Written by Devendra Pandey : Yashasvi Jaiswal Interview, યશસ્વી જયસ્વાલ ઇન્ટરવ્યૂ : ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ અત્યારે લાઇમ લાઇટમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે આ શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં આ ડાબા હાથના ઓપનરે 79.91ની એવરેજથી 712 રન બનાવ્યા હતા. જેમાં 2 બેવડી સદીનો સમાવેશ થાય છે. સિરીઝમાં તેના શાનદાર પ્રદર્શન બાદ યશસ્વી જયસ્વાલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેણે કેપ્ટન અને સાથી ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વિશે વાત કરી.
યશસ્વી જયસ્વાલે રોહિત શર્મા વિશે શું કહ્યું?
યશસ્વી જયસ્વાલે રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે એમ પણ કહ્યું કે રોહિત શર્મા કોઈપણ પરિસ્થિતિમાં તેની સાથે રહેશે. રાહુલ દ્રવિડ અંગે તેણે કહ્યું કે તે સુનિશ્ચિત કરે છે કે મને મેચ વિશે સાચી માહિતી મળે. તે મેચનો આનંદ માણવા કહે છે. બેટિંગ કરતી વખતે તેના સંદેશને ધ્યાનમાં રાખો. તેણે એમ પણ કહ્યું કે તે સફળતા અને નિષ્ફળતા વિશે વધારે વિચારતો નથી.

આ પણ વાંચઃ- IPL 2024 : ઋષભ પંત સહિત આ 5 ભારતીય ખેલાડીઓની થશે વાપસી, ગત સિઝનમાં 3 કેપ્ટન મેદાન બહાર થયા હતા
સવાલ – રોહિત મીડિયામાં કહેતો રહે છે કે ‘જયસ્વાલ રહેવા દો, તેને સ્કોર કરવા દો’ જાણે તે તમને નજરથી બચાવવા માંગે છે. ડ્રેસિંગ રૂમમાં તે તમારી સાથે કેવી રીતે રહે છે?
યશસ્વી જયસ્વાલ – તેને ડ્રેસિંગ રૂમમાં આવવું ખૂબ જ સારું છે. તેના નેતૃત્વમાં રમવું શાનદાર હતું. એવી ઘણી ક્ષણો છે જે હું હમણાં જાહેર કરવા માંગતો નથી. તેને મારી પાસે રહેવા દો. તેણે આ પ્રવાસ દરમિયાન ખેલાડીઓને સાથ આપ્યો છે, તે જે રીતે બોલે છે, જે રીતે બેટિંગ કરે છે. ભલે ગમે તે થાય, તે તમારી સાથે રહેશે. મને લાગે છે કે તમારા કેપ્ટનમાં તે જોવાનું અવિશ્વસનીય છે. હું તેની પાસેથી શીખતો રહીશ.
સવાલ – જ્યારે શોએબ બશીર અને રુટ બોલને ફૂલ રાખતા હતા અને સ્ટંપની બહાર ટપ્પા પડતા હતા ત્યારે તમે સ્ક્વાયર-ડ્રો ઈવ રમતા અને મિસ ટાઇમ થયું, ત્યારબાદ રોહિતે કહ્યું ભાઈ ત્યાં ના માર, અને બેટથી સીધું રમવાનો ઇશારો કર્યો, આ ઓવરમાં તમે રોહિત સામે ત્રણ ફોર ફટકારી હતી, શું તમે આ અંગે વિસ્તાર થઈ જણાવશો?
યશસ્વી જયસ્વાસ – તેમણે આવીને મને કહ્યું કે આ સમયે આ શોય નહીં રમી શકે, સીધું મારવું સારું રહેશે. એટલા માટે હું સીધા પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યો હતો. મારે તમને જણાવવું પડે કે તેમની નજરથી કંઈ છૂટતું નથી. તેમને બધુ ખબર હોય છે. આ સૌથી મોટો ગુણ છે. તેઓ વસ્તુને જાણે છે કે શું ચાલે છે. તેમની આસપાસ રહેવું ખુબ જ મજેદાર હોય છે.
સવાલ – રાહુલ ડ્રવિડ સાથે કોઈ ખાસ પળ, કોઈ ટિપ અથવા સલાહ જે ખાસ હોય?
યશસ્વી જયસ્વાલ – ડ્રવિડ સર અમને સપોર્ટ કરે છે. તેઓ આવે છે અને અમારી સાથે વાત કરતા રહે છે. તેઓ પૂછતા હોય છે કે દિમાગમાં શું ચાલી રહ્યું છે. તેઓ સુનિશ્ચિત કરતા હોય છે તે હું તેમની સાથે વાત કરી સકૂં અને રમત વિશે યોગ્ય જાણકારી મેળવી શકું. તેઓ અમને વિશ્વાસ અપાવે છે કે અમે આ કરી લઈશું. તેઓ અમને રમતનો આનંદ લેવા અને સ્થિતિથી અવગત રહેવા માટે કહે છે. હું બેટિંગ કરતા સમયે આ જ સંદેશ યાદ રાખું છું.
સવાલ – શું ઈંગ્લેડ વિરુદ્ધ સિરિઝ એક સપના જેવી લાગે છે?
યશસ્વી જયસ્વાલ – આ એક સારો અહેસાસ છે. હું ખુશ છું પરંતુ હું વધારે કેન્દ્રિત રહેવા માગું છું. જેથી કરીને આપણી ટીમ માટે સારું પ્રદર્શન કરી શકું. હું આજે કોઈપણ વસ્તુ વિશે વિચારું છું પરંતુ હું એક સમયે એક મેચ વિશેવ જ વિચારતો હોવ છું. મને ખબર નથી કે કાલે શું થશે. એટલા માટે હું વધારે વિચારતો નથી.
સવાલ – શું 700થી વધારે રન બનાવ્યા બાદ તમને ઉત્સાહ મહેસૂસ થયો?
યશસ્વી જયસ્વાલ – ના, ક્રિકેટમાં દરરોજ મહેનત કરવી પડે છે. હું સફળતા અને નિષ્ફળતા વિશે વધારે વિચારતો નથી. આ એક અનિશ્ચિત રમત છે. હું સફળતાનો આનંદ લઉં છું અને તેનાથી શીખું છું. જ્યારે હું નિષ્ફળ થઉં છું તો હું એ શીખવાની કોશિશ કરું છું કે આને સુધારવા માટે હું શું કરી શકું છું.