/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/new-bornbaby.jpg)
નવજાત બાળક પ્રતિકાત્મક તસવીર - express photo
એક બ્રિટિશ નર્સ લૂસી બેટબીને શુક્રવારે સાત નવજાતની હત્યા કરવા અને જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં નવજાત એકમમાં છ અન્યની હત્યા કરવાની કોશિશમાં દોષી ઠેરવી હતી. દોષી નર્સ બ્રિટનમાં બાળકોની સૌથી મોટી હત્યારણ બની ગઈ છે. 33 વર્ષીય બ્રિટિશ નર્સ લૂસી લેટબી પર ગત વર્ષના ઓક્ટબર મહિનામાં કેસ ચાલી રહ્યો હતો.
22 દિવસો સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય પર પહોંચી ક્રાઉન કોર્ટની જૂરી
ઉત્તર ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટની જૂરી 22 દિવસો સુધી વિચાર - વિમર્શ કર્યા બાદ પોતાના નિર્ણય ઉપર પહોંચી હતી. લૂસી બેટલી પર બીમાર અથવા સમયથી પહેલા પેદા થયેલા નવજાત પીડિતોને હવાનું ઇન્જેક્શન લગાવવા, અને બાળકોને વધારે દૂધ પિવડાવવા અને ઇન્સુલિનથી ઝેર આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. લૂસી લેટબીએ જૂન 2015 અને જૂન 2016 વચ્ચે ઉત્તર પશ્વિમી ઇંગ્લેડના કાઉટેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલના નવજાત એકમમાં બાળકોના મોતની શ્રેણી બદ્ધ ઘટનાઓ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
શાતિર નર્સે હત્યાના પુરાવા પણ નષ્ટ કર્યા
અભિયોજન પક્ષ દ્વારા લુસી લેટબીને એક શાતિર મહિલાના રૂપમાં ગણાવી હતી. તેણે હત્યાની એક એવી રીતનો ઉપયોગ કર્યો હતો. જેનાથી પુરાવાનું કોઇ નિશાન છૂટ્યું ન્હોતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન લૂસી લેટબીએ વારંવાર નુકસાન પહોંચાડવાથી ઈન્કાર કર્યો હતો. લુસી લેટબીની બે વખત ધરપકડ કરવામાં આવી હતી અને મૂક્ત કરવામાં આવી હતી. વર્ષ 2020માં તેની ત્રીજી વખત ધરપકડ બાદ ઔપચારિક રૂપથી આરોપ લગાવવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
હું શૈતાન છું… મેં આ કર્યું.. નર્સના ઘરની તપાસ દરમિયાન મળી ચોંકાવનારી નોટ
બ્રિટિશ નર્સના ઘરની તપાસ દરમિયાન પોલીસે હોસ્પિટલના કાગળો અને એક હસ્તલિખિત નોટ મળી હતી. તેના ઉપર લુસી લેટબીએ લખ્યું હતું કે હું શૈતાન છું… મેં આ કર્યું.. લુસી લેટબી બાદ એ કહીને નોટને સમજાવવાની કોશિશ કરી હતી કે તેણે બે બાળકોના મોત બાદ લિપક કર્તવ્યો પર રાખ્યા બાદ લખ્યું હતું. તેણે કહ્યું કે જેને તબીબી ફરજ પરથી હટાવવાના નિર્ણયથી તેને મહેસૂસ થયું કે તેણે કંઇક ખોટું કર્યું છે.
હત્યારી નર્સે પુરી વ્યવસ્થાની સાથે વિશ્વાસઘાત કર્યો : ક્રાઉન કોર્ટ અભિયોજક
વરિષ્ટ ક્રાઉન અભિયોજક પાસ્કેલ જોન્સે એક નિવેદનમાં કહ્યું કે લુસી લેટબીને કેટલાક સૌથી નબળા બાળકોની સુરક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમની સાથે કામ કરનાર લોકોને એ ન્હોતી ખબર કે તેમના વચ્ચે એક હત્યારો છૂપાયેલો છે. અભિયોજકે કહ્યું કે તેણે વારંવાર બાળકોને નુકસાન પહોંચાડ્યું છે. અભિયોજકે હત્યાઓને નર્સ પર રાખવામાં આવેલા વિશ્વાસને પૂર્વ વિશ્વાસઘાત ગણાવ્યો છે.
સહકર્મીઓને વિશ્વાસ અપાવ્યો કે સતત થઈ રહેલા મોતા માત્ર દુર્ભાગ્યનું પરિણામ છે
ક્રાઉન કોર્ટે સુનાવણી દરમિયાન મળ્યું કે લુસી લેટબીની શિફ્ટ દરમિયાન જ મોટાભાગના બાળકોના મોત જોઈને સહકર્મિઓને ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાક બાળકો પડી ગયા હતા તો કેટલાક નવજાત બાળકો પર એ સમયે હુમલો થયો જ્યારે તેમના માતા-પિતા તેમને છોડીને ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us