જો રોહિત શર્મા કેપ્ટન નથી તો ટીમમાં કેમ છે? પૂર્વ પસંદગીકારે ઉઠાવ્યા સવાલ

Rohit Sharma : રોહિત શર્માનો ભારતીય વન-ડે કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શુભમન ગિલને વન ડે ટીમનો નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. જોકે 38 વર્ષીય રોહિત શર્મા આ શ્રેણી માટે ટીમનો ભાગ છે.

Rohit Sharma : રોહિત શર્માનો ભારતીય વન-ડે કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શુભમન ગિલને વન ડે ટીમનો નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. જોકે 38 વર્ષીય રોહિત શર્મા આ શ્રેણી માટે ટીમનો ભાગ છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rohit sharma, gautam gambhir

ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા (તસવીર - એએનઆઈ ફાઇલ ફોટો)

Rohit Sharma: રોહિત શર્માનો ભારતીય વન-ડે કેપ્ટન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શુભમન ગિલને વન ડે ટીમનો નવા કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે 38 વર્ષીય રોહિત શર્મા આ શ્રેણી માટે ટીમનો ભાગ છે. ભૂતપૂર્વ ભારતીય પસંદગીકાર અને પૂર્વ વિકેટકીપર સબા કરીમે સવાલ કર્યો છે કે જો રોહિત 2027 વર્લ્ડ કપ માટે ટીમની યોજનાઓનો ભાગ બનવાની સંભાવના નથી તો તેને આ પ્રવાસ માટે ટીમમાં કેમ રાખવામાં આવ્યો છે.

Advertisment

પસંદગીકારોએ રોહિત શર્મા સાથે ખૂબ જ ઉતાવળ કરી - સબા કરીમ

ભારતીય પસંદગી સમિતિના પૂર્વ સભ્ય સબા કરીમે યુટ્યુબ ચેનલ કડક પર કહ્યું હતું કે જો તમે તેને કેપ્ટન નથી બનાવ્યો તો પછી તમે તેને ટીમમાં કેમ રાખ્યો છે? તેનાથી સ્પષ્ટ છે કે તમે તેને ભવિષ્યનો ભાગ માનતા નથી, તે 2027 વર્લ્ડ કપમાં રમશે નહીં. આવી સ્થિતિમાં તમારે એવા ખેલાડીને ટીમમાં ન રાખવો જોઈએ જેને તમે 2027ની યોજનાનો ભાગ ન માનતા હોવ. પછી તે કેપ્ટન હોય કે ન હોય કે ખેલાડી હોય કે ન હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી મેં કહ્યું કે પસંદગીકારોએ રોહિત શર્મા સાથે ખુબ જ ઉતાવળ કરી છે અને તેની જરુર ન હતી.

કોહલી અને રોહિત પાસેથી અપેક્ષાઓ પર અગરકરે શું કહ્યું

ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે રોહિત અને કોહલીની પસંદગી માત્ર એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓ આ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જોકે તેમણે 2027ના વર્લ્ડ કપમાં પોતાની ભૂમિકા અંગે વાત કરવાનું ટાળ્યું હતું. વિરાટ અને રોહિત આ સમયે એક જ ફોર્મેટમાં રમી રહ્યા છે. અમે તેમની પસંદગી કરી છે, પરંતુ જ્યાં સુધી 2027 વર્લ્ડ કપની વાત છે, મને નથી લાગતું કે આપણે આજે તેના વિશે વાત કરવાની જરૂર છે. કેપ્ટન્સી બદલવા સાથે, સામાન્ય રીતે આ વિચાર હોય છે.

આ પણ વાંચો - વન ડે માં રોહિત શર્માને બદલે શુભમન ગિલને કેમ બનાવ્યો કેપ્ટન? અજીત અગરકરે કર્યો ખુલાસો

Advertisment

અગરકરે એમ પણ કહ્યું કે થોડા મહિના પહેલા જે નિયમ બનાવવામાં આવ્યો હતો કે ખેલાડીઓએ જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું રહેશે. તે રોહિત અને કોહલીને પણ લાગુ પડે છે. મને લાગે છે કે અમે થોડા વર્ષો પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે ખેલાડીઓએ જ્યારે પણ ઉપલબ્ધ હોય ત્યારે ઘરેલું ક્રિકેટ રમવું જોઈએ. જો તમને લાંબો બ્રેક મળ્યો છે, તો આ જ એકમાત્ર રસ્તો છે કે તમે તમારી જાતને ફિટ રાખી શકો છો અને ક્રિકેટ રમી શકો છો. તમે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છો તેમાં તે શક્ય છે કે નહીં તે તો સમય જ કહેશે, પણ જો ખેલાડીઓ ખાલી હોય તો તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ.

ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ shubman gill ક્રિકેટ રોહિત શર્મા Virat Kohli સ્પોર્ટ્સ