Adani Hindenburg row: અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે સમિતિ રચાશે, કેન્દ્રનું 'સિલબંધ કવર' સ્વીકારવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Adani Hindenburg case hearing: અદાણી હિંડનબર્ગ વિવાદના (Adani Hindenburg row) કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગૌતમ અદાણીની (Gautam Adani) માલિકીના અદાણી ગ્રૂપની (Adani Group) તપાસ કરવા એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો. ઉપરાંત સ્ટોક માર્કેટ (Stock market) માટેના રેગ્યુલેશનને મજબૂત કરવાના સૂચનો સંબંધિત કેન્દ્ર સરકારનું (central government) 'સિલબંધ કવર' (sealed cover) સ્વીકારવા ઇન્કાર કર્યો.

Adani Hindenburg case hearing: અદાણી હિંડનબર્ગ વિવાદના (Adani Hindenburg row) કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગૌતમ અદાણીની (Gautam Adani) માલિકીના અદાણી ગ્રૂપની (Adani Group) તપાસ કરવા એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો. ઉપરાંત સ્ટોક માર્કેટ (Stock market) માટેના રેગ્યુલેશનને મજબૂત કરવાના સૂચનો સંબંધિત કેન્દ્ર સરકારનું (central government) 'સિલબંધ કવર' (sealed cover) સ્વીકારવા ઇન્કાર કર્યો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gautam Adani

અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ વિવાદની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

અદાણી ગ્રૂપ અને હિંડનબર્ગ કેસ સંબંધિત અરજી પર શુક્રવારે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મોટા નિર્ણય લીધા છે. સર્વોચ્ચ અદાલતે અદાણી - હિંડનબર્ગ કેસમાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે અને આ સમિતિના સભ્યોની નિમણૂક સંબંધિત બાબતે કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્ટોક માર્કેટ માટેના રેગ્યુલેશનને મજબૂત કરવા માટેની માહિતી આપતા કેન્દ્ર સરકારના સૂચનોને સીલબંધ કવરમાં સ્વીકારવા ઇનકાર કર્યો હતો.

Advertisment

અમે પારદર્શિતા જાળવી રાખવા માંગીએ છીએઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે કહ્યું કે, તેઓ રોકાણકારોના હિતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે અને અમે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકારના સૂચનોનો સ્વીકાર કરશે નહીં. ખંડપીઠે કહ્યું કે, "અમે તમારા સૂચનો સીલબંધ કવરમાં સ્વીકારીશું નહીં કારણ કે અમે પારદર્શિતા જાળવવા માંગીએ છીએ."

સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વખતે પહેલા 10 ફેબ્રુઆરીના રોજ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાની પૃષ્ઠભૂમિમાં બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય રોકાણકારોના હિત અંગે ટિપ્પણી કરી હતી. તે સમયે અદાલતે કેન્દ્ર સરકારે નિયમનકારી પ્રણાલીને મજબૂત કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ ક્ષેત્રના નિષ્ંણાતોની સમિતિ બનાવવા અંગે વિચારણા કરવા જણાવ્યું હતું.

Advertisment

અદાણી-હિંડનબર્ગ વિવાદમાં જનહિતની 4 અરજીઓ દાખલ

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ અને એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનેલા ગૌતમ અદાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અદાણી ગ્રૂપ - હિંડનબર્ગ વિવાદમાં અત્યાર સુધી ચાર જાહેર હિતની અરજીઓ અદાલતમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

નોંધનીય છે કે, અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપ વિરુદ્ધ સામે અનેક આક્ષેપો કર્યા બાદ, અદાણી સમૂહની લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં જબરદસ્ત ધબડકો બોલાયો હતો. જો કે અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચે કરેલા તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે.

આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અગાઉ 17 કંપનીઓનો કર્યો ‘પર્દાફાશ’, વાંચો નાથન એન્ડરસનના કારનામાંઓની કહાણી

અદાણી કંપનીઓના શેરમાં આજે 50-50નો માહોલ

કંપનીનું નામબંધ ભાવવધ-ઘટ
અદાણી ટોટલ ગેસ973-5.00%
અદાણી ટ્રાન્સમિશન919-4.87%
અદાણી એન્ટરપ્રાઇસ1721-4.15%
અદાણી પોર્ટ-સેઝ578+0.28%
એસીસી લિમિટેડ1839-0.08%
અદાણી ગ્રીન એનર્જી628+2.02%
અંબુજા સિમેન્ટ353+1.52%
અદાણી પાવર155+4.97%
અદાણી વિલ્મર437+5.00%
એનડીટીવી217+5.00%
gautam adani ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ શેર બજાર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ