રોહિત શર્મા ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નિષ્ફળ, માત્ર 3 રન પર આઉટ

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ડોમેસ્ટિક ક્રિકેટમાં દસ વર્ષ બાદ પરત ફર્યો છે પરંતુ આ કમબેક નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ટીમ તરફથી રમી રહેલ રોહિત શર્મા માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ડોમેસ્ટિક ક્રિકેટમાં દસ વર્ષ બાદ પરત ફર્યો છે પરંતુ આ કમબેક નિરાશાજનક રહ્યું છે. મુંબઈ ટીમ તરફથી રમી રહેલ રોહિત શર્મા માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
રોહિત શર્મા ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નિષ્ફળ, માત્ર 3 રન પર આઉટ | Rohit Sharma Fails In Domestic Cricket Ranji Trophy

મુંબઈમાં રણજી મેચમાં રોહિત શર્મા. (ફોટો અમિત ચક્રવર્તી એક્સપ્રેસ ફોટો)

મુંબઈ: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા એ દસ વર્ષ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે જોકે અહીં પણ એનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મુંબઈ અને જમ્મુ કાશ્મીર વચ્ચે રણજી ટ્રોફીની મેચમાં ફાસ્ટ બોલર ઉમર નઝીરના બોલ પર પુલ શોટ રમતાં રોહિત માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 28 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો અને 19 બોલ રમ્યો જેમાં તેણે માત્ર 3 રન બનાવ્યા હતા.

Advertisment

રોહિતનો શોટ મિડ-ઓફ પર ઉભેલા પારસ ડોગરાના હાથમાં સીધો જ ગયો. MCA-BKC મેદાન પર દર્શકોએ "મુંબઈ કા રાજા - રોહિત શર્મા" ના જોરદાર નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ તે લાંબી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. અગાઉ રોહિત ઉમર નઝીરની ઓવરમાં મૂંઝવણમાં દેખાયો હતો અને આ ઓવર મેડન ગઇ હતી.

https://twitter.com/BCCIdomestic/status/1882341547112563166

મુંબઈ ટીમ મુશ્કેલીમાં

મુંબઈ માટે ઓપનર યશસ્વી જયસ્વાલ પણ ફોર્મમાં દેખાયો ન હતો. તે પણ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. તે નબીના બોલ પર LBW થયો હતો. કેપ્ટન અજિંક્ય રહાણે પણ 12 રનના સ્કોર પર ઉમર નઝીર દ્વારા બોલ્ડ થયા હતા, જેનાથી મુંબઈ ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ હતી.

સિનિયર ખેલાડીઓનું કમબેક

BCCI એ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે કરારબદ્ધ ભારતીય ક્રિકેટરોને, જ્યારે તેઓ રાષ્ટ્રીય ફરજો પર ન હોય, ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં છેલ્લી ટેસ્ટમાંથી રજા લીધા બાદ રોહિત શર્મા ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત ઓછા સ્કોરના કારણે તેના ફોર્મને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.

Advertisment

જયસ્વાલ, ગિલ અને શ્રેયસ પણ આઉટ ફોર્મ

બીજી બાજુ, વિરાટ કોહલી પણ ફોર્મમાં પાછા ફરવા માટે રેલવે સામેની મેચ માટે દિલ્હીની ટીમમાંથી રમી રહ્યો છે. પંજાબ તરફથી રમતાં શુભમન ગિલ કર્ણાટક સામે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો, ટીમે માત્ર 14 રન પર 4 વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર પણ સસ્તામાં આઉટ થયો હતો.

મુંબઈની હાલની પરિસ્થિતિ અને મહત્વના ખેલાડીઓની ફોર્મની કમી તેના પ્રદર્શનને સખત અસર પહોંચાડી રહી છે, જેને ડોમેસ્ટિક સિઝનમાં સુધારવાની જરૂર છે.

ભારત ક્રિકેટ ટીમ ક્રિકેટ રોહિત શર્મા Virat Kohli