ત્રિવેન્દ્રમ, કોલંબો પછી વાનખેડે… ભારતે આ વર્ષે ત્રીજી વખત શ્રીલંકાને 100થી ઓછા રનમાં આઉટ કર્યું, બીજી વખત 300થી વધુ રનથી હરાવ્યું

2 નવેમ્બર, ગુરુવારે ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું. વાનખેડે ખાતે શ્રીલંકાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે એશિયા કપનો રિપ્લે ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે એવી તોફાન મચાવ્યું હતું કે શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી.

Written by Ankit Patel
Updated : November 03, 2023 07:55 IST
ત્રિવેન્દ્રમ, કોલંબો પછી વાનખેડે… ભારતે આ વર્ષે ત્રીજી વખત શ્રીલંકાને 100થી ઓછા રનમાં આઉટ કર્યું, બીજી વખત 300થી વધુ રનથી હરાવ્યું
મોહમ્મદ શમી photo credit ICC

world cup 2023, cricket new : વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું તોફાની પ્રદર્શન જારી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સતત 7 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. 2 નવેમ્બર, ગુરુવારે ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું. વાનખેડે ખાતે શ્રીલંકાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે એશિયા કપનો રિપ્લે ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે એવી તોફાન મચાવ્યું હતું કે શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી.

2023માં ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકાનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. આ જ વર્ષમાં ત્રીજી વખત શ્રીલંકાની ટીમ 100થી ઓછા રનમાં આઉટ થઈ હતી. ભારતે આ વર્ષે બીજી વખત શ્રીલંકાને 300થી વધુ રનથી હરાવ્યું. જાન્યુઆરીમાં ત્રિવેન્દ્રમ, સપ્ટેમ્બરમાં કોલંબો અને હવે નવેમ્બરમાં વાનખેડેમાં આવું બન્યું છે.

ભારતે 11 મહિનામાં બીજી વખત શ્રીલંકાને 300થી વધુ રનથી હરાવ્યું

શ્રીલંકાની ટીમ જાન્યુઆરી 2023માં ભારતના પ્રવાસે આવી હતી. ત્રિવેન્દ્રમમાં રમાયેલી ODI મેચમાં ટીમનો 317 રનથી પરાજય થયો હતો. વનડે ક્રિકેટમાં આ સૌથી મોટી હાર છે. આ પછી નવેમ્બર 2023માં વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું હતું. 11 મહિનામાં બીજી વખત શ્રીલંકાની ટીમ 300થી વધુ રનથી હારી છે.

શ્રીલંકા એક જ વર્ષમાં ભારત સામે ત્રણ વખત 100થી ઓછા સ્કોર પર આઉટ થયું હતું

ઓડીઆઈ ક્રિકેટના ઈતિહાસમાં ત્રીજી વખત શ્રીલંકાની ટીમ ભારત સામે 100થી ઓછા સ્કોર પર આઉટ થઈ હતી. આ વર્ષમાં ત્રણેય વખત આવું બન્યું છે. વનડેમાં ભારત સામે શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર છે. એશિયા કપમાં ટીમ 50 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ પછી વાનખેડેમાં ટીમ 55 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ પહેલા તે ત્રિવેન્દ્રમમાં 73 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા ઉપરાંત બાંગ્લાદેશ 2014માં 58 રનમાં અને 2005માં ઝિમ્બાબ્વે 65 રનમાં આઉટ થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ- મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

મોહમ્મદ શમીએ બનાવ્યો રેકોર્ડ

શમીએ શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં એક ઓવર મેડન પણ સામેલ હતી. આ 5 વિકેટ સાથે શમી હવે ભારત તરફથી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ઝહીર ખાન અને જનાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો હતો. શમીના નામે હવે વર્લ્ડ કપમાં 14 મેચમાં 45 વિકેટ છે. વર્લ્ડ કપમાં ભારત તરફથી ઝહિર ખાન (23 મેચ)અને શ્રીનાથે (34 મેચ) 44-44 વિકેટ ઝડપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ