પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરી અભદ્ર ટિપ્પણી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પરિષદમાં કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા માટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પરિષદમાં કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા માટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતની ટિપ્પણીના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અંગત ટિપ્પણી કરી છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે હું ભારતને બતાવવા માંગું છું કે ઓસામા બિન લાદેન મરી ગયો છે પણ ગુજરાતનો કસાઇ જીવિત છે અને તે ભારતના પ્રધાનમંત્રી છે.

Advertisment

બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અને RSS પર કર્યો પ્રહાર

બિલાવલ ભુટ્ટો સંયુક્ત રાષ્ટ્રની બેઠકોમાં ભાગ લેવા માટે ન્યૂયોર્કમાં છે. બિલાવલે કહ્યું કે પ્રધાનમંત્રી (પીએમ મોદી) બન્યા પહેલા આ દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ આરએસએસના પ્રધાનમંત્રી અને આરએસએસના વિદેશ મંત્રી છે. આરએસએસ શું છે? આરએસએસ હિટલરના ‘SS’થી પ્રેરણા લે છે.

તમને જણાવી દઈએ કે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બોલતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પરિષદમાં કાશ્મીરના મુદ્દાને ઉઠાવવા માટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. જયશંકરે કહ્યું હતું કે જે દેશે અલકાયદાના નેતા ઓસામા બિન લાદેનની યજમાની કરી અને પડોશી દેશના સંસદ પર હુમલો કર્યો તેની પાસેથી ઉપદેશ આપવા માટે પ્રતિષ્ઠા નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદના એપીસેન્ટરના રુપમાં જુએ છે.

આ પણ વાંચો - સ્થાયી સભ્ય માટે ભારતને મળ્યો યુકે અને ફ્રાન્સનો સાથે, UNમાં ચીન અને પાકિસ્તાન ઉપર વરસ્યા જયશંકર

Advertisment

આતંકવાદનો સ્વીકાર કરી શકાય નહીં - જયશંકર

જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા આપણા સમયના પ્રમુખ પડકારો પર પ્રભાવી પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે. પછી તે મહામારી હોય, જળવાયુ પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોઇ શકે છે. તેનો ક્યારેય પણ સ્વીકાર કરવો જોઈએ નહીં. આ નિશ્ચિત રુપથી સરહદ પાર આતંકવાદના સ્ટેટ સ્પોન્સરશિપ પર લાગુ થાય છે. ઓસામા બિન લાદેનની યજમાની કરવી અને પડોશી સંસદ પર હુમલો કરવો આ પરિષદ સામે ઉપદેશ આપવા માટે કામ કરી શકે નહીં.

બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે 15 નેશન કાઉન્સિલમાં ભારતની અધ્યક્ષતામાં આયોજિત એક હસ્તાક્ષર કાર્યક્રમ હતો.

પાકિસ્તાન નરેન્દ્ર મોદી વિશ્વ PM Narendra Modi