ભારતની સફળતાથી ચીનને અપચો, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યુ ન હોવાનો ચીની વૈજ્ઞાનિકનો દાવો

ઈસરો એ મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન 3 ને ચંદ્રની ધરતી પર ઉતારી ઈતિહાસ રચ્યો છે. જોકે ચીનના વૈજ્ઞાનિકનો દાવો છે કે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી ઉતર્યું.

ઈસરો એ મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન 3 ને ચંદ્રની ધરતી પર ઉતારી ઈતિહાસ રચ્યો છે. જોકે ચીનના વૈજ્ઞાનિકનો દાવો છે કે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નથી ઉતર્યું.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
chandrayaan 3| ISRO chandrayaan video

ચંદ્રયાન-3: રોવર લેન્ડરથી ચંદ્રની સપાટી પર ઉતર્યું (સ્રોત- સ્ક્રીનગ્રેબ/ઇસરો)

Chandrayaan 3 ISRO: ભારતનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ચીન ભારતની આ સફળતાને પચાવી શક્યું નથી. ચીનના મૂન મિશન પ્રોગ્રામના સ્થાપકે કહ્યું છે કે ચંદ્રયાન 3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવાનો ભારતનો દાવો ખોટો છે. બુધવારે ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉયાંગ જિયુઆને કહ્યું હતું કે ભારતનું કહેવું ખોટું છે કે ચંદ્રયાન 3 ભારતના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું.

Advertisment

ચીનના એક ટોચના વૈજ્ઞાનિકે નવી દિલ્હીની ઐતિહાસિક સિદ્ધિનો વિવાદ કર્યો છે અને દાવો કર્યો છે કે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કે તેની નજીક ઉતર્યું નથી. ચીનના પ્રથમ ચંદ્ર મિશનના મુખ્ય વૈજ્ઞાનિક એવા ચાઇનીઝ કોસ્મોકેમિસ્ટ ઓયાંગ ઝિયુઆન દ્વારા બુધવારે આ ટિપ્પણી કરવામાં આવી હતી.

ચંદ્રયાન-3 અંગે ચીનનો દાવો

આ ચોંકાવનારો દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય વૈજ્ઞાનિકો બે અઠવાડિયાના સ્લીપ મોડ પછી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને હાઇબરનેશનમાંથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સભ્ય ઓયાંગે કહ્યું, 'ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ન હતી. તેમ જ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતર્યું નથી. તેમણે મીડિયાને જણાવ્યું કે ભારતનું રોવર લગભગ 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું છે. તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં ઉતર્યું છે. તે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતર્યું નથી. તે 88.5 અને 90 ડિગ્રીના અક્ષાંશો વચ્ચે છે.

વાસ્તવમાં, પૃથ્વી જે ધરી પર સૂર્યની આસપાસ ફરે છે તે 23.5 ડિગ્રી નમેલી છે. આ સ્થિતિમાં, દક્ષિણ ધ્રુવને 66.5 અને 90 ડિગ્રી દક્ષિણની વચ્ચે માનવામાં આવે છે. ઓયાંગ કહે છે કે ચંદ્રનો ઝુકાવ માત્ર 1.5 ડિગ્રી છે. આવી સ્થિતિમાં, તેનો ધ્રુવીય પ્રદેશ ખૂબ નાનો છે (88.5 અને 90 ડિગ્રીના અક્ષાંશ વચ્ચે). નાસાએ ચંદ્રનો દક્ષિણ ધ્રુવ 80 થી 90 ડિગ્રી હોવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે ઓયાંગે જણાવ્યું હતું કે તે 88.5 થી 90 ડિગ્રી પર તે વધુ નાનો હોવાનું માને છે, જે ચંદ્રના 1.5 ડિગ્રી ઝુકાવને પ્રતિબિંબિત કરે છે.

Advertisment

ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ન હતું

યુરોપીયન સ્પેસ એજન્સીનું કહેવું છે કે ચંદ્રયાન-3 જ્યાં લેન્ડ થયું તે દક્ષિણ ધ્રુવ નથી. ચંદ્રનો દક્ષિણ ધ્રુવ શેકલટન ક્રેટરની ધાર પર છે, જેના કારણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નરમ ઉતરાણ કરવું અત્યંત મુશ્કેલ બને છે.

અવકાશ સંશોધન માટે HKUની પ્રયોગશાળાના નિર્દેશક એસ્ટ્રોફિઝિસ્ટ ક્વેન્ટિન પાર્કર કહે છે કે ભારતનું ચંદ્રયાન ક્યાં ઉતર્યું તે અમે સ્પષ્ટ રીતે કહી શકતા નથી, પરંતુ અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે ભારતનું અવકાશયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું ન હતું. તેમણે કહ્યું, "જ્યારે તમે દક્ષિણ ધ્રુવની નજીક અથવા દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર તરીકે ઓળખાતા વિસ્તારમાં રોવર લેન્ડ કરો છો, ત્યારે તે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ ભારતે પણ જે કર્યું તેને ઓછું આંકવું જોઈએ નહીં."

મૂન મિશન ISRO Chandrayaan 3 ચીન