અદાણી ગ્રૂપના તમામ શેરમાં તેજીની સર્કિટ, અદાણી એન્ટરપ્રાઇસ સૌથી વધુ ઉછળ્યો; સંયુક્ત માર્કેટકેપ 10 લાખ કરોડને પાર

Adani group stock : હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપના શેરમાં સૌથી મોટા ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે ગૌતમ અદાણીની માલિકીની લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટકેપ 10 લાખ કરોડને વટાવી ગયું છે.

Written by Ajay Saroya
Updated : May 23, 2023 00:36 IST
અદાણી ગ્રૂપના તમામ શેરમાં તેજીની સર્કિટ, અદાણી એન્ટરપ્રાઇસ સૌથી વધુ ઉછળ્યો; સંયુક્ત માર્કેટકેપ 10 લાખ કરોડને પાર
ગૌતમ અદાણીના માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી પોર્ટ્સ- સેઝ સહિતની કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ જોવા મળી હતી. આ સાથે જ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓ માટે આજનો દિવસ સૌથી બેસ્ટ સાબિત થયો હતો. લિસ્ટેટ કંપનીઓના શેરમાં ઉછાળાને પગલે લગભગ ત્રણેક મહિના બાદ અદાણી ગ્રૂપની માર્કેટકેપ 10 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગઇ હતી.

અદાણી એન્ટરપ્રાઇસમાં તેજીની અપર સર્કિટ

સોમવાર શેર બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે ઇન્ટ્રા-ડે 2344 રૂપિયાની ટોચ બનાવી સેશનના અંતે 19 ટકાની તેજીમાં 2325 રૂપિયાના ભાવે બંધ હતો. જે ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ભાવ છે. તેના શેર ગત શુક્રવારે 1956 રૂપિયાના ભાવે બંધ થયો હતો. શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં ઉપલી સર્કિટ સાથે આજે લાલધૂમ તેજી જોવા મળી હતી.

અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓની વાત કરીયે તો આજે અદાણી એન્ટરપ્રાઇસ બાદ સૌથી વધુ વધનાર સ્ટોક અદાણી વિલ્મર હતો. અદાણી વિલ્મરનો શેર સોમવારે 10 ટકાની તેજીની સર્કિટ સાથે 444 રૂપિયાના ભાવે ફ્રિજ થયો હતો. અન્ય 7 કંપનીઓના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ લાગી હતી. નોંધનિય છે કે, આજે સોમવારે બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 234 પોઇન્ટ વધીને 61963 અને એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ 111 પોઇન્ટના સુધારામાં 18314ના સ્તરે બંધ થયા હતા.

કંપનીનું નામબંધ ભાવ(₹)ઉછાળોમાર્કેટકેપ (₹ કરોડમાં)
અદાણી એન્ટરપ્રાઇસ232518.84%265112.96
અદાણી વિલ્મર444.4010.00%57757.72
અદાણી પોર્ટ-સેઝ7296%157614.54
અદાણી પાવર2485%95652.09
અદાણી ટ્રાન્સમિશન8255%92067.19
અદાણી ગ્રીન એનર્જી9425%149279.22
અદાણી ટોટલ ગેસ7215%79334.80
અંબુજા સિમેન્ટ4235%84111.93
એનડીટીવી1865%1202.07
એસીસી સીમેન્ટ18145%34079.63

અદાણી ગ્રૂપનું માર્કેટકેપ 10 લાખ કરોડનો પાર

લિસ્ટેડ કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ સાથે અદાણી ગ્રૂપનુ સંયુક્ત માર્કેટ 10 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવી ગયુ છે. હિંડનબર્ગ રિસર્ચ વિવાદ અદાણી ગ્રૂપના શેર સતત કડાકાને પગલે અદાણી ગ્રૂપનું સંયુક્ત માર્કેટકેપ ઘટીને 6.8 લાખ કરોડને તળિયે આવી ગયું. જ્યારે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ જાહેર કર્યો હતો તે દિવસ અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપ 19.2 લાખ કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચોઃ અદાણી હિંડનબર્ગ વિવાદઃ સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે 3 મહિનાનો સમય આપ્યો, 14 ઓગસ્ટ સુધી રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ

અદાણી ગ્રૂપના શેર કેમ ઉછળ્યા

ગત શુક્રવારે અદાણી કેસની તપાસ માટે રચાયેલી સુપ્રીમ કોર્ટની પેનલનો અહેવાલ શુક્રવારે સાર્વજનિક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તપાસ સમિતિ કહ્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ તેના શેરમાં કોઇ ગેરરીતિના પુરાવા મળ્યા નથી. ઉપરાંત સેબીના રિપોર્ટમાં કંઈ પણ વાંધાજનક મળ્યું નથી.

હિંડનબર્ગ રિપોર્ટ વિવાદ બાદ રોકાણકારોનો વિશ્વાસ ફરી હાંસલ કરવા અને શેરના ભાવને ઉંચે લઇ જવા માટે ગૌતમ અદાણી નક્કર પગલાં લઇ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ