Duleep Trophy: દુલીપ ટ્રોફી રમશે વિરાટ કોહલી અને રોહિત શર્મા, ભારત બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ માટે કરશે તૈયારી

Duleep Trophy: આગામી મહિનાથી શરુ થવા જઇ રહેલી દુલીપ ટ્રોફી માટે આ વખતે સિનિયર ખેલાડીઓને પણ રમવા કહેવાયું છે. જોકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ને આ ટુર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે.

Duleep Trophy: આગામી મહિનાથી શરુ થવા જઇ રહેલી દુલીપ ટ્રોફી માટે આ વખતે સિનિયર ખેલાડીઓને પણ રમવા કહેવાયું છે. જોકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ને આ ટુર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Duleep Torphy | Virat Kohli | Rohit Sharma

વિરાટ કોહલી અને રોહિત શર્મા (ફોટો BCCI)

Duleep Trophy: 5 સપ્ટેમ્બરથી શરુ થઇ રહેલી દુલીપ ટ્રોફી આ વખતે ખાસ બનવાની છે. ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમતા જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, બીસીસીઆઇની સિનિયર પસંદગી સમિતિ આ વખતે દુલીપ ટ્રોફી માટે ખેલાડીઓની પસંદગી કરશે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ ને ધ્યાનમાં રાખી સિનિયર પસંદગી સમિતી ખેલાડીઓની પસંદગી કરશે.

Advertisment

દુલીપ ટ્રોફી માટે શુભમન ગિલ, કે એલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ સહિત ખેલાડીઓને રમવા કહેવાયું છે. પસંદગી સમિતિ આ ખેલાડીઓની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગીને લઇને પણ ચર્ચા કરશે. જોકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દુલીપ ટ્રોફી નહીં રમે. બુમરાહને લાંબા સમય માટે આરામ આપવામાં આવ્યો છે.

આંધ્ર પ્રદેશના અનંતપુર ખાતે દુલીપ ટ્રોફી રમાવાની હતી. પરંતુ એવું કહેવાય છે કે, આ સ્થળ એરપોર્ટ સાથે જોડાયેલું ન હોવાથી સિનિયર ખેલાડીઓને આવવાને લઇને મુશ્કેલ હોવાથી સ્થળ બદલાઇ શકે છે. સંભવિત મેદાનની વાત કરીએ તો બેંગલુરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર પસંદગી થઇ શકે એમ છે.

દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરુ થનાર છે. આ ટુર્નામેન્ટમાં છ મેચ રમાશે અને 24 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. અહીં નોંધનિય છે કે, 19 સપ્ટેમ્બરથી ભારત વિ બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઇ ખાતે શરુ થવાની છે. સિનિયર ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ પૂર્વે પ્રેક્ટિશ માટે દુલીપ ટ્રોફી રમવા માટે કહેવાયું છે.

Advertisment
bcci રોહિત શર્મા Virat Kohli