IPL 2024 Final SRH vs KKR: ચેન્નાઈમાં કોણ જીતશે? બેટ્સમેન કે બોલરનો ચાલશે સિક્કો, ટોસ જીતવાથી શું થશે ફાયદો?

IPL 2024 Final Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ 2024 ફાઈનલ મેચ રમવામાં આવશે, તો જોઈએ પીચ રિપોર્ટ, ટોસ જીતનાર શું નિર્ણય લેશે.

IPL 2024 Final Kolkata Knight Riders vs Sunrisers Hyderabad : કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલ 2024 ફાઈનલ મેચ રમવામાં આવશે, તો જોઈએ પીચ રિપોર્ટ, ટોસ જીતનાર શું નિર્ણય લેશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
IPL 2024 Final SRH vs KKR

આઈપીએલ ફાઈનલ, સનરાઈઝર્સ હૈદરાબાદ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ

IPL 2024 Final SRH vs KKR | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, આઈપીએલ 2024 ફાઈનલ : IPL 2024 ની ફાઇનલ મેચ રવિવારે ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. અહીં બીજી ક્વોલિફાયર મેચ રમાઈ હતી, જેમાં રાજસ્થાન હારી ગઈ હતી અને ફાઇનલમાં પહોંચવામાં ચૂકી ગઈ. આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અહીં જ ટીમ ચૂક કરી ગઈ.

Advertisment

આવી સ્થિતિમાં ફાઇનલ મેચમાં પણ ટોસ મહત્વનો બની રહ્યો છે અને ટોસ જીતનારી ટીમ માટે પહેલા બેટિંગ કરવી ફાયદાકારક રહેશે તેવું માનવામાં આવે છે. આ સિવાય આ મેચમાં પિચની ભૂમિકા પણ મહત્વની રહેવાની છે, તો ચાલો જાણીએ કે, અહીં કોનો સિક્કો ચાલશે, બેટ્સમેન કે બોલરનો.

સ્પિનરને પીચ પર ઘણી મદદ મળશે

ક્વોલિફાયર 2 માં, બધાએ જોયું કે, બીજી ઇનિંગમાં બેટિંગ કરનાર રાજસ્થાનની શું હાલત થઈ હતી. કેપ્ટન સંજુ સેમસને પણ સ્વીકાર્યું કે, પિચ પર સ્પિન જબરદસ્ત હતી અને તેના કારણે તેના બેટ્સમેન સારી બેટિંગ કરી શક્યા ન હતા. આનો અર્થ એ છે કે, ચેપોકની પીચ પર સ્પિનરોને સંપૂર્ણ રીતે મદદ મળશે. કોઈપણ રીતે, પરંપરાગત રીતે આ મેદાન પરની પિચ સ્પિન બોલરોને પણ મદદ કરે છે.

તેનો અર્થ એ છે કે, સ્પિન ફ્રેન્ડલી પિચ પર બેટ્સમેનો માટે રમવું મુશ્કેલ બનશે. અહીં, મોટી ઇનિંગ્સ રમવા માટે, બેટ્સમેને પહેલા સેટ થવું પડશે, એટલે કે, તેણે મહત્તમ સમય ક્રિઝ પર પસાર કરવો પડશે અને પછી સેટ થયા પછી, બેટ્સમેન સારી ઇનિંગ્સ રમી શકે છે.

Advertisment

ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવી ફાયદાકારક રહેશે

ચેપોકમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી કોઈપણ ટીમ માટે ફાયદાકારક રહેશે. ચેન્નાઈની વાત કરીએ તો, અહીં અત્યાર સુધી 84 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 49 મેચ જીતી છે, જ્યારે પીછો કરતી ટીમોએ માત્ર 35 મેચ જીતી છે.

આ પણ વાંચો - RR vs SRH IPL 2024 Qualifier 2 Highlights : આઈપીએલ 2024, સનરાઈઝર્સ હૈદરાબાદ ફાઈનલમાં, રાજસ્થાનના અભિયાનનો અંત

મતલબ કે આંકડા મુજબ આ મેદાન પર પહેલા બેટિંગ કરવી વધુ સારું રહેશે. જોકે આ સિઝનમાં ચેન્નાઈમાં 8 મેચ રમાઈ હતી, જેમાં પીછો કરતી ટીમ 5 મેચમાં વિજયી રહી હતી, પરંતુ બીજા ક્વોલિફાયરને જોતા એવું લાગી રહ્યું હતું કે, ફાઈનલમાં ટોસ જીતનાર ટીમનો યોગ્ય નિર્ણય બેટિંગ હશે. KKR અને હૈદરાબાદ વચ્ચેની ફાઈનલમાં પિચ અને ટોસની ભૂમિકા પણ મહત્વની રહેવાની છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ Express Exclusive IPL દેશ