ટી 20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાનનો બોયકોટ ડ્રામા : ભારતને મળશે ફાયદો, નોકઆઉટ મેચો પર સસ્પેન્સ

t20 world cup 2026 : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે ફરી એકવાર નવો ડ્રામા શરુ કરી દીધો છે.

t20 world cup 2026 : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે ફરી એકવાર નવો ડ્રામા શરુ કરી દીધો છે.

author-image
Ashish Goyal
New Update
pakistan boycott india match

આઈસીસી અધ્યક્ષ જય શાહ અને પીસીબી પ્રમુખ મોહસિન નકવી. Photograph: (સોશિયલ મીડિયા)

t20 world cup 2026  : પાકિસ્તાન સરકારે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ 2026 ની મેચ રમવાનો ઇન્કાર કરી દીધો છે. આ મેચ 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. જોકે પાકિસ્તાન સરકારે તેની ક્રિકેટ ટીમને ભારતની સહ-યજમાની હેઠળની ટૂર્નામેન્ટમાં રમવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનના આ બેવડા વલણ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાડોશી દેશે ફરી એકવાર નવો ડ્રામા શરુ કરી દીધો છે. હવે અમને જણાવી રહ્યા છીએ કે આનું પરિણામ શું હોઈ શકે છે?

Advertisment

ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા કે તે તેમની મેચો ભારતમાં રમશે નહીં પરંતુ ભારતની બહાર તટસ્થ સ્થળે રમશે. આ અંતર્ગત પાકિસ્તાનને ભારતની બહાર કોઈ મેચ રમવા સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. હવે પાકિસ્તાન સરકારના આ નિર્ણય બાદ આઇસીસી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પણ કાર્યવાહી કરી શકે છે.

આઇસીસી શું કાર્યવાહી કરી શકે છે?

આઇસીસીએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે કે નિયમોની વિરુદ્ધ કોઈ નિર્ણય લેશે તો આઇસીસી પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે. આ કાર્યવાહી પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવા, દ્વિપક્ષીય શ્રેણી રદ કરવા માટે હોઈ શકે છે. હવે આ અંગે આઇસીસીના આગામી જવાબની રાહ જોવાઈ રહી છે.

ભારતને ફાયદો થશે

ભારત અને પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ 2026 માટે નેધરલેન્ડ, યુએસએ અને નામિબિયાની સાથે ગ્રુપ એ-માં છે. જો પાકિસ્તાન લીગ મેચનો બહિષ્કાર કરશે તો તેને 2 પોઈન્ટ ગુમાવવા પડશે અને ભારતને ફાયદો થશે. ભારતને બે પોઈન્ટ મળશે અને તે ક્વાર્ટર ફાઈનલ માટે મહત્વનું બની રહેશે.

Advertisment

આ પણ વાંચો - પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2026 રમશે, પરંતુ ભારત સામે નહીં રમે

આઇસીસીના નિયમ અનુસાર ભારતીય ટીમે કોલંબો જવું પડશે. જો એક ટીમ મેદાન પર હોય અને બીજી ટીમ રમવાનો ઇન્કાર કરે તો મેદાન પરની ટીમને 2 પોઈન્ટ મળે છે. જો બંને ટીમો મેદાન પર નહીં હોય તો મેચ રદ ગણાશે અને બંનેને એક-એક પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં જો બે પોઈન્ટની જરુર પડે તો ભારતે કોલંબો જવું જરુરી બની રહેશે.

નોકઆઉટ મેચનું શું થશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાને 15મી ફેબ્રુઆરીએ યોજાનારી ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. સેમિ ફાઈનલ અને ફાઈનલ જેવી નોકઆઉટ મેચોમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે તો શું થશે? આવી સ્થિતિમાં પાકિસ્તાનને રમવું પડી શકે છે અથવા તો આઇસીસી પણ તેના પર પ્રતિબંધ મૂકવા માટે કાર્યવાહી કરી શકે છે. કારણ કે તેની અસર ટૂર્નામેન્ટના પરિણામ અને ફોર્મેટ પર પડશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ક્રિકેટ ભારત ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ સ્પોર્ટ્સ