પાકિસ્તાન સામાન્ય ચૂંટણી : 10 દિવસ બાદ પણ સરકાર નથી બની, નબળી સરકારથી ભારત પર શું થશે અસર?

પાકિસ્તાન સામાન્ય ચૂંટણી પરિણામ 2024 આવ્યાને 10 દિવસ વિતી ગયા, હજુ સરકાર નથી બની. પાકિસ્તાનમાં આ સ્થિતીથી ભારત સહિતના દેશોને શું અસર થઈ શકે છે.

પાકિસ્તાન સામાન્ય ચૂંટણી પરિણામ 2024 આવ્યાને 10 દિવસ વિતી ગયા, હજુ સરકાર નથી બની. પાકિસ્તાનમાં આ સ્થિતીથી ભારત સહિતના દેશોને શું અસર થઈ શકે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Pakistan elections

પાકિસ્તાનની ચૂંટણીના પરિણામો

Pakistan Election : પાકિસ્તાનમાં 8 મી ફેબ્રુઆરીએ બારમી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. પરિણામ જાહેર થયાને ઘણા દિવસો વીતી ગયા છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાનની જનતાને નવી સરકાર મળી નથી. ચૂંટણી જીતનારાઓમાં ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે.

Advertisment

નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) બીજા સ્થાને છે અને ભુટ્ટો-ઝરદારી પરિવારની આગેવાનીવાળી પાર્ટી પીપીપી ત્રીજા સ્થાને છે. જોકે, પીએમએલ-એન અને પીપીપીને એટલી ઓછી બેઠકો મળી છે કે, તેઓ સાથે મળીને પણ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.

ચૂંટણીને આટલા દિવસો વીતી ગયા છે અને વાટાઘાટ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, ત્યારે રાજકીય વિશ્લેષકો કહેવા લાગ્યા છે કે, નવી સરકાર બનશે તો પણ લાંબો સમય નહીં ચાલે એટલે કે સરકાર નબળી પડશે. હવે સવાલ એ ઊભો થાય છે કે, પાકિસ્તાનમાં નબળી સરકારની રચનાની ભારત પર શું અસર પડશે? ચાલો અમે તમને જણાવીએ:

ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા શુભજિત રોયના લેખમાં કહેવામાં આવ્યું છે કે, જો પાકિસ્તાનમાં લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર અસ્થિર અને નબળી હશે તો સેના દ્વારા વધુ દખલગીરી થશે. આવી સ્થિતિમાં ભારત સમક્ષ પ્રશ્ન એ થશે કે, દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ અર્થપૂર્ણ પ્રગતિ માટે તેણે કોની સાથે વાત કરવી જોઈએ?

Advertisment

નયા દૌર મીડિયાના સ્થાપક રઝા રૂમીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “પાકિસ્તાનની આવનારી સરકાર અસ્થિર ગઠબંધન સરકાર હશે તેવી સંભાવના છે. ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે કેટલાક પગલા લેવામાં આવશે તેવી અપેક્ષા છે. પરંતુ રાજકીય અંધાધૂંધીને જોતા, પરિણામ શું આવશે તે સ્પષ્ટ નથી. "ખાસ કરીને ત્યારે જ્યારે ઈમરાનની આગેવાની હેઠળનો મોટો જૂથ આ નીતિ પર સહમત નથી."

શરીફ પ્રયત્ન કરશે પણ…

એકેડેમી ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ, જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હીના પ્રોફેસર અજય દર્શન બેહેરાએ કહ્યું છે કે, “જોકે નવાઝ શરીફ દ્વિપક્ષીય વેપારના સમર્થક છે. તે પોતાના દેશની લથડતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભારત સાથે વેપાર ખોલવા પણ માંગે છે. ભારતને પણ આનાથી કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ સમસ્યા એ છે કે, પાકિસ્તાનમાં વડાપ્રધાન પદ સંભાળનાર કોઈપણ વ્યક્તિ પાસે મર્યાદિત સત્તા હશે, તેણે આખરે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની વાત સાંભળવી પડશે.

પાકિસ્તાનની સ્થિતિને પશ્ચિમી વિશ્વ કેવી રીતે જોઈ રહ્યું છે?

પશ્ચિમી દુનિયાને ચિંતા છે કે, જો પાકિસ્તાનમાં નબળી સરકાર બનશે તો, દેશ માટે જરૂરી સુધારા શક્ય નહીં બને. જોશુઆ ટી વ્હાઇટ, જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર, ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહે છે, “અહીં વોશિંગ્ટનમાં સૌથી મહત્વની ચિંતા એ છે કે, નવી ગઠબંધન સરકાર નબળી અથવા અનિચ્છુક હશે. આવી સ્થિતિમાં, સબસિડી, કર અને ઉર્જા ક્ષેત્રોમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી સંબંધિત મુશ્કેલ પરંતુ જરૂરી સુધારા શક્ય બનશે નહીં. અર્થવ્યવસ્થાનું પૈડું રોકાઈ જવું, એ માત્ર પાકિસ્તાન માટે જ નહીં પણ ભારત, અમેરિકા કે અન્ય કોઈ દેશ માટે પણ સારું નથી.

આ પણ વાંચો - એક ચૂંટણી પણ યોગ્ય રીતે ન કરાવી શક્યું પાકિસ્તાન, જાણો કેમ થઈ રહ્યો છે હેરાફેરીના આરોપ

તે વધુમાં ઉમેરે છે, "એ વાત સાચી છે કે જ્યારે ભારત સાથે પાકિસ્તાનના સંબંધોની વાત આવે છે, ત્યારે પાકિસ્તાન સેના ચૂંટાયેલા નેતાઓને તેમના અધિકારનો વધુ પડતો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં."

ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન india વિશ્વ