પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને વગાડી જુની કેસેટ, ‘અમારે કોઇ લેવા દેવા નથી’

Pahalgam terror attack news: પહેલગામ આતંકી હુમલા સાથે પાકિસ્તાનને કોઇ લેવા દેવા નથી એવો પાકિસ્તાન દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. જોકે આ હુમલો પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના કાશ્મીર ઇસ્લામાબાદની ગળાની નસ છે એવા નિવેદનના એક અઠવાડિયા બાદ થયો છે.

Written by Haresh Suthar
Updated : April 23, 2025 16:49 IST
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને વગાડી જુની કેસેટ, ‘અમારે કોઇ લેવા દેવા નથી’
Pahalgam terror attack news: પહલગામ આતંકી હુમલો કરનારા આતંકવાદીઓનો સ્કેચ જાહેર (ફોટો સોશિયલ)

Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલો થયાના એક દિવસ પછી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બુધવારે દાવો કર્યો હતો કે તેમને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. જેમાં ઓછામાં ઓછા 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

જોકે, ભારતીય અધિકારીઓ પાકિસ્તાનના ઇનકારથી સહમત નથી કારણ કે શરૂઆતની તપાસમાં નાગરિકો પર ગોળીબાર કરનારા આતંકવાદીઓના જૂથમાં વિદેશીઓની હાજરી સૂચવવામાં આવી છે.

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીકના એક ઘાસના મેદાનમાં ઓછામાં ઓછા 25 પ્રવાસીઓ અને ખીણના એક રહેવાસીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે મુંબઈ 26/11 ગોળીબાર પછી દેશમાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલામાંનો એક હતો .

આસિફે પહેલગામ હુમલા પર પાકિસ્તાનની એક ટીવી ચેનલને જણાવ્યું કે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં અને દરેક જગ્યાએ નકારીએ છીએ.

પહેલગામ આતંકી હુમલા બાદ ઇઝરાયલ રાજદૂતે શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં પ્રવાસીઓના જીવ ગુમાવવા પર અમને ચિંતા છે. અમે મૃતકોના નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તોઇબા (LeT) આતંકવાદી સંગઠનના છાયા જૂથ, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે, તેથી દિલ્હીને ઇસ્લામાબાદની ટિપ્પણી અંગે સહેજ પણ ભરોસો નથી.

સુરક્ષા સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું છે કે પીડિતો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધ્યા બાદ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર આતંકવાદીઓ, જેમાં બે “વિદેશી નાગરિકો” હોવાનું માનવામાં આવે છે, જે સુરક્ષા જવાનો જેવો પોશાક પહેરીને આવ્યા હતા.

પહેલગામ હુમલો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના કાશ્મીર ઇસ્લામાબાદની “ગળાની નસ” હોવાના નિવેદનના એક અઠવાડિયા પછી થયો છે, જેનો વિદેશ મંત્રાલય (MEA) તરફથી આકરા શબ્દોમાં ઠપકો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પહેલગામને રક્તરંજીત કરનારા ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર

ગયા અઠવાડિયે ઇસ્લામાબાદમાં ઓવરસીઝ પાકિસ્તાની કન્વેન્શનને સંબોધતા જનરલ મુનીરે કહ્યું: “અમારું વલણ એકદમ સ્પષ્ટ છે, તે અમારી ગળાની નસ હતી, તે અમારી ગળાની નસ રહેશે, અમે તેને ભૂલીશું નહીં. અમે અમારા કાશ્મીરી ભાઈઓને તેમના વીર સંઘર્ષમાં છોડીશું નહીં.”

મુનીરે તેમના નિવેદનમાં કહ્યું હતું.”આપણા ધર્મો અલગ છે, આપણા રિવાજો અલગ છે, આપણી પરંપરાઓ અલગ છે, આપણા વિચારો અલગ છે, આપણી મહત્વાકાંક્ષાઓ અલગ છે. તે બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો હતો જે ત્યાં નખાયો હતો. આપણે બે રાષ્ટ્રો છીએ, આપણે એક રાષ્ટ્ર નથી,”

મુનીરની ટિપ્પણી પરના પ્રશ્નોના જવાબમાં, MEA ના સત્તાવાર પ્રવક્તા, રણધીર જયસ્વાલે ગયા ગુરુવારે કહ્યું હતું: “કોઈપણ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે? આ ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. પાકિસ્તાન સાથે તેનો એકમાત્ર સંબંધ તે દેશ દ્વારા ગેરકાયદેસર રીતે કબજામાં લેવાયેલા પ્રદેશોને ખાલી કરવાનો છે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર તમામ વ્યૂહાત્મક અને સુરક્ષા વિકલ્પો પર વિચાર કરી રહી છે, જે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટૂંકી બેઠક પરથી સ્પષ્ટ થાય છે.

પહલગામ આતંકી હુમલાના મૃતકોની યાદી

તેમણે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે મુલાકાત કરી, જેઓ સાઉદી અરેબિયા ગયા ન હતા, જેમણે વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ પ્રધાન એસ જયશંકરને કાશ્મીરની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ