શ્રેયસ ઐયરની આ વર્ષે નહીં થાય ટેસ્ટ ટીમમાં વાપસી? દુલીપ ટ્રોફીમાં બીસીસીઆઈની નજરમાં આ છે મોટી નબળાઇ

india test team : શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી. ઐયર બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

india test team : શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી. ઐયર બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
shreyas iyer, duleep trophy

શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી

Shreyas Iyer : ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ગત વર્ષે ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપ બાદથી જ સારા ફોર્મમાં નથી. ઐયર બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે દુલીપ ટ્રોફીમાં શ્રેયસ ઐયરની કમજોરી સામે આવી હતી. આ વર્ષે તેની ટેસ્ટ ટીમમાં વાપસી શક્ય લાગતી નથી.

Advertisment

ટેસ્ટ ટીમમાં શ્રેયસ ઐયરની વાપસી નહીં થાય

ધ ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના અધિકારીઓ દુલીપ ટ્રોફીમાં શ્રેયસ ઐયરના પ્રદર્શનથી ખુશ નથી. ટેલિગ્રાફે બીસીસીઆઈના અધિકારીના હવાલાથી લખ્યું કે શ્રેયસ ઐયરની આ સમયે ટેસ્ટ ટીમમાં જગ્યા નથી છે. તે કોનું સ્થાન લેશે. આ સિવાય દુલીપ ટ્રોફીમાં તેનું શોટ સિલેક્શન સારું ન હતું. ખાસ કરીને રવિવારે જ્યારે તે સેટ થઈને ફ્લેટ પીચ પર રમતો હતો, ત્યારે તે આવો શોટ રમીને આઉટ થઈ શકે નહીં. તમારે તકનો લાભ લેવો જોઈએ.

ઐયરના શોટ સિલેક્શન પર સવાલો

ઐયરને લેફ્ટ આર્મ સ્પિનર શમ્સ મુલાનીએ આઉટ કર્યો હતો. તે પુલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને બોલ્ડ થઈ ગયો હતો. તેણે 41 રન બનાવ્યા હતા. શોટ બોલ સામે ઐયરની નબળાઈ પણ તેની સામે જ રહી છે. રિપોર્ટ અનુસાર પોતાની નબળાઇના કારણે ઐયરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તક નહીં મળે.

આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમનો આગામી શ્રેણીનો કાર્યક્રમ અહીં જુઓ

ઇરાની કપ અને રણજી ટ્રોફીમાં તક

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે શ્રેયસ ઐયરને ઇરાની કપમાં તક મળશે. તે મુંબઈની ટીમનો ભાગ બની શકે છે. જો તે બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણી રમશે ત્યારે જ તે ઈરાની કપનો ભાગ બની શકે છે.

Advertisment

શ્રેયસ ઐયર ટેસ્ટ, વન ડે અને ટી20 કરિયર

ફોરમેટમેચરનહાઇએસ્ટએવરેજસદીઅર્ધ સદીચોગ્ગાછગ્ગા
ટેસ્ટ1481110536.86159416
વન ડે622421128*47.4751822662
ટી 2051110474*30.66089044

રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના અધિકારીઓનું માનવું છે કે ઈરાની કપમાં ભલે ઐયર સારી બેટિંગ ન કરે પરંતુ રણજી ટ્રોફીના રૂપમાં તેને હજુ પણ તક મળશે. બીસીસીઆઈને ખબર છે કે ઐય્યર વર્લ્ડ કપ બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેને ફરીથી ફૂલ ફોર્મ મેળવવામાં સમય લાગશે.

ભારત ક્રિકેટ ટીમ bcci સ્પોર્ટ્સ