Ukadiche Modak: ગણેશ ઉત્સવ દરમિયાન ઘરે બનાવો અસલી મહારાષ્ટ્રીયન મોદક, નોંધી લો સિમ્પલ રેસીપી
August 27, 2025 19:01 IST
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થી જેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણપતિ દાદાનું વિશેષ મહત્વ છે. સમૃધ્ધિ અને જ્ઞાન ના દેવતા, હાથીનું માથું ધરાવતા ભગવાન ગણેશજીના જન્મનો 10 દિવસીય આ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ભાદરવા માસમાં સુદ ચોથ ના દિવસે ગજાનન ભગવાન શ્રી ગણેશનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાય છે. બાળ ગણેશ સ્થાપન સાથે એકી સંખ્યાના દિવસો સુધી ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને અગલે બરસ તૂ જલ્દી આના... ભાવ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી વ્યક્તિગત રીતે અને જાહેર પંડાલમાં ઉત્સાહભેર ઉજવાય છે.