યુઝવેન્દ્ર ચહલ ફરી લગ્ન કરવા તૈયાર, છોકરી જોઇએ છે… પોસ્ટ વાયરલ થતાં લગ્નની અફવાએ જોર પકડ્યું!

યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી લગ્ન સંબંધનો અંત આવતાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર લગ્નને લઇને ચર્ચામાં છે. તે ફરી લગ્ન કરવા જઇ રહ્યો હોવાનું અફવા બજાર ગરમ છે.

Written by Haresh Suthar
December 01, 2025 12:33 IST
યુઝવેન્દ્ર ચહલ ફરી લગ્ન કરવા તૈયાર, છોકરી જોઇએ છે… પોસ્ટ વાયરલ થતાં લગ્નની અફવાએ જોર પકડ્યું!
ધનશ્રી વર્મા સાથેના લગ્નભંગ બાદ યુઝવેન્દ્ર ચહલ ફરી લગ્ન કરવા તૈયાર છે, છોકરી જોઇએ છે.

યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ફરી લગ્ન કરવા અંગે જાતે જ સંકેત આપ્યો છે. તેણે તાજેતરમાં આ અંગે પોસ્ટ કરી છે જે વાયરલ થઇ રહી છે. તેણે 2020 માં ડાન્સર અને કન્ટેન્ટ ક્રિએટર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા. જોકે, તેઓ લાંબા સમય સુધી એક જ છત નીચે રહી શક્યા નહીં. તેમણે 2022 થી એકબીજાથી અલગ રહેવાનું નક્કી કર્યું. અંતે, 2025 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

ગયા ગુરુવારે (27 નવેમ્બર) યુઝવેન્દ્ર ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. ત્યાં તેણે લખ્યું હતું કે, ‘હું લગ્ન માટે સંપૂર્ણપણે તૈયાર છું. મને ફક્ત એક દુલ્હન જોઈએ છે.’ કહેવાની જરૂર નથી કે, આ પોસ્ટ આંખના પલકારામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ચાહકોનો એક વર્ગ પહેલાથી જ ખુશીમાં ખોવાઈ ગયો છે. કેટલાક ભૂતકાળને યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકોએ આ પોસ્ટમાં આરજે માહ્વેશને પણ ટેગ કર્યા છે.

યુઝવેન્દ્ર ચહલની લગ્ન વિશેની આ પોસ્ટ ભારે વાયરલ થઇ રહી છે. ચાહકો કોમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા છે. કોઇએ તો ત્યાં સુધી કહી દીધું કે, હાર્દિકભાઇ પાસેથી જરુરી માર્ગદર્શન લેજો, કોઇએ તો એવું પણ કહ્યું કે લગ્ન કરતા જ નહીં, એક ભાઇ તો એવું કહ્યું કે, લગ્ન કરો તો કોઇ આરજે સાથે જ કરજો.

ચહલ સાથેના લગ્ન વિશે ધનશ્રીએ આવું કહ્યું!

તાજેતરમાં, ધનશ્રી વર્મા રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ માં જોવા મળી હતી. ત્યાં, તેણીએ ટીવી અભિનેતા અર્જુન બિજલાણીને કહ્યું, ‘અમારા લગ્ન પ્રેમ અને ગોઠવાયેલા બંને હતા. તે ગોઠવાયેલા લગ્નની જેમ શરૂ થયું. ખરેખર, તે ડેટિંગ વિના લગ્ન કરવા માંગતો હતો. અને મેં તે સમયે લગ્ન વિશે વિચાર્યું પણ નહોતું.

યુઝવેન્દ્ર ચહલે લગ્નને નકલી ગણાવ્યા! ધનશ્રી વર્માએ આપી આવી પ્રતિક્રિયા

તેણીએ આગળ કહ્યું, ‘પછી હું તેને (યુઝવેન્દ્ર) મળી. તેણે મારું દિલ જીતવામાં કોઈ કસર છોડી નહીં. આખરે હું તેની સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ. અમારી સગાઈ ઓગસ્ટમાં થઈ. અને ડિસેમ્બરમાં લગ્ન કર્યા. સગાઈ અને લગ્ન વચ્ચેના સમયમાં, અમે એકબીજાને પ્રેમ કર્યો. અમે અલગ અલગ જગ્યાએ જતા રહ્યા.

ધનશ્રી વર્મા સાથે તલાક: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે કેમ પહેરી હતી શુગર ડેડી વાળી ટી શર્ટ?

અંતે, ધનશ્રીએ કહ્યું, ‘જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ હું તેના વર્તનમાં ફેરફાર જોઈ શકતી હતી. ઘણી વખત, કોઈ ખરેખર શું ઇચ્છે છે તેના બદલે, તેને વિપરીત મળે છે. એક સમયે, તેનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. પરંતુ, મેં તેને પણ અવગણ્યું. મેં પ્રેમમાં વિશ્વાસ કર્યો. પરંતુ, મને તે વિશ્વાસની કિંમત મળી નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ