Robert Oppenheimer: રોબર્ટ ઓપનહેઇમર - પરમાણુ બોમ્બના જનક, જેમને જીવનભર તેમની શોધ વિશે પસ્તાવો રહ્યો

Robert Oppenheimer Movie: પરમાણુ બોમ્બની શોધ કરનાર અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપેનહેઇમરનું જીવન ઘણુ સંઘર્ષમયી હતુ અને તેમની બાયોગ્રાફી પર એક હોલીવુડ ફિલ્મ પણ આવી રહી છે.

Robert Oppenheimer Movie: પરમાણુ બોમ્બની શોધ કરનાર અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ઓપેનહેઇમરનું જીવન ઘણુ સંઘર્ષમયી હતુ અને તેમની બાયોગ્રાફી પર એક હોલીવુડ ફિલ્મ પણ આવી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Robert Oppenheimer | atomic bomb | nuclear bomb | Albert Einstein |

આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને રોબર્ટ ઓપેનહેમર ઈન્સ્ટીટ્યુટ ફોર એડવાન્સ સ્ટડી ખાતે એક સાથે દેખાઇ રહ્યા છે. (Photo: Wikimedia Commons)

પરમાણુ બોમ્બ એ સમગ્ર વિશ્વ માટે વિનાશક મનાય છે. પરમાણુ બોમ્બના સર્જકના જીવન ઉપર એક હોલીવુડ ફિલ્મ બની રહી છે. પરમાણુ બોમ્બની શોધ કરનાર અમેરિકન વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ ઓપેનહેઇમર. રોબર્ટ ઓપનહેઇમર જેવુ જીવન બહુ જીવતા હોય છે. એટલુ બધુ નાટકીય, ટ્વિસ્ટ અને ટર્નથી ભરેલું, આટલી બધી ખુશીઓ અને એટલું દુ:ખ, જે હવે સિલ્વર સ્ક્રીન પર પણ જોવા મળશે.

Advertisment

રોબર્ટ ઓપેનહેઇમર પ્રથમ ક્રમના થિયોરિટીકલ ભૌતિકશાસ્ત્રી હતા - તે સમયગાળા દરમિયાન જ્યારે થિયોરિટીકલ ભૌતિકશાસ્ત્રી વિજ્ઞાનના રોકસ્ટાર હતા - પરંતુ તેઓ મેનહટન પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે, જે 1940ના દાયકામાં અમેરિકાનું મહત્વપૂર્ણ ગુપ્ત મિશન હતા જેના પરિણામસ્વરૂપ વિશ્વના પ્રથમ અણુ બોમ્બ બન્યો હતો, જેને જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેંકવામાં આવ્યા હતા.

માત્ર 39 વર્ષની વયે તેમને મળેલી આ એક ભૂમિકાએ તેમને અમેરિકામાં સૌથી પ્રસિદ્ધ, પ્રિય અને પ્રભાવશાળી વૈજ્ઞાનિક બનાવ્યા, જેના પ્રતિસ્પર્ધી માત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈનની હતી, જે તે સમયે તે જ સંસ્થામાં હતા. તે પછી તરત જ ઓપેનહાઇમરે નેતૃત્વ કર્યું.

અણુ બોમ્બ બનાવવાના વૈજ્ઞાનિક પરાક્રમ પર તેમને ગર્વ હતો અને હિરોશિમા પર ન્યુક્લિયર બોમ્બ ફેંકવાના નિર્ણયને ટેકો આપ્યો હતો, પરંતુ તેમનું માનવું હતુ કે, સૌથી છેલ્લા સમયે તેનો ઉપયોગ કરવામાં આવશે. હકીકતમાં તેઓ આઈન્સ્ટાઈનની જેમ જ મક્કમપણે યુદ્ધ વિરોધી હિમાયતી હતા.

Advertisment

પરંતુ ઓપેનહાઇમર ઊંચા સ્તરે બહાર જઈ શક્યા નહીં. સામ્યવાદી હોવાની શંકા - તે સમયે અમેરિકા અને તેના સાથીઓ માટે એક ખરાબ શબ્દ - અને, તેના પરિણામ સ્વરૂપ, એક સોવિયેત જાસૂસ, તેની પૂછપરછ કરવામાં આવી હતી, અપમાનિત કરવામાં આવ્યા અને 1954માં ચકચાર સુનાવણીમાં તેમની સુરક્ષા ક્લિયરન્સ છીનવી લેવામાં આવી હતી. તેનો અર્થ એવો થયો છે કે, તેમને દેશની ગોપનિયતા માટે સલામત માનવામાં આવ્યા નહીં અને સરકારમાંથી તેમને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા.

તેમ છતાં તેમને પ્રિન્સટન યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝમાં તેના ડિરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા અને તેઓ આ પદ પર વર્ષ 1967માં 63 વર્ષની વયે ગળાના કેન્સરને કારણે તેમના મૃત્યુ પામ્યા ત્યાં સુધી રહ્યા હતા.

જો કે ગત વર્ષે ડિસેમ્બરમાં, 1954ની સુનાવણીના લગભગ 70 વર્ષ પછી અને તેમના મૃત્યુના 50 વર્ષ બાદ, અમેરિકા એ ઔપચારિક રીતે તે નિર્ણય પાછો ખેંચ્યો અને તેમના સિક્યોરિટી ક્લિયરન્સ પુનઃસ્થાપિત કર્યા.

કરિયરની દમદાર શરૂઆત

રોબર્ટ ઓપેનહેઇમર, જર્મનીથી બીજી પેઢીના યહૂદી શરણાર્થી હતા અને ન્યુયોર્કના પોશ વિસ્તારમાં મોટા થયા હતા, તેમના પિતા કાપડના વેપારી હતા. ભણવામાં તેજસ્વી પરંતુ સામાજિક રીતે નબળાં વર્ગના ઓપનહેઇમરે વર્ષ 1921માં 17 વર્ષની વયે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો.તે સમયે ભૌતિકશાસ્ત્રમાં થઈ રહેલી નવી ક્રાંતિકારી શોધોમાં રસ કેળવ્યો, અને ઉચ્ચ સ્તરીય ભૌતિકશાસ્ત્રમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી.

હાર્વર્ડથી, ઓપેનહેઇમર યુરોપ ગયા જ્યાં ભૌતિકશાસ્ત્રીઓ આશ્ચર્યજનક પરિણામોની શ્રેણીની જાણ કરી રહ્યા હતા જે આખરે ક્વોન્ટમ થિયરીની સ્થાપના તરફ દોરી ગયા. ઓપેનહેઇમર પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર કરવાનો ઇરાદો ધરાવતા હતા પરંતુ કેમ્બ્રિજ ખાતે અર્નેસ્ટ રધરફોર્ડની પ્રયોગશાળા દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો. તેમણે જેજે થોમસનની લેબોરેટરીમાં થોડાક સમયગાળા સુધી કામ કર્યુ પરંતુ પાછળથી નીકળી ગયા.

પ્રથમ વખત નિષ્ફળતા અને અસ્વીકારનો સામનો કરવો પડ્યો જેના કારણે રોબર્ટ ઓપેનહાઇમર માટે આ થોડાક મહિનાઓ તેમના જીવનનો સૌથી ખરાબ સમય હતા. તે ડિપ્રેશનના ભોગ બન્યા અને તેમની સ્કિઝોફ્રેનિયાની સારવાર કરવામાં આવી. ઘણા આત્મકથા લેખકોએ ઉલ્લેખ કર્યો છે કે, આ તબક્કા દરમિયાન ઓપેનહાઇમરે તેના બાળપણના મિત્ર ફ્રાન્સિસ ફર્ગ્યુસનને પેરિસમાં ગેટ-ટુ-ગેધર દરમિયાન દેખીતી રીતે કોઈ કારણ વગર ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓ એક ઘટનાનું પણ વર્ણન કરે છે જેમાં ઓપેનહાઇમરે થોડા મિત્રોને કહ્યું હતું કે તેણે પ્રયોગશાળામાં તેના એક શિક્ષક પેટ્રિક બ્લેકેટના ડેસ્ક પર ઝેરી સફરજન રાખ્યું હોવાનું કહેવાય છે. તેણે ખરેખર આવુ કર્યું હતું કે કેમ તે જાણી શકાયું નથી, પરંતુ બ્લેકેટ સ્પષ્ટપણે તેનાથી બચી ગયા અને 1948માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો.

પ્રથમ સફળતા

22 વર્ષનો ઓપેનહેઇમર ભાગ્યશાળી હતો કે તેના તરફ મેક્સ બોર્નનું ધ્યાન ખેંચ્યુ, જેઓ ક્વોન્ટમ થિયરીના પ્રણેતાઓમાંના એક હતા, જેમણે તેમને જર્મનીમાં ગોટીંગેન ખાતેની યુનિવર્સિટીમાં તેમની સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ત્યાં એક થિયોરિટીકલ ભૌતિકશાસ્ત્રી તરીકે કામગીરી કરી અને માત્ર એક વર્ષમાં જ પીએચડી પૂર્ણ કર્યું. તેમણે તેમના પ્રથમ પેપર્સ પ્રકાશિત કર્યા હતા, જેમાંથી ઓછામાં ઓછું એક, બોર્ન સાથે મળીને લખવામાં આવ્યું હતું, જેમાં એક અદભૂત શોધ થઇ.

ઓપેનહેઇમરે ક્વોન્ટમ થિયરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું પરંતુ તેમણે પોતે અને અન્ય ઘણા લોકોએ વિચાર્યું કે જો તે થોડા વર્ષો પહેલા જ ઘટનાસ્થળે આવી ગયો હોત તો તે વર્નર હેઈઝનબર્ગ, એર્વિન શ્રોડીંગર, વુલ્ફગેંગ જેવા લોકો સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહ્યો હોત. પાઉલી, અને પોલ ડીરાક ક્વોન્ટમ થિયરીના પ્રણેતા હતા. 1920ના દાયકાની શરૂઆતમાં નવી ભૌતિકશાસ્ત્ર એટલી ઝડપી ગતિએ વિકસિત થઈ રહી હતી કે થોડા વર્ષોના તફાવતનો અર્થ એક પેઢી જેટલું હતું.

સિલ્વાન શ્વેબર- ભૌતિકશાસ્ત્રી અને 'આઈન્સ્ટાઈન એન્ડ ઓપેનહેઇમર: ધ મીનિંગ ઓફ જીનિયસ' પુસ્તકના લેખકે લખે છે કે - મારું માનવુ છે કે, ઓપેનહાઇમર તેમની પ્રતિભાને જોતાં, 1925 અને 1926 ના નિર્ણાયક વર્ષો દરમિયાન ક્વોન્ટમ મિકેનિક્સની રચનામાં એક જ યોગદાન આપ્યું હોત, જો તે સમયે તેમણે પ્રતિભા દર્શાવી દીધી હતો. 1921માં ખનિજના નમૂનાઓ શોધતી વખતે જર્મનીના પ્રવાસ દરમિયાન તેઓ ટ્રેચ ડાસેન્ટરીની ઝપેટમાં આવી ગાગય, તેમના કારણે તેમને હાર્વર્ડમાં પ્રવેશ મેળવવાનું એક વર્ષ માટે મુલતવી રાખવું પડ્યું, અને આ રીતે તેઓ ક્વોન્ટમ મિકેનિક્સની ઉત્પત્તિમાં યોગદાન આપવામાં એક વર્ષ મોડું થયું."

વર્ષ 1930 અને 1940નો દાયકો ઓપેનહાઇમર માટે ખુબ જ સારો રહ્યો, તેમણે ક્વોન્ટમ ફિઝિક્સ, ન્યુક્લિયર ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સના ઘણા વિષયોમાં વ્યાપકપણે લેખન- પ્રકાશન કર્યું.

આ તે તબક્કો હતો જ્યારે તેમણે સામ્યવાદી ચળવળ સાથે કામગીરી શરૂ કરી. જો કે તેઓ પોતે ક્યારેય સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા ન હતા, તેમના ઘણા સહયોગીઓ, જેમાં તેમની પ્રથમ ગર્લફ્રેન્ડ, તેમની પત્ની, મિત્રો અને તેમના ઘણા વિદ્યાર્થીઓ હતા તેમાં જોડાયેલા હતા. સામ્યવાદીને દાન આપવાના કારણે, ઓપેનહેઇમરને યુએસ એફબીઆઈ સર્વેલન્સની રડારમાં આવ્યા હતા. આ સંગઠનો ઓપેનહેઇમર માટે તેના પછીના જીવન દરમિયાન સહાયક સાબિત થયા હતા.

આ સમય દરમિયાન ઓપેનહાઇમરે પ્રખ્યાત રીતે સંસ્કૃત શીખ્યા અને પ્રાચીન હિંદુ ગ્રંથો વાંચ્યા, ખાસ કરીને ભગવક ગીતા. પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યા બાદ તેમમે ભગવત ગીતાનો શ્લોક વાંચ્યો હતો.

ભગવદ ગીતાથી પ્રભાવિત થયા

સંસ્કૃત અને હિંદુ ધર્મમાં ઓપેનહાઇમરને અસાધારણ રસ હતો. નીલ્સ બોહર, એર્વિન શ્રોડીન્ગર અને વર્નર હેઈઝનબર્ગ જેવા ક્વોન્ટમ ફિઝિક્સના મહાનુભાવો સહિત અન્ય ઘણા વૈજ્ઞાનિકો પ્રાચીન હિંદુ ગ્રંથોમાં વર્ણિત માહિતીથી પ્રેરિત થયા છે, પરંતુ આનો અભ્યાસ કરવા માટે સંસ્કૃત ભાષા શીખનાર થોડા લોકોમાં ઓપેનહાઇમરનો સમાવેશ થાય છે.

જેમ રે સાધુ ઈન્સાઈડ ધ સેન્ટરમાં લખે છે, ઓપેનહાઇમરે માત્ર ગીતા જ નહીં, તેમણે વેદ, કાલિદાસનું મેઘદૂતમ અને પંચતંત્ર પણ વાંચ્યા હતા.

શ્વેબરે તેના પુસ્તકમાં લખ્યું છે, "તેમણે ભગવત ગીતા પુસ્તક તેમના ડેસ્કની સૌથી નજીકના બુકશેલ્ફ રાખતા હતા અને ઘણીવાર તે પુસ્તક (અનુવાદમાં) મિત્રોને ભેટમાં પણ આપ્યા હતા. લોસ એલામોસ લેબોરેટરી (જ્યાં પરમાણુ બોમ્બ બનાવવામાં આવ્યો હતો) ના ડિરેક્ટર હતા ત્યારે તેઓ ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કરતા હતા.”

ગીતાનો પ્રભાવ, ખાસ કરીને કર્મ, અથવા ફરજ પરનો ભાર અને અંતિમ પરિણામથી અળગા રહેવાને, અણુ બોમ્બના પ્રયાસના ઓપેનહાઇમરના નેતૃત્વમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનું જોવામાં આવે છે. અન્ય ઘણા લોકોની જેમ, તેમનો અભિપ્રાય હતો કે બોમ્બ તમામ યુદ્ધોનો અંત લાવશે. હિટલર તરફથી ખતરો દૂર થયા પછી અને જર્મનીએ શરણાગતિ સ્વીકારી લીધા પછી, તેઓ એ સમિતિનો હિસ્સો હતો જેણે હિરોશિમાને પરમાણુ બોમ્બ ફેંકવા માટે પસંદ કર્યું હતું. તેમના પછીના વર્ષોમાં, તેમને વારંવાર પૂછવામાં આવ્યું કે શું તેમને લોસ એલામોસ પ્રયોગશાળાનું નેતૃત્વ કરવા બદલ અફસોસ છે, અને તેમણે હંમેશા નકારાત્મક જવાબ આપ્યો છે.

નવેમ્બર 1945 માં લોસ એલામોસ લેબોરેટરીમાં તેમનું વિદાય ભાષણ પ્રવર્તમાન પરિસ્થિતિને સ્પષ્ટપણે પ્રદર્શિત કરે છે કારણ કે તેમણે તે જોયું હતું, યુદ્ધ-મુક્ત વિશ્વ તરફ જે પગલાં લેવાની જરૂર હતી અને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોએ જે ભૂમિકા ભજવવી જોઈએ તે ખૂબ જ આગ્રહ પૂર્વક વાંચવામાં આવી છે.

જો કે તેઓ યુદ્ધની ભયાનકતાથી ભાંગી પડ્યા નહી અને સંઘર્ષ ચાલુ રાખ્યો. તેમણે એકવાર કહ્યુ હતુ કે, ગીતામાં કૃષ્ણનો વૈરાગ્ય અંગેનો ઉપદેશ પણ તેમને દિલાસો આપી શક્યો ન હતો, કદાચ એટલા માટે કે તેઓ પૂર્ણ હિંદુ ન હતા.

"જો હું અર્જુનને વિષ્ણુની દલીલથી દિલાસો આપી શકતો નથી, તો તેનું કારણ એ છે કે હું ખૂબ જ યહૂદી છું, ખૂબ જ ખ્રિસ્તી છું, ખૂબ જ યુરોપિયન છું, ખૂબ જ અમેરિકન છું. કારણ કે હું માનવ ઈતિહાસની સાર્થકતા અને તેમાં આપણી ભૂમિકામાં અને સૌથી ઉપર તેની જવાબદારીમાં વિશ્વાસ રાખું છું.

science એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge વિશ્વ