/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Russia-armed-mutiny-crisis.jpg)
રશિયામાં ખાનગી સૈન્ય દ્વારા બળવાનું સંકટ
Russia armed mutiny crisis : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓ વધી રહી છે. રશિયાની રાજધાની મોસ્કોમાં ટેન્ક તૈનાત કરી દેવામાં આવી છે. આવું ક્રેમલિનની સુરક્ષા માટે કરવામાં આવ્યું છે, કારણ કે આશંકા છે કે, રશિયામાં બળવો થઈ શકે છે. સમાચાર એજન્સી TASSએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, શનિવારે રાત્રે મોસ્કોની સડકો પર સૈન્ય વાહનો જોવા મળ્યા હતા.
ખાનગી સૈન્ય વેગનર જૂથે બળવો કરવાનો નિર્ણય કર્યો
રશિયાની ખાનગી સેના વેગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો છે. આ પછી રશિયન સેના અને વેગનર ગ્રુપ વચ્ચે તણાવ સર્જાયો છે. તો, રશિયન રાષ્ટ્રપતિ પણ આને લઈને ચિંતિત છે અને અધિકારીઓ દ્વારા આને તખ્તાપલટના પ્રયાસ ગણાવી, દરેક ઘટનાક્રમની માહિતી આપવામાં આવી રહી છે. ક્રેમલિને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સંરક્ષણ મંત્રાલય અને આંતરિક બાબતોનું મંત્રાલય પુતિન સાથે સતત સંપર્કમાં છે.
યુક્રેનના બખ્મુતમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઈલ હુમલો થયો હતો અને વેગનર જૂથના વડા યેવજેની પ્રિગોઝિને આ હુમલા માટે રશિયન સૈન્યને જવાબદાર ઠેરવ્યું હતું. પ્રિગોઝિને શપથ લીધા કે, અમે મોસ્કો જઈ રહ્યા છીએ અને જે કોઈ અમારા સેન્ટર્સમાં પ્રવેશ કરશે કે રોકશે તો તેના માટે તે ખુદ જવાબદાર રહેશે.
પ્રિગોઝિને શનિવારે સવારે દાવો કર્યો હતો કે, તેમની સેના યુક્રેનથી રશિયામાં ઘુસી ગઈ છે અને રોસ્ટોવ સુધી પહોંચી ગઈ છે. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓને ચોકીઓ પર સૈનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો નથી અને તેમના દળો બાળકો સામે લડી રહ્યા નથી.
પ્રિગોઝિને શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં જણાવ્યું હતું કે, "અમે આગળ વધી રહ્યા છીએ અને અંત તરફ આગળ વધીશું, પરંતુ જે પણ અમારા માર્ગમાં આવશે અમે તેને સમાપ્ત કરીશું," તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જનરલ સ્ટાફના ચીફ જનરલ વેલેરી ગેરાસિમોએ સામાન્ય વાહનોની સાથે મુસાફરી કરતા અમારા કાફલા પર હુમલો કરવા માટે યુદ્ધ વિમાનો મોકલ્યા હતા. પ્રિગોઝિને એમ પણ આક્ષેપ કર્યો કે, તેમના સૈન્યએ નાગરિક કાફલા પર ગોળીબાર કરનારા રશિયન લશ્કરી હેલિકોપ્ટરને ઠાર માર્યું હતું.
Closely monitoring the situation in Russia as it unfolds.
In touch with European leaders and @G7 partners.
This is clearly an internal Russian issue.
Our support for Ukraine and @ZelenskyyUa is unwavering.— Charles Michel (@CharlesMichel) June 24, 2023
તમને જણાવી દઈએ કે, રશિયન સૈન્ય ક્રેમલિન અને ખાનગી વેગનર જૂથ વચ્ચેના તણાવમાં નાટકીય રીતે વધારો થયો છે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે જૂથના કથિત વડા અને માલિક, યેવગેની પ્રિગોઝિન પર "ગુનાહિત સાહસ અભિયાન" અને "સશસ્ત્ર બળવો" કરવાનો આરોપ લગાવ્યો છે. દેશની સેના. પુતિને "સેના સામે હથિયાર ઉપાડનારા" તમામને "દેશદ્રોહી" તરીકે ઓળખાવ્યા છે, "આ અમને અંદરથી તોડવાનો પ્રયાસ છે. આ દેશદ્રોહ છે."
રશિયન પ્રમુખનું રેકોર્ડ કરાયેલ નિવેદન રશિયન સેનાપતિઓએ પ્રિગોઝિનની ધરપકડ માટે આપેલા આહ્વાહનના કલાકો પછી આવ્યું, તેમના પર બળવાના પ્રયાસનો આરોપ મૂક્યો છે. રશિયન સત્તાવાળાઓએ "સશસ્ત્ર બળવો ગોઠવવા" માટે પ્રિગોઝિન સામે પણ તપાસ શરૂ કરી દીધી છે.
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વેગનરના વડાએ સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા રેકોર્ડિંગ્સની શ્રેણીમાં દાવો કર્યો કે, રશિયન દળોએ તેમના માણસો પર મિસાઈલ હુમલો કર્યો. જોકે, તેમણે કોઈ પુરાવા આપ્યા ન હતા. પ્રિગોઝિને સંદેશાઓમાં વચન આપ્યું હતું કે, "જેઓએ અમારા યુવાનોનો નાશ કર્યો છે તેમને સજા આપીશુ."
The Romanian 🇷🇴 authorities are monitoring closely the evolutions of the events in Russia. I am permanently informed about the developments. We are in constant contact with the Allies.
— Klaus Iohannis (@KlausIohannis) June 24, 2023
વેગનર ગ્રૂપ અને રશિયન સૈન્ય વચ્ચેના સંબંધો તાજેતરના મહિનાઓમાં વધુને વધુ તંગ બન્યા છે, પ્રિગોઝિને ટોચના સૈન્ય અધિકારીઓની ખુલ્લેઆમ ટીકા કરી હતી, તેમના પર "ભ્રષ્ટાચાર અને નિયમિત સૈનિકોના જીવન પ્રત્યે ઉદાસીનતા" હોવાનો આરોપ મૂક્યો હતો.
વર્તમાન સ્થિતિ શું છે?
પ્રિગોઝિને શનિવારે સવારે દાવો કર્યો હતો કે, તે દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોનમાં રશિયન આર્મી હેડક્વાર્ટરની અંદર પહોંચી ગઈ હતી અને તેમના લડવૈયાઓએ શહેરમાં લશ્કરી સ્થળો પર નિયંત્રણ મેળવી લીધું હતું. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર એક વિડિયો બહાર પાડ્યો હતો, જેમાં માગણી કરવામાં આવી હતી કે રશિયન સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ અને ટોચના જનરલ વેલેરી ગેરાસિમોવ તેમને ઘટનાસ્થળે મળે.
વેગનર ચીફે વીડિયોમાં કહ્યું, "અમે અહીં પહોંચ્યા છીએ, અમે ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ અને શોઇગુનું સ્વાગત કરવા માંગીએ છીએ."
"જ્યાં સુધી તેઓ આવશે નહીં ત્યાં સુધી, અમે અહીં રહીશું, અમે રોસ્ટોવ શહેરની નાકાબંધી કરીશું અને મોસ્કો માટે રવાના થઈશું."
જવાબમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર એક નિવેદન પોસ્ટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વેગનર જૂથના લડવૈયાઓને તેમના નેતા દ્વારા "છેતરવામાં આવી રહ્યા છે અને ગુનાહિત વિદ્રોહમાં સંડોવવામા આવી રહ્યા છે". અલ જઝીરાએ અહેવાલ આપ્યા મુજબ, તેણે તેમને "તેમના પ્રતિનિધિઓ અને કાયદા અમલીકરણ સેવાઓનો સંપર્ક કરવા વિનંતી કરી, અને તેમની સલામતીની ખાતરી આપવાનું વચન આપ્યું."
Estonia is closely following the development of the situation in Russia and exchanging information with allies.
I can assure that there is no direct threat to our country.
Border security has been strengthened. I also urge our people not to travel to any part of Russia.— Kaja Kallas (@kajakallas) June 24, 2023
આ દરમિયાન, મોસ્કોના મેયરે અહેવાલ આપ્યો કે, વેગનર જૂથ દ્વારા શરૂ કરાયેલી ધમકીઓ વચ્ચે રશિયન રાજધાનીમાં "આતંક વિરોધી" પગલાં લાગુ કરવામાં આવ્યા છે.
અલ જઝીરા અનુસાર, મેયર સર્ગેઈ સોબ્યાનિને સોશિયલ મીડિયા પર કહ્યું, "મોસ્કોમાં આવી રહેલી માહિતીના સંદર્ભમાં, સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે."
એનવાયટીના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, મોસ્કો અને રોસ્ટોવ-ઓન-ડોનમાં સૈન્ય અને નેશનલ ગાર્ડના સશસ્ત્ર વાહનો તૈનાત છે.
વેગનર ગ્રુપ શું છે?
વેગનર ગ્રૂપ પ્રથમ વખત 2014માં રશિયાના ક્રિમિયાના જોડાણ દરમિયાન સામે આવ્યું હતું. મૂળભૂત રીતે કોન્ટ્રાક્ટરોનું નેટવર્ક જે ખાનગી યુવાઓ સપ્લાય કરે છે, આ જૂથ ક્યાંય નોંધાયેલ નથી અને તેના ભંડોળનો સ્ત્રોત અજાણ છે.
યુરોપિયન યુનિયન અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, સંસ્થાને રશિયન કુલિન વર્ગ અને (પૂર્વમાં) પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગી એવા યેવજેની પ્રિગોઝિનનું સમર્થન પ્રાપ્ત છે - ક્રેમલિન અને પ્રિગોઝિ બંનેને તેમના સંગઠનના દાવાઓને નકારી કાઢ્યા છે. વેગનર ગ્રૂપ કથિત રીતે યુક્રેન સિવાય પશ્ચિમ એશિયા અને આફ્રિકાના ઘણા દેશોમાં સક્રિય છે.
ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી, ઘણા સમાચાર અહેવાલોએ દાવો કર્યો છે કે, યુકેના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જૂથમાં - જેમાં યુક્રેનમાં 50,000 થી વધુ ખાનગી સૈનિકો સામેલ છે - જે રશિયાના યુદ્ધ પ્રયત્નોને સમર્થન આપી રહ્યું છે.
ખાનગી સંગઠને યુક્રેનના ડોનેટ્સક પ્રાંતના નાના શહેર બખ્મુતમાં લગભગ એક વર્ષ સુધી યુક્રેનિયન દળો સામે લડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મેના છેલ્લા અઠવાડિયે, રશિયન સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી કે, આખરે દેશે શહેરને કબજે કરી લીધું છે - મંત્રાલય અને પુતિન બંનેએ ઓપરેશનમાં તેની ભૂમિકા માટે વેગનર જૂથને શ્રેય આપ્યો હતો.
આ ખાનગી ગ્રુપ પર માત્ર યુક્રેનમાં જ નહીં પરંતુ આફ્રિકામાં પણ હજારો હત્યા, સામૂહિક બળાત્કાર, ત્રાસ, બળજબરીથી અપહરણ કરવા અને લોકોના વિસ્થાપનમાં સામેલ હોવાનો આરોપ છે. તાજેતરમાં, તેના પર માર્ચ 2022 માં યુક્રેનના બુચામાં નાગરિકોનો નરસંહાર, બળાત્કાર અને ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
વેગનર જૂથ અને રશિયન સૈન્ય વચ્ચે શા માટે અણબનાવ થયો છે?
એનવાયટી અનુસાર, પ્રિગોઝિ દ્વારા શનિવારે પોસ્ટ કરાયેલા રેકોર્ડિંગ્સની સિરીઝમાં, પ્રિગોઝિને રશિયન સૈન્ય પર તેમના જૂથની શિબિરો પર હુમલો કરવાનો અને "મોટી સંખ્યામાં લડવૈયાઓની" હત્યા કરવાનો આરોપ મૂક્યો.
ટેલિગ્રામ સોશિયલ નેટવર્ક પર બહાર પાડવામાં આવેલ ઓડિયો રેકોર્ડિંગમાં, વેગનર ચીફે કહ્યું હતું કે, "દેશના લશ્કરી નેતૃત્વ દ્વારા આચરવામાં આવતી દુષ્ટતાને રોકવી જોઈએ" અને તેમના "25,000" યુવાનો રોસ્ટોવ-ઓન તરફ "ન્યાય માટે કૂચ" કરી રહ્યા છે.
તેણે એવો પણ દાવો કર્યો હતો કે, રશિયન સૈન્ય અધિકારીઓએ યુક્રેન સામે યુદ્ધમાં જવા પાછળના કારણો વિશે પુતિન સાથે ખોટું બોલ્યા હતા. પ્રિગોઝિને કહ્યું, "રશિયન નાગરીકોને પોતાની સીમામાં પાછા લાવવા માટે યુદ્ધની જરૂર ન હતી, ન તો યુક્રેનને બિનસૈન્યીકરણ અથવા ડિકોલોનાઇઝ કરવા માટે." એનવાયટીએ અહેવાલ આપ્યો કે, "યુદ્ધ જરૂરી હતું, જેથી પ્રાણીઓનું જૂથ સરળતાથી ભવ્યતાનો આનંદ માણી શકે."
રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સીના ડેપ્યુટી હેડ લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર અલેકસેયેવે આકરા પ્રત્યુત્તરમાં કહ્યું, "આ દેશ અને રાષ્ટ્રપતિની પીઠમાં છૂરો ગોપવા જેવી બાબત છે." તેમણે રોસ્ટોવ-ઓન-ડોન તરફ વેગનર ગ્રૂપના માર્ચને "બળવા" તરીકે ગણાવ્યું.
આ પણ વાંચો - PM Modi Speech US Congress: યુએસ કોંગ્રેસમાં પીએમ મોદીનું સંબોધન : હાઇલાઇટ્સ
વેગનરના જૂથ અને રશિયન સૈન્ય વચ્ચેનો સૌથી તાજેતરનો મુકાબલો મેની શરૂઆતમાં બકમથના યુદ્ધ દરમિયાન થયો હતો, જ્યારે પ્રિગોઝિને ફરિયાદ કરી હતી કે, રશિયનો તેમના લડવૈયાઓને શહેર કબજે કરવા માટે પૂરતો દારૂગોળો પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યા હતા, અને તેમને બહાર કાઢી મુકવાની ધમકી આપી હતી.
એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ, પ્રિગોઝિન ઘણા મહિનાઓથી રશિયન સૈન્ય નેતાઓ પર અસમર્થતાનો આરોપ મૂકી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "તેમની વારંવારની ફરિયાદો રશિયાની કડક રીતે નિયંત્રિત રાજકીય વ્યવસ્થા માટે અભૂતપૂર્વ છે, જેમાં માત્ર પુતિન જ આવી આલોચના કરી શકે છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us