Budget 2023: બજેટ 2023માં નીર્મલા સીતારામનનો સંતુલન જાળવવાનો પ્રયત્ન : ‘કર નહીં, ખર્ચ કરીશું’

India Budget 2023 News: ગઇકાલે 1 ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારામનએ સામાન્ય બજેટ 2023 સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં વાર્ષિક આવક રૂ. 7 લાખથી વધુ હોય તો જ કર લાગુ થશે તેવી મોટી ઘોષણા કરી હતી. જે ચૂંટણી પહેલાના વર્ષમાં કેપેક્સમાં મોટો ઉછાળો કહેવાય.

India Budget 2023 News: ગઇકાલે 1 ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારામનએ સામાન્ય બજેટ 2023 સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં વાર્ષિક આવક રૂ. 7 લાખથી વધુ હોય તો જ કર લાગુ થશે તેવી મોટી ઘોષણા કરી હતી. જે ચૂંટણી પહેલાના વર્ષમાં કેપેક્સમાં મોટો ઉછાળો કહેવાય.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

Budget 2023-24: નિર્મલા સીતારામન ફાઇલ તસવીર

Union Budget 2023-24: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામનએ ગઇકાલે 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય અંદાજપત્ર સંસદમાં રજૂ કર્યું હતું. આ નાણાકીય વર્ષ 2023-24નું સામાન્ય બજેટ આવતા વર્ષે લોકસભા ચૂંટણી (Lok Sabha election 2024) હોવાથી ખુબ જ અગત્યનું છે. આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ છે. ત્યારે નિર્મલા સીતારામનએ મુખ્ય બે પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રીય કર્યું છે. જે પૈકી 1. વિકાસ-મડીખર્ચમાં વૃદ્ધિ લાવવા માટે વ્યાપક ખર્ચ અલગ 2. રાજકોષીય એકત્રીકરણ- સબસીડી પર કાપ મૂકીને રોજગાર ગેરંટી યોજના પર ખર્ચ કરવો.

Advertisment
publive-image

મહત્વનું છે કે, મોટા બજેટનો વિચાર થ્રેશોલ્ડ વધારવાના રૂપમાં આવ્યો હતો જેના પર વાર્ષિક રૂ. 5 લાખથી રૂ. 7 લાખ સુધી આવકવેરો વસૂલવામાં આવે છે, તેમજ ટેક્સ સ્લેબનું પુનર્ગઠન કરીને વ્યક્તિઓને નવી કર વ્યવસ્થામાં શિફ્ટ કરવા માટે સંયુક્ત દબાણ કરવામાં આવે છે. જે અગત્યની ભૂમિકા ભજવે છે.

લોકોને ફ્રી કર વ્યવસ્થા તરફ ધકેલવા, દર મહિને રૂ. 60,000 કરતાં ઓછી કમાણી કરનારાઓના હાથમાં નાણાં ખર્ચવા અને વિવેકાધીન ખર્ચ અથવા બજોરમાં રોકાણ માટે કર-કેન્દ્રિત બચત સાધનોથી દૂર રહેવું.

publive-image

બજેટમાં 2023-24 માટે 10.5 ટકાના સાધારણ વૃદ્ધિ દરનો અનુમાન છે એ પણ જો વર્ષ માટે સરેરાશ છૂટક ફુગાવો 4 ટકા માનવામાં આવે તો. આર્થિક સર્વેમાં અનુમાનિત વાસ્તવિક વૃદ્ધિ દર 6.5 ટકા (નોમિનલ વૃદ્ધિ દર માઈનસ ફુગાવો) બની જાય છે. પરંતુ આરબીઆઈ અનુસાર આ વર્ષના પ્રથમ છ મહિનામાં ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ લગોવ્યો છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં સરેરાશ ફુગાવો 4 ટકા હોય તો પણ આખા વર્ષની સરેરાશ 4.5 ટકા થાય. તે માત્ર એટલું જ સૂચવે છે કે સરકાર આગામી વર્ષ માટે વૃદ્ધિની સંભાવનાનો વધુ પડતો અંદાજ લગાવી રહી છે.

Advertisment

છેલ્લા ત્રણ વર્ષમાં વિશેષ રૂપે કોરોના મહામારી બાદ સરકારે ખાધ ખર્ચની ભરપાઇ કરવા માટે ખાધનું મડીકરણ કર્યું છે. મૂડીખર્ચમાં ઘણી વધારે ગુણક અસર હોય છે - 2.5x - અને તેથી મૂડી ખર્ચ કરતાં આર્થિક આઉટપુટનો પ્રશ્ન વધુ છે જેમાં પેન્શન, વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થાય છે. મૂડીખર્ચ વિશે વિગતવાર વાત કરીએ તો વર્ષ 2020-21માં મૂડી ખર્ચ રૂ. 4.39 લાખ કરોડથી બમણો થઈને માત્ર ત્રણ વર્ષમાં રૂ. 10 લાખ કરોડ (જીડીપીના 3 ટકાથી વધુ) થઈ ગયો છે. જો કે હજુ સુધી ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે આકર્ષવા ઉચ્ચ સરકારી ખર્ચની વ્યૂહરચનાના પરિણામો હજુ પ્રત્યક્ષ આવ્યા નથી. કેન્દ્રના કેપેક્સ પુશને પૂરક બનાવતા, રાજ્ય સરકાર રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન દ્વારા રૂ. 1.3 લાખ કરોડ સુધીનો સંકેત આપે છે.

આગામી વર્ષ માટે પ્રભાવશાળી મૂડી ખર્ચનું બજેટ રૂ. 13.7 મિલિયન કરોડનું છે, જે 2022-23ની સરખામણીમાં લગભગ 13 ટકા વધારે છે. ત્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારામનને એવી અપેક્ષા છે કે, આ કેપેક્સ પુશ દ્વારા વિકાસમાં રફતાર અને નૌકરીઓ લાવશે. આગામી વર્ષ માટે પ્રભાવશાળી મૂડી ખર્ચનું બજેટ રૂ. 13.7 મિલિયન કરોડનું છે, જે 2022-23ની સરખામણીમાં લગભગ 13 ટકા વધારે છે. ત્યારે નાણા પ્રધાન નિર્મલા સીતારામનને એવી અપેક્ષા છે કે, આ કેપેક્સ પુશ દ્વારા વિકાસમાં રફતાર અને નૌકરીઓ લાવશે. રેલવે માટે બજેટ 2023માં રૂ. 2.4 લાખ કરોડની જંગી ફાળવણી, રસ્તાઓ અને ધોરીમાર્ગો (રૂ. 2.7 લાખ કરોડ) અને હાઉસિંગ (PM આવાસ)નો ખર્ચ 66 ટકા વધીને રૂ. 79,000 કરોડ થયો તે માત્ર ભારે સાધનો, સિમેન્ટ, સ્ટીલ અને અન્ય વસ્તુઓની માંગને વેગ આપશે નહીં, પણ વધુ રોજગારીનું સર્જન કરશે. આ વિભાગોમાં આટલી ફાળવણી કરીવાને પગલે સરકારે મનરેગા યોજનામાં ફાળવણીમાં મહદઅંશે ઘટાડો કર્યો હોવાનું અનુમાન છે.

સરકાર તેના રાજકોષીય વિવેક મંત્રને વળગી રહેવામાં સફળ રહી છે અને ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના 6.4 ટકાના ખાધના લક્ષ્યને પાર કરી શકી નથી. આરબીઆઈના 4 ટકાના લક્ષ્યાંકની સામે આ વર્ષે ફુગાવો 6.7 ટકા રહ્યો હોવાથી નોમિનલ જીડીપી વધારે છે.

મારૂ બજેટ બજેટ 2023 એક્સપ્રેસ એક્સપ્લેન નિર્મલા સીતારમણ Express Exclusive