આઈપીએલ 2024 : કોણ પહોંચશે પ્લેઓફમાં, ચેન્નાઈ કે બેંગ્લોર, આવું છે સમીકરણ

IPL 2024 RCB vs CSK Playoffs Scenario : આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્દસ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. ચોથા સ્થાન માટે સીએસકે અને આરસીબી વચ્ચે ટક્કર છે

IPL 2024 RCB vs CSK Playoffs Scenario : આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્દસ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. ચોથા સ્થાન માટે સીએસકે અને આરસીબી વચ્ચે ટક્કર છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2024 playoff scenarios, IPL 2024 playoff, IPL 2024, RCB vs CSK playoffs scenario

આઈપીએલ 2024ની પ્લેઓફની રેસ રસપ્રદ બની ગઇ છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2024 RCB vs CSK Playoffs Qualification Scenario : આઈપીએલ 2024માં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. પહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને બીજી ટીમ રાજસ્થાન રોયલ્સ છે. આ બંને બાદ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. હવે પ્લેઓફ માટે એક સ્થાન બાકી છે અને આ માટે બે ટીમો વચ્ચે આકરી સ્પર્ધા છે. જેમાં પ્રથમ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની છે. આ બન્નેમાંથી કોઈ પણ એક ટીમ હવે પ્લેઓફમાં પહોંચી શકે છે.

Advertisment

સીએસકે પર પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો

શનિવારે 18 મે ના રોજ સીએસકે અને આરસીબી વચ્ચે મેચ રમાવાની છે અને આ મેચમાં બંને ટીમોની જીત જરૂરી છે. જો સીએસકે જીતશે તો આરસીબીની રમત પૂરી રીતે ખતમ થઈ જશે અને તે પ્લેઓફ સુધી નહીં પહોંચી શકે. પરંતુ બીજી તરફ આરસીબી માટે ફક્ત જીત જરૂરી નથી તેણે રનરેટ ઉપર પણ ધ્યાન રાખવો પડશે. તો જ તે સીએસકેથી આગળ નીકળી શકે છે.

આવું છે સમીકરણ

હાલની સ્થિતિ પર નજર કરીએ તો સીએસકે અત્યાર સુધી 13 મેચ રમી ચૂકી છે, જેમાં આ ટીમે 7 મેચ જીતી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 7 જીત સાથે સીએસકેના 14 પોઇન્ટ છે અને માત્ર એક જીત તેમને પ્લેઓફમાં લઈ જશે. પરંતુ આરસીબીની વાત કરીએ તો આ ટીમે 13 માંથી 6 મેચ જીતી છે અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આરસીબીના 12 પોઇન્ટ છે અને આ ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવાની શાનદાર તક છે.

આ પણ વાંચો - અમદાવાદમાં વરસાદના કારણે મેચ થઇ હતી રદ, જાણો પ્રશંસકો ટિકિટના પૈસા કેવી રીતે પાછા મેળવી શકશે

Advertisment

સીઅસકે અને આરસીબીની રનરેટ કેવી છે

સીએસકેની રનરેટ હાલમાં +0.528 છે, જ્યારે આરસીબીની રન રેટ +0.387 છે. હવે આ સ્થિતિમાં જો આરસીબી સીએસકેને સારા રન માર્જિનથી હરાવશે તો તેના પણ 14 પોઇન્ટ થઇ જશે અને તેનો રનરેટ સીએસકે કરતા સારો થઇ શકે છે. જો જીત બાદ આરસીબીની રનરેટ સીએસકે કરતા સારી હશે તો આરસીબી માટે તક હશે અને સીએસકેને પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડશે.

માની લો કે જો આરસીબી આ મેચમાં પહેલા બેટિંગ કરે અને 20 ઓવરમાં 200 રન બનાવે તો આ સ્થિતિમાં તેમણે સીએસકેને 18 રનથી હરાવવું પડશે અને જો તેમને 200 રનનો ટાર્ગેટ મળશે તો તેમણે આ લક્ષ્યને 18.1 ઓવરમાં હાંસલ કરવું પડશે. આરસીબીની જીત બાદ તેમની નેટ રનરેટમાં 0.3નો વધારો થશે. હાલમાં આરસીબીની રનરેટ +0.387 છે જ્યારે સીએસકેની રનરેટ +0.528 છે.

વરસાદ પડશે તો ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી જશે

વરસાદના કારણે જો આ મેચ રદ થશે તો ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી જશે. કારણ કે સીએસકેના 14 પોઇન્ટ છે અને વરસાદના કારણે રદ થાય તો તેના 15 પોઇન્ટ થઇ જશે. બીજી તરફ આરસીબીના 12 પોઇન્ટ છે અને તેને 1 પોઇન્ટ મળે તો તેને 13 પોઇન્ટ જ થશે.

chennai super kings IPL Mahendra Singh Dhoni Virat Kohli રોયલ ચેલેન્જર્સ બેંગલોર સ્પોર્ટ્સ