/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/World-biggest-Bhola-cyclone.jpg)
વિશ્વનું સૌથી વિનાશક 'ભોલા' વાવાઝોડું
World biggest Bhola cyclone : વિશ્વનું સૌથી વિનાશક 'ભોલા' વાવાઝોડું 12 નવેમ્બર 1970 ના રોજ તાબાહી લઈ આવ્યું હતું, આ ચક્રવાત પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ) ના દરિયાકાંઠે અથડાયું હતું, જેને વિશ્વ હવામાન સંસ્થા દ્વારા વિશ્વના સૌથી વિનાશક ઉષ્ણકટિબંધીય ચક્રવાત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આના કારણે થયેલા વિનાશથી પૂર્વ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ શરૂ થયું અને આખરે ભારતના લશ્કરી હસ્તક્ષેપને કારણે બાંગ્લાદેશના નવા રાષ્ટ્રનો ઉદભવ થયો.
આ ચક્રવાતના રાજકીય અને સામાજિક પરિણામો અને ઇતિહાસનો માર્ગ બદલવાનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચક્રવાત ભોલાથી 3, 00,000 થી 5, 00,000 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના બંગાળની ખાડીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં મૃત્યુ પામ્યા, રાતો-રાત લાખો લોકો તેનો ભોગ બન્યા.
નિષ્ણાતોના મતે, અપૂરતી રાહતને કારણે અસંતોષ વધ્યો, જેણે પ્રચંડ રાજકીય અસર ઉભી કરી હતી, જે સામાજિક અશાંતિ અને ગૃહયુદ્ધ તરફ દોરી જાય છે અને નવા રાષ્ટ્રનું નિર્માણ કરે છે. નિષ્ણાતો કહે છે કે, તે દસ્તાવેજીકૃત સૌથી વિનાશક કુદરતી આપત્તિઓમાંની એક છે અને 20મી સદીની સૌથી ખરાબ કુદરતી આપત્તિ છે.
વાવાઝોડું દરિયાકિનારે પહોંચે તે પહેલાં, રેડિયો પર વારંવાર વિગતો સાથે 'રેડ-4, રેડ-4'ની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જો કે, લોકો ચક્રવાત શબ્દથી પરિચિત હતા, તેઓ જાણતા ન હતા કે RED-4 નો અર્થ 'રેડ એલર્ટ' છે. ત્યાં, 10-અંકની ચેતવણી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વાવાઝોડાની તીવ્રતા જણાવવામાં આવી હતી.
#WATCH#BiparjoyCyclone | ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું, નલિયા- જખૌ રોડ પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ, નલિયા - જખૌ માર્ગ પર એક પેટ્રોલ પમ્પને વાવાઝોડાથી ભારે નુકસાન થયુ હોવાનું નજરે પડે છે #Gujaratcyclone#IMD#Naliya#CycloneAlert#CycloneBiporjoyUpdatepic.twitter.com/UCzSocE72Q
— IEGujarati (@IeGujarati) June 15, 2023
પશ્ચિમ પાકિસ્તાનમાં (આજનું પાકિસ્તાન), જનરલ યાહ્યા ખાનની આગેવાની હેઠળની તત્કાલીન સરકારે દાવો કર્યો હતો કે, લગભગ 191,951 મૃતદેહો મળી આવ્યા હતા અને લગભગ 150,000 લોકો ગુમ થયા હતા. વિશ્લેષકોએ દલીલ કરી હતી કે, 1970ના ચક્રવાતને રાજકીય ઉથલપાથલ અને અલગતા માટે શ્રેય આપવો જોઈએ.
બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ પર લેન્ડફોલ થાય તે પહેલા કચ્છના પિંગ્લેશ્વર બીચ પર દરિયો તોફાની બન્યો, 15 ફૂટ કરતા પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. #liveupdates#Biparjoylive#biparjoycyclone#biparjoybreakings#biparjoylatestupdates#Biparjoy#News#Gujaratcyclone#Pinglesgwarbeachpic.twitter.com/9RePDtg9GE
— IEGujarati (@IeGujarati) June 15, 2023
આ પણ વાંચો - ભારતના પાંચ સૌથી મોટા વાવાઝોડા: 24 વર્ષ પહેલા સુપર ચક્રવાતે સૌથી મોટી તબાહી મચાવી હતી, 10000 લોકોના મોત થયા હતા
તેમણે કહ્યું કે, 'ભોલા'એ પૂર્વ પાકિસ્તાનમાં હાલના સામાજિક-રાજકીય અને આર્થિક તણાવમાં વધારો કર્યો. 1970 ના ચક્રવાતે પૂર્વ પાકિસ્તાનના રાજકીય માળખામાં કોઈ ફેરફાર કર્યો ન હતો, પરંતુ તેણે પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાની માંગને વેગ આપ્યો હતો. અવામી લીગના નેતા શેખ મુજીબે ચક્રવાત ભોલાના પીડિતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આમ, કુદરતી આફતને રાજકીય રંગ આપવામાં આવ્યો, અને એક નવા દેશનું નિર્માણ થયું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us