Explaind | Budget 2023 - બજેટ 2023 : કેન્દ્રીય બજેટનું મૂલ્યાંકન કંઇ રીતે કરવું?

Budget 2023: ભૂ-રાજકીય અનિશ્વિતતા અને હાલની શેર બજારોની પ્રતિક્રિયા સરકારના નિયંત્રણ બહાર આવી શકે છે, ત્યારે સામાન્ય બજેટ જહાજને સ્થિર કરવામાં એક મોટી અને મહત્વની ભૂમિકા નિભાવે તેવી શક્યતા છે. કેન્દ્રીય બજેટનું કેવી રીતે આંકલન થઇ શકે છે? જાણો આ અહેવાલમાં...

Budget 2023: ભૂ-રાજકીય અનિશ્વિતતા અને હાલની શેર બજારોની પ્રતિક્રિયા સરકારના નિયંત્રણ બહાર આવી શકે છે, ત્યારે સામાન્ય બજેટ જહાજને સ્થિર કરવામાં એક મોટી અને મહત્વની ભૂમિકા નિભાવે તેવી શક્યતા છે. કેન્દ્રીય બજેટનું કેવી રીતે આંકલન થઇ શકે છે? જાણો આ અહેવાલમાં...

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
બજેટ 2023

જાણો આ અહેવાલમાં બજેટનું કેવી રીતે મૂલ્યાંકન કરવું

ઉદિત મિશ્રા: આ સપ્તાહ ભારતીય અર્થવ્યવસ્થા તેમજ દેશની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ સ્પતાહની 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્માલા સીતારામન સંસદ ભવનમાં બજેટ પ્રસ્તુત કરશે. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાયો હતો. આવા સંજોગોમાં નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ અંદાજપત્ર રજૂ કરે તે પહેલાં ભારતીય શેર બજારોનું સોમવાર અને મંગળવારે અદાણી જૂથની કંપનીઓ કેવું પ્રદર્શન કરે છે તેના આધારે તાત્કાલિક ભવિષ્ય અને છૂટક રોકાણકારોની સુખાકારી નક્કી કરવામાં આવે તેવી સંભાવના છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ભારતીય શેર બજાર હિંડનબર્ગ રિસર્ચ પહેલાંથી વિશ્વસ્તરે ખરાબ પ્રદર્શન કરનારમાંથી એક છે. જેને પગલે રોકાણકારો તેના નાણા પરત ખેંચી રહ્યા છે. ત્યારે અદાણી જૂથે પહેલાં જ શેર બજારમાં લગભગ અરબો ડોલર ગુમાવ્યા છે. હિંડનબર્ગ રિસર્ચ બાદ આ બાબતને રાકાણકારો કેવી રીતે જોવા છે તે મહત્વપૂર્ણ છે.

આ પછી 31 જાન્યુઆરીના રોજ બે પ્રમુખ દસ્તાવેજ બહાર પાડવામાં આવશે. જે મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા તૈયાર કરેલો આર્થિક સર્વેક્ષણ હશે. મંગળવારે (31 જાન્યુઆરી) આંતરાષ્ટ્રીય મોનેટરી ફંડના વિશ્વ આર્થિક આઉટલુકનું અપડેટ પણ જાહેર કરાશે. મહત્વનું છે કે, આ બંને દસ્તાવેજો ભારતની અર્થવ્યવસ્થાની સંભાવનાઓનો સંકેત આપશે.

આ પણ વાંચો: Hindeburg Report: અદાણીએ આપ્યો 413 પાનાનો જવાબ, રિપોર્ટને સફેદ જૂઠ ગણાવતા કહ્યું…’આ ભારત પર હુમલો છે’

Advertisment

1 ફેબ્રુઆરીના રોજ અમેરિકન કેન્દ્રી બેંક પણ તેનો નીતિ વિષયક નિર્ણય જારી કરશે. જેની અસર ભારતીય બજારો તેમજ આરબીઆઈના પોતાના નાણાકીય નીતિના વલણ પર પડશે, જે ફેબ્રુઆરીમાં પછીથી સુધારવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ અમેરિકન કેન્દ્રી બેંક પણ તેનો નીતિ વિષયક નિર્ણય જારી કરશે. જેની અસર ભારતીય બજારો તેમજ આરબીઆઈના પોતાના નાણાકીય નીતિના વલણ પર પડશે, જે ફેબ્રુઆરીમાં પછીથી સુધારવામાં આવશે. પરંતુ કદાચ સૌથી દૂરગામી પ્રભાવ કેન્દ્રીય બજેટનો હશે. વર્ષ 2023 આર્થિક વિકાસના દ્રષ્ટિકોણથી પડકારજનક હોવાની સંભાવના છે.

મ્યૂટ વૈશ્વિક વૃદ્ધિ માટેનો દૃષ્ટિકોણ, જો સંપૂર્ણ મંદી નહીં, તો વર્ષને વધુ મુશ્કેલ બનાવે છે. યુ.એસ.માં સતત ઊંચા વ્યાજ દરનું શાસન ભારતીય નીતિ ઘડવૈયાઓ પર એવા સમયે વ્યાજ દરો ઊંચા રાખવા દબાણ કરશે જ્યારે તેઓ વૃદ્ધિ વિશે વધુ ચિંતા કરવા માંગતા હોય, કારણ કે સ્થાનિક ફુગાવાના વલણો સહેજ હળવા થવા લાગ્યા છે. ભૂ-રાજકીય અનિશ્વિતતા યથાવત છે. જે અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવના શરૂઆતનો સંકેત આપે છે. રોઇટર્સે યુએસ કોંગ્રેસમાં એક ટોચના રિપબ્લિકનને ટાંકીને રવિવારે કહ્યું હતું કે, તાઇવાનને લઈને ચીન સાથે સંઘર્ષની સંભાવના વ્યાપક છે. (અપડેટ ચાલુ...)

Express Exclusive એક્સપ્રેસ એક્સપ્લેન દેશ નિર્મલા સીતારમણ બજેટ 2023 મારૂ બજેટ બિઝનેસ