પરિણામ આવ્યું.
વન-ડે વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન
| વર્ષ | હરિફ | સ્થળ | પરિણામ |
| 1983 | ઈંગ્લેન્ડ | માન્ચેસ્ટર | ભારતનો 6 વિકેટે વિજય |
| 1987 | ઈંગ્લેન્ડ | મુંબઈ | ભારતનો 35 રનથી પરાજય |
| 1996 | શ્રીલંકા | કોલકાતા | ભારતનો પરાજય |
| 2003 | કેન્યા | ડરબન | ભારતનો 91 રને વિજય |
| 2011 | પાકિસ્તાન | મોહાલી | ભારતનો 29 રને વિજય |
| 2015 | ઓસ્ટ્રેલિયા | સિડની | ભારતનો 95 રને પરાજય |
| 2019 | ન્યૂઝીલેન્ડ | માન્ચેસ્ટર | ભારતનો 18 રને પરાજય |
વન-ડે વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન
| વર્ષ | હરિફ | સ્થળ | પરિણામ |
| 1975 | વેસ્ટ ઈન્ડીઝ | ઓવલ | ન્યૂઝીલેન્ડનો 5 વિકેટ પરાજય |
| 1979 | ઈંગ્લેન્ડ | માન્ચેસ્ટર | ન્યૂઝીલેન્ડનો 9 રને પરાજય |
| 1992 | પાકિસ્તાન | ઓકલેન્ડ | ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી પરાજય |
| 1999 | પાકિસ્તાન | માન્ચેસ્ટર | ન્યૂઝીલેન્ડનો 9 વિકેટે પરાજય |
| 2007 | શ્રીલંકા | કિંગ્સ્ટન | ન્યૂઝીલેન્ડનો 81 રને પરાજય |
| 2011 | શ્રીલંકા | કોલંબો | ન્યૂઝીલેન્ડનો 5 વિકેટથી પરાજય |
| 2015 | દક્ષિણ આફ્રિકા | ઓકલેન્ડ | ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય |
| 2019 | ભારત | માન્ચેસ્ટર | ન્યૂઝીલેન્ડનો 81 રને વિજય |
વન-ડે નોકઆઉટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત 35 વર્ષથી જીત્યું નથી
ભારત અને ન્યૂઝીલેન્ડ ODI ફોર્મેટમાં અત્યાર સુધી નોકઆઉટમાં પાંચ વખત સામસામે આવી ચુક્યા છે. તેમાંથી ભારત માત્ર બે વખત જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વખત જીતી છે. વન-ડેમાં નોકઆઉટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે છેલ્લી જીત 1 એપ્રિલ, 1988ના રોજ મેળવી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાએ શારજાહના મેદાન પર ન્યૂઝીલેન્ડને 52 રને હરાવ્યું હતું.
આ પણ વાંચો - નોકઆઉટમાં રહેશે રિઝર્વ ડે, વર્લ્ડ ચેમ્પિયનને કેટલી ઇનામી રકમ મળશે, જાણો તમામ વિગતો
તે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ રવિ શાસ્ત્રીના હાથમાં હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 250 રન બનાવ્યા હતા. જોન રાઈટની આગેવાની હેઠળની તત્કાલિન કિવી ટીમ 45.3 ઓવરમાં 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી નરેન્દ્ર હિરવાનીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે કપિલ દેવે 7.3 ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા અને ડેની મોરિસનને પણ બોલ્ડ કર્યો હતો.
વન-ડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી નોકઆઉટ મેચનો રેકોર્ડ
| તારીખ | પરિણામ | સ્થળ |
| 05 માર્ચ 1985 | ભારતે 7 વિકેટે જીત મેળવી | સિડની |
| 01 એપ્રિલ 1988 | ભારતે 52 રને જીત મેળવી | શારજાહ |
| 15 ઓક્ટોબર 2000 | ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય | નૈરોબી |
| 06 સપ્ટેમ્બર 2005 | ન્યૂઝીલેન્ડનો 6 વિકેટે વિજય | હરારે |
| 09 જુલાઈ 2019 | ન્યૂઝીલેન્ડનો 18 રને વિજય | માન્ચેસ્ટર |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us