ગૌતમ અદાણીના 'અચ્છે દિન': અદાણીના શેરમાં આગ ઝરતી તેજી, એક સપ્તાહમાં 42 ટકા સુધીનો ઉછાળો

Adani group Stock : અદાણી ગ્રૂપના તમામ શેર શુક્રવારે તેજી સાથે બંધ થયા અને ચાલુ સપ્તાહે લગભગ 42 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. આ તેજી હિંડનબર્ગ રિસર્ચના આપેક્ષોથી મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી દ્વારા ચાર કંપનીનો હિસ્સો અમેરિકાની GQG પાર્ટનર્સને વેચાણને આભારી છે.

Adani group Stock : અદાણી ગ્રૂપના તમામ શેર શુક્રવારે તેજી સાથે બંધ થયા અને ચાલુ સપ્તાહે લગભગ 42 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. આ તેજી હિંડનબર્ગ રિસર્ચના આપેક્ષોથી મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી દ્વારા ચાર કંપનીનો હિસ્સો અમેરિકાની GQG પાર્ટનર્સને વેચાણને આભારી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Adani group Stock

અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ

અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લા ત્રણેક દિવસથી તેજી જોવા મળી રહી છે અને તેમાંય શુક્રવારે તો મોટાભાગના સ્ટોક્સમાં તેજીની અપર સર્કિટ લાગી હતી. જેમાં ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસ કંપનીનો શેર 17 ટકા ઉછળ્યો હતો. આ તેજીનું મુખ્ય કારણ છે ગૌતમ અદાણી દ્વારા અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના હિસ્સાનું અમેરિકાની GQG પાર્ટનર્સ કંપનીને વેચાણ છે.

Advertisment

અદાણીના તમામ શેર તેજીના રેકોટમાં ઉડ્યા

અમેરિકાના GQG પાર્ટનર્સ ઇન્ક દ્વારા અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં હિસ્સો ખરીદવાના અહેવાલ બાદ શુક્રવારે શેર બજારમાં અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ દસે-દસે કંપનીના શેર તેજીની સર્કિટમાં ઉડ્યા હતા. લગભગ 40 દિવસ બાદ અદાણી ગ્રૂપના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે ગૌતમ અદાણીની માલિકીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસનો શેર સૌથી વધુ 17 ટકા ઉછળ્યો હતો. ત્યારબાદ અદાણી પોર્ટ-સેઝ 10 ટકા વધ્યો હતો. અન્ય આઠ કંપનીના શેરમાં 5 ટકાની તેજીની સર્કિટ લાગી હતી.

આ આ સપ્તાહ અદાણી ગ્રૂપના શેર માટે પ્રોત્સાહક રહ્યું છે. આ સપ્તાહે અદાણી એન્ટરપ્રાઇસનો શેર સૌથી વધુ 42 ટકા અને અદાણી પોર્ટ-સેઝના શેરમાં 22 ટકાનું રિટર્ન મળ્યું છે.

અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીની સર્કિટ

કંપનીનું નામઆજનો બંધ ભાવઉછાળોસાપ્તાહિક વધારો
અદાણી એન્ટરપ્રાઇસ1879+16.97%42.5%
અદાણી પોર્ટ-સેઝ684+9.81%22.50
અદાણી પાવર169+4.99%15.44%
અદાણી ટ્રાન્સમિશન743+5.00%4.47%
અદાણી ગ્રીન એનર્જી562+5.00%15.47%
અદાણી ટોટલ ગેસ781+5.00%3.92%
અદાણી વિલ્મર418+4.99%15.45%
અંબુજા સિમેન્ટ392+5.70%13.50%
એસીસી લિમિટેડ1894+5.11%9.48%
એનડીટીવી220+4.98%15.42%
અદાણી ગ્રૂપની કંપનીઓના શેરનો દેવાખ (શેરનો ભાવ રૂપિયામાં)
Advertisment

હિંડનબર્ગ વિવાદ બાદ અદાણીના શેરમાં 11 લાખ કરોડથી વધારે નુકસાન

ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તીવ્ર વેચવાલીનું વાવાઝોડું આવ્યું અને રોકાણકારોને 11.81 લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે.

ગૌતમ અદાણીએ 4 ગ્રૂપ કંપનીનો હિસ્સો 15,446 કરોડમાં વેચ્યા

ગુરુવારે અદાણી ગ્રૂપ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલિઝ મુજબ ગૌતમ અદાણીએ તેમની ચાર કંપનીનો કેટલોક હિસ્સો અમેરિકાની GQG પાર્ટનર્સ ઇન્કને રૂ. 15,446 કરોડમાં વેચ્યા છે. માહિતી અનુસાર એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે ગુરુવારે ઓપન માર્કેટમાં અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના 21 કરોડ ઇક્વિટી શેર રૂ. 15,446 કરોડમાં વેચ્યા છે. આ ટ્રસ્ટ એ અદાણી ગ્રૂપના પ્રમોટર જૂથનો એક ભાગ છે.

આ પણ વાંચોઃ એક મહિનામાં અદાણીના શેરમાં રોકાણકારોએ ₹ 11.81 લાખ કરોડ ગુમાવ્યા

કઇ-કઇ કંપનીનો હિસ્સો વેચ્યો

ગૌતમ અદાણીએ બ્લોક ડીલ મારફતે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ), અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં હિસ્સો વેચ્યો છે. અમેરિકા સ્થિત કંપની GQG પાર્ટનર્સે સેકન્ડરી બ્લોક ટ્રેડ ટ્રાન્ઝેક્શન દ્વારા આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બિઝનેસ gautam adani શેર બજાર