ગૌતમ ગંભીરનો કોચિંગ સ્ટાફ : અભિષેક નાયર જશે શ્રીલંકા, દ્રવિડના સાથીને ફરી તક, બોલિંગ કોચની રેસમાં આ વિદેશી

Team India Support Staff : ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમનો પ્રથમ પ્રવાસ શ્રીલંકાનો છે. ટીમ અહીં 3 ટી20 અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા સોમવારે શ્રીલંકા જવા રવાના થશે

Team India Support Staff : ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમનો પ્રથમ પ્રવાસ શ્રીલંકાનો છે. ટીમ અહીં 3 ટી20 અને 3 વન ડે મેચ રમશે. ટીમ ઇન્ડિયા સોમવારે શ્રીલંકા જવા રવાના થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
team india, team india support staff

ભારતીય ટીમ સોમવારે બપોરે 1 વાગ્યે ચાર્ટર ફ્લાઇટ દ્વારા મુંબઇથી કોલંબો જવા રવાના થશે (તસવીર - બીસીસીઆઈ)

Gautam Gambhir Support Staff : ભારતીય ક્રિકેટ બોર્ડે ઔપચારિક જાહેરાત કરી નથી પણ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી રેયાન ટેન ડોશ્ચેટને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં રાહુલ દ્રવિડના સાથી ખેલાડી ટી દિલીપનો પણ સમાવેશ થાય છે, જેઓ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત્ રહેશે. દિલીપે માત્ર એક અસરકારક ફિલ્ડિંગ કોચ તરીકેની પોતાની પ્રતિષ્ઠા જ ઉભી કરી નથી, પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ જોરદાર હકારાત્મક અસર કરી છે. માનવામાં આવે છે કે તે ટીમ બોન્ડિંગ બનાવવામાં ખૂબ જ સારા છે.

Advertisment

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર નાયર અને દસ ડોશ્ચેટ બંનેને આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા બોલિંગ કોચ અંગે હજી અસ્પષ્ટતા છે પરંતુ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ની મોર્કેલ એક મજબૂત દાવેદાર છે. ગંભીરની કોચિંગ ટીમમાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરને આ ભૂમિકા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

નાયર, ડોશ્ચેટ અને મોર્કેલે ગંભીર સાથે કામ કર્યું છે

કોચિંગ ટીમના તમામ નવા સભ્યો અભિષેક નાયર, ડોશ્રેટ ગંભીર સાથે આઈપીએલમાં તેમની કોચિંગ કારકિર્દીના વિવિધ તબક્કે કામ કરી ચૂક્યા છે. નાયર અને ડોશ્ચેટ ગત સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે હતા, જ્યારે તેઓ 2024માં ચેમ્પિયન બન્યા હતા. આ સિવાય મોર્કેલે ગંભીર સાથે લખનઉ સુપર જાયન્ટ્સમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું.

આ પણ વાંચો - વિરાટ કોહલી દેશહિતમાં ગૌતમ ગંભીર સાથે જૂના મતભેદો ભૂલવા તૈયાર, બીસીસીઆઇને આપ્યું વચન

Advertisment

ડોશ્ચેટ ક્યારે અને કેવી રીતે ટીમમાં જોડાશે?

દિલીપ અને નાયર સોમવારે ટીમ સાથે શ્રીલંકા જશે પરંતુ ટેન ડોશ્ચેટ ક્યારે અને કેવી રીતે જોડાશે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ તે અમેરિકામાં ચાલી રહેલી મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં એલએ નાઈટ રાઈડર્સના કોચિંગ સ્ટાફમાં સામેલ છે. તે સીધા કોલંબોમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેવી જ રીતે મોર્કેલના પ્લાન અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી. ક્રિકબઝના મતે બીસીસીઆઇએ તેની સાથે ટીમને બોલિંગ કોચ બનવાની શક્યતા અંગે ચર્ચા કરી છે.

ભારતીય ટીમ સોમવારે કોલંબો જવા રવાના થશે

ભારતીય ટીમ સોમવારે બપોરે 1 વાગ્યે ચાર્ટર ફ્લાઇટ દ્વારા મુંબઇથી કોલંબો જવા રવાના થશે. 22 જુલાઈએ મુંબઈના અંધેરીમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં મીડિયા કોન્ફરન્સની યોજના બનાવી છે. જેમાં નવનિયુક્ત ટી 20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સામેલ હશે. બીસીસીઆઇ સચિવ જય શાહ, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની વાર્ષિક કોન્ફરન્સ માટે પહેલાથી જ કોલંબોમાં છે. શ્રીલંકા પહોંચ્યા બાદ તે ટીમના નવા સભ્યોને મળી શકશે.

ગૌતમ ગંભીર ભારત ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ