India Canada Row : નિજ્જર વિવાદ વચ્ચે બદલાયો ટ્રુડોનો સૂર, કહ્યું- ભારત વધી રહ્યું છે આર્થિક શક્તિ, કેનેડા સારા સંબંધો માટે પ્રતિબદ્ધ છે

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આક્ષેપો છતાં કેનેડા ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

Written by Ankit Patel
September 29, 2023 10:38 IST
India Canada Row : નિજ્જર વિવાદ વચ્ચે બદલાયો ટ્રુડોનો સૂર, કહ્યું- ભારત વધી રહ્યું છે આર્થિક શક્તિ, કેનેડા સારા સંબંધો માટે પ્રતિબદ્ધ છે
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ANI ફોટો)

Indian Canada row, Khalistan row : કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાનો સૂર બદલાતો જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા હજુ પણ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે સમર્પિત છે. ટ્રુડોએ એ પણ સ્વીકાર્યું કે ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે અને તેને અવગણી શકાય નહીં.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી હોવાના આક્ષેપો છતાં કેનેડા ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વિશ્વભરમાં ભારતના વધતા પ્રભાવ તરફ ઈશારો કરતા ટ્રુડોએ કહ્યું કે કેનેડા અને તેના સાથી દેશો ભારત સાથે જોડાયેલા રહે તે અત્યંત મહત્વપૂર્ણ છે.

ભારત આર્થિક શક્તિમાં વધારો કરી રહ્યું છે – ટ્રુડો

ગુરુવારે મોન્ટ્રીયલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, પીએમ ટ્રુડોએ કહ્યું કે તેઓ માને છે કે કેનેડા અને તેના સાથીઓએ વિશ્વ મંચ પર ભારતનું વધતું મહત્વ જોતાં રચનાત્મક અને ગંભીરતાથી તેની સાથે સંકળાયેલું રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જસ્ટિન ટ્રુડોએ કહ્યું, “તેઓ માને છે કે કેનેડા અને તેના સહયોગી દેશો માટે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વના વિવિધ મંચ પર પણ ભારતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે ભારત એક વિકસતી આર્થિક શક્તિ છે. અને તે પણ ભૌગોલિક રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અમારી હિંદ-પ્રશાંત મહાસાગર વ્યૂહરચના માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી અમે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ ગંભીર છીએ.”

ટ્રુડોએ કહ્યું- અમેરિકા અમારી સાથે છે

ટ્રુડોએ કહ્યું કે અમેરિકા અમારી સાથે છે અને તે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યાનો મુદ્દો ભારત સાથે ઉઠાવી રહ્યું છે. કેનેડિયન પીએમએ કહ્યું કે તેમને યુએસ તરફથી આશ્વાસન મળ્યું છે કે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન પણ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની વાતચીત દરમિયાન નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવશે. જસ્ટિન ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે કાયદાના શાસન દ્વારા સંચાલિત એક દેશ તરીકે અમે ઇચ્છીએ છીએ કે ભારત કેનેડા સાથે મળીને કામ કરે તે સુનિશ્ચિત કરવા માટે કે તમામ તથ્યો અમારી સમક્ષ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ