ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા સૂચના, ભારતીય દૂતાવાસે એડવાઇઝરીની સાથે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા

indian citizens Leave form Ukraine : યુક્રેન પર રશિયાના હુમલા (russia ukraine war) ફરી વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ભારતીય દૂતાવાસે (indian embassy) યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને (indian citizens) તાત્કાલિક આ દેશ છોડવા સૂચના આપી.

indian citizens Leave form Ukraine : યુક્રેન પર રશિયાના હુમલા (russia ukraine war) ફરી વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ભારતીય દૂતાવાસે (indian embassy) યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોને (indian citizens) તાત્કાલિક આ દેશ છોડવા સૂચના આપી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

રશિયા અને યુક્રેન વચ્ચે ફરી સંઘર્ષ વધી રહ્યો છે જેની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને તાત્કાલિક યુક્રેનમાંથી બહાર નીકળી જવાની સૂચના આપી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે એક નવી એડવાઈઝરી જારી કરી છે જેમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવા જણાવ્યું હતું.

Advertisment

યુક્રેનમાં બગડી રહેલી સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે આવી જ એક એડવાઈઝરી જારી કરી આવી હતી અને હવે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં ફરી નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ભારતીય દૂતાવાસ દ્વારા 19 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલી એડવાઈઝરીના અનુસંધાનમાં જ યુક્રેનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ માધ્યમથી તાત્કાલિક યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે. નોંધનીય છે કે, અગાઉ જારી કરેલી એડવાઇઝરીને ધ્યાનમાં રાખી કેટલાંક ભારતીય નાગરિકો પહેલાથી જ યુક્રેન છોડી ચૂક્યા છે.

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને જણાવ્યુ કે, યુક્રેનમાંથી બહાર નીકળવા માટે તેની સરહદ સુધી પહોંચવાની ખાતરી કરવા માર્ગદર્શન કે મદદ માટે તેમનો સંપર્ક કરી શકે છે. આ માટે ભારતીય દૂતાવાસે કેટલાંક હેલ્પ નંબર પણ જાહેર કર્યા છે જેના પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે. આ હેલ્પ લાઇન નંબર આ મુજબ છે :- 380933559958, 380635917881, 380678745945. તે ઉપરાંત ભારતીય દૂતાવાસની વેબસાઇટ પર જઇને પણ જાણકારી મેળવી શકાય છે.

Advertisment
રશિયા યુક્રેન વિશ્વ