વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાનને 31000 ફૂટની ઊંચાઇ પર મળ્યું સરપ્રાઇઝ, અમદાવાદમાં ગુલાબ સાથે સ્વાગત, વીડિયોમાં જુઓ ભારતની યજમાની

IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. બન્ને ટીમો આ વર્લ્ડ કપમાં બે મેચ રમ્યા છે અને બન્નેમાં જીત મેળવી છે

Written by Ashish Goyal
Updated : October 12, 2023 16:13 IST
વર્લ્ડ કપ 2023 : પાકિસ્તાનને 31000 ફૂટની ઊંચાઇ પર મળ્યું સરપ્રાઇઝ, અમદાવાદમાં ગુલાબ સાથે સ્વાગત, વીડિયોમાં જુઓ ભારતની યજમાની
પાકિસ્તાની ટીમનું અમદાવાદમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું (તસવીર - સોશિયલ મીડિયા)

Pakistan cricket team welcomed in Ahmedabad : પાકિસ્તાનની ક્રિકેટ ટીમની યજમાનીમાં ભારત કોઈ કસર છોડી રહ્યું નથી. ફ્લાઈટ હોય, હોટલ હોય કે એરપોર્ટ, પાકિસ્તાની ખેલાડીઓ પર દરેક જગ્યાએ પ્રેમ અને લાગણીનો વરસાદ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની રેકોર્ડ જીત બાદ હવે પાકિસ્તાનની ટીમ ભારતનો સામનો કરવાનો છે. આ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. બાબર આઝમ એન્ડ કંપની બુધવારે અમદાવાદ પહોંચી ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફ્લાઇટમાં પાકિસ્તાનને સરપ્રાઇઝ મળ્યું

PCB એ ટીમનો વીડિયો શેર કર્યો છે જેમાં ખેલાડીઓ હૈદરાબાદથી અમદાવાદ જવા રવાના થયા છે. ખેલાડીઓએ સૌપ્રથમ હૈદરાબાદમાં હોટલ સ્ટાફ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. આ પછી જ્યારે ટીમ ફ્લાઈટમાં પહોંચી તો તેમને ત્યાં પણ સરપ્રાઈઝ મળ્યું હતું. પાકિસ્તાની ટીમ 31,000 ફૂટ પર ઉડતી ફ્લાઈટમાં આરામ કરી રહી હતી ત્યારે તેમના માટે એક કેક લાવવામાં આવી હતી. જેના પર લખ્યું હતું, ‘વર્લ્ડ કપમાં સૌથી મોટા ચેઝ માટે અભિનંદન’. ખેલાડીઓએ કેક કાપી ઉજવણી પણ કરી હતી.

આ પણ વાંચો – રોહિત શર્માએ તોડ્યો ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો વિશ્વનો નવો સિક્સર કિંગ

ફૂલોની વર્ષા સાથે સ્વાગત

અમદાવાદ પહોંચ્યા બાદ પણ ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો એરપોર્ટ પર અને બહાર પાકિસ્તાની ખેલાડીઓની રાહ જોઈ રહ્યા હતા. હોટલ પહોંચતા જ તેમને ખાદીની શાલ પહેરાવવામાં આવી હતી. હોટલમાં પ્રવેશતાની સાથે જ તેના પર ગુલાબની પાંખડીઓ વરસાવી હતી. કેટલીક મહિલાઓ મુખ્ય દ્વાર પર ગરબા કરતી પણ જોવા મળી હતી. આ સ્વાગતથી પાકિસ્તાની ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.

ભારત-પાકિસ્તાન 14 ઓક્ટોબરે ટકરાશે

ભારતે હવે તેની આગામી મેચ 14 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. આ મેચને લઇને રોહિત શર્માએ કહ્યું કે આ મેચને અન્ય મેચની જેમ જ લઇ રહ્યો છું. તેણે કહ્યું કે અમે ભારત-પાકિસ્તાન મેચમાં પણ આ રીતે રમવા માંગીએ છીએ. બાહ્ય બાબતોની ચિંતા કરવા માંગતા નથી. અમે દરેક મેચ આ રીતે જોઈશું. બાબર આઝમે કહ્યું હતું કે તેમના ખેલાડીઓ આ મેચ માટે વધારાના દબાણમાં નથી. અમદાવાદમાં રમાનાર આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ