શિક્ષક દિવસ પર સચિન તેંડુલકરે કહ્યું - આ 3 લોકોનો હંમેશા આભારી રહીશ

Teachers Day 2025 : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ અવસર પર ભારત રત્ન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના જીવનમાં માર્ગદર્શન આપનાર ત્રણ મહત્વની હસ્તીઓને યાદ કરી

Teachers Day 2025 : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ અવસર પર ભારત રત્ન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના જીવનમાં માર્ગદર્શન આપનાર ત્રણ મહત્વની હસ્તીઓને યાદ કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sachin Tendulkar Teachers Day

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના જીવનમાં માર્ગદર્શન આપનાર ત્રણ મહત્વની હસ્તીઓને યાદ કરી (સચિન તેંડુલકર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ)

Teachers Day 2025 : ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ અવસર પર ભારત રત્ન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના જીવનમાં માર્ગદર્શન આપનાર ત્રણ મહત્વની હસ્તીઓને યાદ કરી હતી. સચિન તેંડુલકરે ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાંથી એક તેના પિતા રમેશ તેંડુલકર, બીજો તેમના ક્રિકેટ ગુરુ રમાકાંત આચરેકર અને ત્રીજી તેમના મોટાભાઈ અજીત તેંડુલકરની છે. સચિનના જીવન અને કારકિર્દીને ઘડવામાં આ ત્રણેયનું વિશેષ યોગદાન રહ્યું છે.

Advertisment

શિક્ષક દિવસ પર સચિન તેંડુલકરની પોસ્ટ

સચિન તેંડુલકરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે આ સફરની શરૂઆત એક સિક્કો, એક કિટ બેગ અને ત્રણ માર્ગદર્શક, મારા પિતા, આચરેકર સર અને અજિત સાથે થઈ હતી. હું હંમેશા આભારી રહીશ. તેમનો કહેવાનો અર્થ એ હતો કે તેમની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત એક સિક્કા, કિટ બેગ અને ત્રણ માર્ગદર્શકો (પિતા, ગુરુ અને મોટા ભાઈ) થી થઈ હતી અને તે આ ત્રણેયનો કાયમ માટે આભારી રહેશે.

સચિન તેંડુલકરનો આ સંદેશ માત્ર એક સામાન્ય પોસ્ટ જ નથી પરંતુ તે સંબંધો અને મૂલ્યોની ઝલક છે, જેના પર આ દિગ્ગજ ક્રિકેટરનું આખું જીવન અને કારકિર્દી ટકેલી રહી. પિતાએ તેને શિસ્ત અને સંસ્કારો આપ્યાં. ગુરુ આચરેકરે ક્રિકેટની બારીકાઈઓ શીખવી હતી અને મોટાભાઈ અજિતે બાળપણથી જ તેમનામાં છુપાયેલી પ્રતિભાને ઓળખી કાઢી હતી અને સાચી દિશા આપી હતી. એવું કહેવામાં આવે છે કે અજિત જ તે પહેલો વ્યક્તિ હતો જે સચિનને શિવાજી પાર્કના મેદાનમાં લઈ ગયો હતો અને તેને આચરેકર સર સાથે પરિચય કરાવ્યો હતો. અહીંથી જ ભારતીય ક્રિકેટ ઈતિહાસના સુવર્ણ અધ્યાયનો પ્રારંભ થયો હતો.

Advertisment

આ પણ વાંચો - શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ

સચિનની આ પોસ્ટે ફરી સાબિત કરી દીધું કે સફળતા માત્ર મહેનતનું જ પરિણામ નથી, પરંતુ તેની પાછળ ઘણા અદ્રશ્ય હાથ છે જે માર્ગદર્શન આપે છે. શિક્ષક દિવસ પર તેમનો સંદેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે કે તમે જીવનમાં ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરો, પણ તમારા શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં.

સચિન તેંદુલકર ક્રિકેટ સ્પોર્ટ્સ